ETV Bharat / state

મહેસાણા: કૃષિબીલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Dec 16, 2020, 5:49 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા પસાર થયેલા કૃષિબીલ મામલે દિલ્હીમાં ખેડૂતો દ્વારા જે આંદોલન થઇ રહ્યું છે તેના વિશે સાચી માહિતી લોકોને મીડિયા દ્વારા પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે મહેસાણામાં કૃષિબીલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ
કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ
  • મહેસાણામાં કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ
  • પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વગૃહ મંત્રી રજની પટેલ રહ્યા ઉપસ્થિત
  • કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાનો દાવો કરાયો
    કૃષિબીલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ,


મહેસાણા: કૃષિબીલ અંગે થઇ રહેલું આંદોલન કેટલાક લોકો દ્વારા ખેડૂતોને ખોટી રીતે ભડકાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનો દાવો કરતા પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી ખેડૂતો અને લોકો સુધી કૃષિબીલની સાચી સમજ અને માહિતી પહોંચે માટે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે આ કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાની વાત રજૂ કરી હતી.

કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ
કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ

આગામી દિવસમાં 4 જિલ્લાનું ખેડૂત સંમેલન વિજાપુર ખાતે યોજાશે

આગામી દિવસોમાં ખેડૂતોની કૃષિબીલની યોગ્ય માહિતી અને ખેડૂતોના પ્રશ્ને યોગ્ય માર્ગદર્શન આપવા 4 જિલ્લાની સંયુક્ત ખેડૂત સંમેલન મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે યોજવામાં આવશે જેમાં કૃષિપ્રધાન પુરષોતમ રૂપાલા પોતે ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્ને સંબોધન કરશે તેવી માહિતી પૂરી પાડવામાં આવી છે.

  • મહેસાણામાં કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ
  • પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વગૃહ મંત્રી રજની પટેલ રહ્યા ઉપસ્થિત
  • કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાનો દાવો કરાયો
    કૃષિબીલ મામલે પત્રકાર પરિષદ યોજાઈ,


મહેસાણા: કૃષિબીલ અંગે થઇ રહેલું આંદોલન કેટલાક લોકો દ્વારા ખેડૂતોને ખોટી રીતે ભડકાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનો દાવો કરતા પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપી ખેડૂતો અને લોકો સુધી કૃષિબીલની સાચી સમજ અને માહિતી પહોંચે માટે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે આ કૃષિબીલ ખેડૂતોના હિત માટે હોવાની વાત રજૂ કરી હતી.

કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ
કૃષિબિલ મામલે પત્રકાર પરિષદ

આગામી દિવસમાં 4 જિલ્લાનું ખેડૂત સંમેલન વિજાપુર ખાતે યોજાશે

આગામી દિવસોમાં ખેડૂતોની કૃષિબીલની યોગ્ય માહિતી અને ખેડૂતોના પ્રશ્ને યોગ્ય માર્ગદર્શન આપવા 4 જિલ્લાની સંયુક્ત ખેડૂત સંમેલન મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે યોજવામાં આવશે જેમાં કૃષિપ્રધાન પુરષોતમ રૂપાલા પોતે ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્ને સંબોધન કરશે તેવી માહિતી પૂરી પાડવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.