ETV Bharat / state

Matanamadh: બે મહિના બાદ માતાના મઢ આશાપુરા મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં

author img

By

Published : Jun 11, 2021, 4:55 PM IST

કચ્છ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાના મઢ (Matanamadh) ખાતે આજે બે મહિના બાદ ફરી ભક્તોના દર્શન માટે કચ્છના કુળદેવી આઈશ્રી આશાપુરા માતાજી મંદિરના દ્વારા વાજતે ગાજતે ખોલવામાં આવ્યા હતાં.

Matanamadh: બે મહિના બાદ માતાના મઢ આશાપુરા મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં
Matanamadh: બે મહિના બાદ માતાના મઢ આશાપુરા મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં
  • આઈશ્રી આશાપુરા માતાના મઢના દ્વાર બે મહિના બાદ ભક્તો માટે ખુલ્લા મુકાયાં
  • માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટના મહંત દ્વારા મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં
  • (Matanamadh) અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે
  • બે મહિના બાદ ફરી માઇભક્તોને આજથી દર્શન થશે

    કચ્છઃ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના મોટા મંદિરો સાથે માતાના મઢ (Matanamadh) સ્થિત આશાપુરા મંદિરના જાહેર દર્શન પર તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી હતી. તા. 11 એપ્રિલથી મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે બે મહિના બાદ ફરી રાજ્યના તમામ જાણીતા તીર્થસ્થાનોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાના આગ્રહ સાથે આજથી ખોલવામાં આવ્યા છે. જેની સાથે આજેથી ભુજથી 100 કિલોમીટર દૂર આવેલ માતાના મઢના (Matanamadh) દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યાં હતાં.
    વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી


વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં

આજે વહેલી સવારે માતાના મઢના મહંત યોગેન્દ્રસિંહજી રાજબાવાની અધ્યક્ષતામાં જાગીર ટ્રસ્ટના સભ્યો અને ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. મંદિરમાં દર્શન માટે કોરોના ગાઈડલાઈનના સખ્ત પાલન માટે મંદિર દ્વારા સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ ઉપરાંત (Matanamadh) મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે. દર્શનનો સમય રાબેતા મુજબ જ રાખવામાં આવ્યો છે.

જાણો શું કહ્યું મંદિરના ટ્રસ્ટીએ?

(Matanamadh) મંદિરે આવતાં તમામ દર્શનાર્થીઓને ખાસ વિનંતી કે કોરોનાની ગાઇડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરીએ અને 50થી વધારેની સંખ્યામાં મંદિરમાં દર્શનાર્થે ઉમટવું નહીં.

આ પણ વાંચોઃ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ

  • આઈશ્રી આશાપુરા માતાના મઢના દ્વાર બે મહિના બાદ ભક્તો માટે ખુલ્લા મુકાયાં
  • માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટના મહંત દ્વારા મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં
  • (Matanamadh) અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે
  • બે મહિના બાદ ફરી માઇભક્તોને આજથી દર્શન થશે

    કચ્છઃ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના મોટા મંદિરો સાથે માતાના મઢ (Matanamadh) સ્થિત આશાપુરા મંદિરના જાહેર દર્શન પર તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી હતી. તા. 11 એપ્રિલથી મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે બે મહિના બાદ ફરી રાજ્યના તમામ જાણીતા તીર્થસ્થાનોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાના આગ્રહ સાથે આજથી ખોલવામાં આવ્યા છે. જેની સાથે આજેથી ભુજથી 100 કિલોમીટર દૂર આવેલ માતાના મઢના (Matanamadh) દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યાં હતાં.
    વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી


વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં

આજે વહેલી સવારે માતાના મઢના મહંત યોગેન્દ્રસિંહજી રાજબાવાની અધ્યક્ષતામાં જાગીર ટ્રસ્ટના સભ્યો અને ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે વાજતે ગાજતે મા આશાપુરાના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. મંદિરમાં દર્શન માટે કોરોના ગાઈડલાઈનના સખ્ત પાલન માટે મંદિર દ્વારા સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ ઉપરાંત (Matanamadh) મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે. દર્શનનો સમય રાબેતા મુજબ જ રાખવામાં આવ્યો છે.

જાણો શું કહ્યું મંદિરના ટ્રસ્ટીએ?

(Matanamadh) મંદિરે આવતાં તમામ દર્શનાર્થીઓને ખાસ વિનંતી કે કોરોનાની ગાઇડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરીએ અને 50થી વધારેની સંખ્યામાં મંદિરમાં દર્શનાર્થે ઉમટવું નહીં.

આ પણ વાંચોઃ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.