ETV Bharat / state

મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા - Pravin togadiya says that he was mistaken to join RSS

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા સરહદી જિલ્લા કચ્છના પ્રવાસે છે. તેમણે આજે સોમવારે ભુજમાં પત્રકાર પરિષદ સંબોધતી વખતે સરકાર પર પ્રહાર કરવા સાથે હિન્દુવાદી વિચારસરણીને આગળ ધપાવવા માટેનું મંતવ્ય આપ્યું હતું. આ સાથે તેમણે RSSના સુપ્રિમો મોહન ભાગવતના તાજેતરના એક નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું નિવેદન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું નિવેદન
author img

By

Published : Aug 2, 2021, 3:23 PM IST

Updated : Aug 2, 2021, 4:43 PM IST

  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાનું નિવેદન
  • મને RSSમાં જોડાવવાનો અફસોસ થયો : પ્રવીણ તોગડીયા
  • કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવાની કરી માગ
    મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા


કચ્છ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા હાલમાં ભુજ પ્રવાસે છે. જ્યાં તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સલામતીના પગલાં, RSS સાથેના સંબંધો, દેશમાં વધતી જતી મોંઘવારી તથા અનેક ખેડૂતના કાયદા સહિતના મુદ્દે તેમણે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે તાજેતરમાં RSSના સુપ્રિમો મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા 'હિન્દુ અને મુસલમાનોના DNA એક જ હોય છે' નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મેં મારી જિંદગીના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે. આ નિવેદન બાદ મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે.

દેશભરમાં ઓક્સિજનની અછતથી 117 લોકો મોતને ભેટ્યા

પ્રવીણ તોગડીયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં કોરોના હજુ ગયો નથી. જેથી લોકો બે માસ્ક પહેરે, વેક્સિનના બન્ને ડોઝ લે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે જરૂરી છે. આ સાથે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે પણ રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે. જેથી તમામ કાર્યક્રમોમાં એકસમાન હાજરી હોવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનામાં ઓક્સિજનની અછતથી એક પણ મોત ન થયું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ દેશમાં 117 લોકો ઓક્સિજનની અછતથી મોતને ભેટ્યા છે. આ સાથે તેમણે કચ્છમાં નર્મદાના કામો 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવે અને ગૌ હત્યાના બનાવોમાં મૃત્યુદંડની સજા થાય તેવી માગ કરી હતી.

  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાનું નિવેદન
  • મને RSSમાં જોડાવવાનો અફસોસ થયો : પ્રવીણ તોગડીયા
  • કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવાની કરી માગ
    મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા


કચ્છ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા હાલમાં ભુજ પ્રવાસે છે. જ્યાં તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સલામતીના પગલાં, RSS સાથેના સંબંધો, દેશમાં વધતી જતી મોંઘવારી તથા અનેક ખેડૂતના કાયદા સહિતના મુદ્દે તેમણે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે તાજેતરમાં RSSના સુપ્રિમો મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા 'હિન્દુ અને મુસલમાનોના DNA એક જ હોય છે' નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મેં મારી જિંદગીના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે. આ નિવેદન બાદ મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે.

દેશભરમાં ઓક્સિજનની અછતથી 117 લોકો મોતને ભેટ્યા

પ્રવીણ તોગડીયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં કોરોના હજુ ગયો નથી. જેથી લોકો બે માસ્ક પહેરે, વેક્સિનના બન્ને ડોઝ લે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે જરૂરી છે. આ સાથે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે પણ રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે. જેથી તમામ કાર્યક્રમોમાં એકસમાન હાજરી હોવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનામાં ઓક્સિજનની અછતથી એક પણ મોત ન થયું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ દેશમાં 117 લોકો ઓક્સિજનની અછતથી મોતને ભેટ્યા છે. આ સાથે તેમણે કચ્છમાં નર્મદાના કામો 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવે અને ગૌ હત્યાના બનાવોમાં મૃત્યુદંડની સજા થાય તેવી માગ કરી હતી.

Last Updated : Aug 2, 2021, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.