- મહેસાણાના વિસનગરમાં આરોગ્ય અને સુખાકારીનો પાયો નાખનારા શેઠ હરિચંદ તિજોરીવાળાને અપાઈ શ્રદ્ધાંજલિ
- શેઠ હરિચંદ તિજોરીવાળાએ 100 વર્ષ પહેલા વિસનગરમાં આરોગ્ય અને સુખાકારીની વ્યવસ્થા કરાવી હતી
- વર્ષો પહેલા વડોદરા અને વિસનગર માત્ર 2 જ શહેરમાં ગટરની અનોખી વ્યવસ્થા હતી
મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં (Visnagar) વર્ષો પહેલા પીવાના પાણી અને ગટરની વ્યવસ્થા (health and wellness system) માટે કરવામાં આવેલું આયોજન આજે પણ શહેરીજનોના આરોગ્ય અને સુખાકારી માટે ખૂબ સફળ આયોજન સાબિત થયું છે. વર્ષો પહેલા રાજ્યમાં વડોદરા અને વિસનગર એમ બે શહેર એવા હતા, જ્યાં ગટરની અનોખી વ્યવસ્થા હતી. જ્યારે અન્ય જગ્યાએ આવી વ્યવસ્થા નહતી, પરંતુ વિસનગરમાં શેઠ હરિચંદ મંછારામ તિજોરીવાળાએ (Tribute paid to Seth Harichand Tijoriwala) આ વ્યવસ્થા કરાવી હતી. ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે અહીંના લોકોએ તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી હતી.
આ પણ વાંચો- પાટણમાં વહીવટી તંત્ર અને રાજકીય પાર્ટીઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ અને નગરપાલિકાએ કાર્યક્રમ યોજ્યો
વિસનગરમાં (Visnagar) શેઠ હરિચંદ મંછરામ તિજોરીવાળાની (Tribute paid to Seth Harichand Tijoriwala) પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ (Tributes were paid by Panchal Boarding Trust and the municipality) યોજાયો હતો. તેમણે વર્ષો પહેલા રાજ્યના 2 શહેરોમાં ગટર વ્યવસ્થા કરી હતી. તો નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને નગરજનોએ ફૂલહાર અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ ટ્રસ્ટે શિક્ષણ કાર્ય માટે નગરપાલિકા અને લાઈબ્રેરી માટે ચેકથી દાનની રકમ પણ અર્પણ કરી હતી.
ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ
વિસનગરમાં (Visnagar) આ આયોજન માટે વર્ષો પહેલા દાતા શેઠ હરિચંદ મંછારામ તિજોરીવાળાએ (Tribute paid to Seth Harichand Tijoriwala) તે સમયમાં અતિમૂલ્યવાન કહી શકાય તેવી માતબર રકમ 2 લાખ રૂપિયાનું દાન (Seth Harichand Mancharam Tijoriwala donated two lakh rupees) આપી શહેરમાં ગટર અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે દાતાની 100મી પુણ્યતિથિએ વિસનગર નગરપાલિકા અને પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ (Tributes were paid by Panchal Boarding Trust and the municipality) યોજી તેમની પ્રતિમાને ફૂલહાર કરી ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો- સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નરે કોરોનામાં મૃત્યું પામનાર પોલીસકર્મીઓને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ
નગરજનોએ દાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તો આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને નગરજનોએ દાતાને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના સમાજ સેવાના કાર્યને બિરદાવ્યું હતું. બીજી તરફ દાનની સરવાણી યથાવત્ રાખવા પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ વિસનગર દ્વારા નગરપાલિકાને (Tributes were paid by Panchal Boarding Trust and the municipality) શૈક્ષણિક હેતુ માટે 11 હજાર દર વર્ષે દાન આપવાના આયોજનના ભાગરૂપે ચેક અર્પણ કરાયો હતો. તો શહેરની લાલ દરવાજા પાસે આવેલ પ્રાચીન લાયબ્રેરી માટે પણ 5 હજાર રૂપિયાનું દાન ચેક દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.