લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહ્યાં છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવે છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે.
કચ્છમાં પાકિસ્તાન તરફથી આવતા તીડનું આક્રમણ, 25 વર્ષે ફરી ખેડુતોમાં ચિંતા
કચ્છઃ લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારના હરામીનાળામાં પાકિસ્તાનીઓની ઘુસણખોરીના સમાચાર સાંભળ્યા હશે. પરંતુ, આ વખતે પાકિસ્તાન તરફથી આવેલી તીડ એ લખપત અને આસપાસના ખેડુતો માટે સમસ્યા પેદા કરી દીધી છે.
તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. પણ ગુનાઉ વિસ્તારમાં તો કેટલાક ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે.
લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહ્યાં છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવે છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે.
તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. પણ ગુનાઉ વિસ્તારમાં તો કેટલાક ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે.
મળતી વિગતો મુજબ ગઈકાલથી અચાનક લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહી છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવ્યા છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે. જાણકારોના કહેવા મુજબ આ રણ મક્કડ અત્યંત ખતરનાક છે અને તેને રોકવામાં નહીં આવે તો કચ્છના ખેડૂતોનું વરસ સાફ થઇ જશે. લખપત તાલુકાની ઉત્તરે રણ વિસ્તારમાંથી તીડના ધાડા સૂકા તાલુકામાં પ્રવેશી રહ્યા છે.
ગત અઠવાડિયે તીડના ઝુંડ પાકિસ્તાનમાં હતા તેવા ત્યાંના મીડિયા અહેવાલોમાં હતું. આ તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. ગુનાઉ વિસ્તારમાં તો કેટલાય ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ આ તીડ જ્યાં રાતવાસો કરે (ભાંઢો ખોડે) ત્યાં તેની ખીલમાંથી 200 બચ્ચાંને જન્મ આપી દે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે. હાલમાં બહુ મોટું નુકસાન નથી થયું આ તીડના આવડા મોટા જથ્થા ખેતરોમાં જ સોથ વાળશે. શરૂઆત તો થઇ ચૂકી છે. હાલમાં પણ ખેતરોમાં, ઝાડ ઉપર અને ઘાસિયા મેદાનોમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
દરમિયાન બીએસએફના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રણમાં હરામીનાળા પાસે પણ આ તીડની સંખ્યા વ્યાપક છે. અસંખ્ય તીડ રસ્તા પર વાહનો દ્વારા મૃત અવસ્થામાં પણ પડેલા જોયા છે. અને, જે હજુ પણ ઝુંડ આવી રહ્યા છે. કચ્છ કલેકટર એમ. નાગરાજને જણાવ્યુ ંહતું કે ગ્રામસેવકોના સીધા માર્ગદર્શન સાથે દવા છંટકાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઝુમારા ગામમાં કામગીરી ચાલી રહી છે.
બીજીતરફ ચાલુ વરસે સારા વરસાદને પગલે સારા પાકની લીલોતરીના કારણે આવી પહોંચેલા આ તીડના ઝૂંડને ભગાડવા ખેડૂતો ખેતરોમાં દોડાદોડી કરી રહ્યા છે. ચાર ચાર વર્ષના દુષ્કાળ પછી ચાલુ વરસે સારા વરસાદ થકી ખેડૂતોના થયેલા સારા પાકનો સોથ વળી જવાથી ખેતીને નુકસાન થવાની ભીતિ વ્યકત થઈ રહી છે. . ખેડુતોના કહેવા મુજબ અઢી દાયકા પહેલાં પણ લખપત તાલુકામાં તીડ આક્રમણ થયું હતું. 25 વર્ષ પછી આ મુસીબત લખપત તાલુકાને નડી છે દરમિયાન ખાવડા પંથકમાં તીડનો પ્રવેશ થયો હોવાનું પણ સ્પષ્ટ થઈ રહયું છે.
દરમિયાન કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગની વિસ્તરણ ટીમે તીડના નિયંત્રણ માટે દવા છંટકાવની માહિતી અને સાહિત્ય વિતરણ કરાઇ રહ્યું છે. તીડના ઉપદ્રવને અટકાવવા તંત્ર દ્વારા સહકારી મંડળીમાં તીડ નિયંત્રણ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડ નિયંત્રણ માટે બેંડીયોકાર્બ ૮૦% WP, ક્લોરપાયરીફોસ ૨૦% અથવા૫૦ % EC, ક્લોરપાયરીફોસ ૨૦% અથવા ૫૦ % EC, ડેલ્ટામેથ્રીન ૨.૮ % અથવા ૧.૨૫% EC, ફ્રિપ્રોનિલ ૫% SC, લેમ્બાડસાલોથ્રીન ૫% EC, મેલાથીન ૫૦ % EC, ૨૫% WP, ૯૬% ULV નામની દવાઓનો છંટકાવ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Conclusion: