ETV Bharat / state

Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો

author img

By

Published : Jun 6, 2023, 9:16 PM IST

ભુજની હોસ્પિટલમાં યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક સામે આવ્યો છે. યુવક 197 ટ્રકનો માલિક દેખાતા લાલચ જાગી હતી. યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 મહિલા સહિત કુલ 9 આરોપીએ 4 કરોડની ખંડણી માંગી હતી. ખોટા આરોપને લઈને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જેમાં મુખ્ય આરોપી જેલમાં બેસીને તમામ ષડયંત્ર રચ્યું હતું.

દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
ભુજના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી યુવકના આત્મહત્યા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત

કચ્છ : ભુજથી મુન્દ્રા રોડ પર જતા સેડાતા પાસે આવેલા હાઈલેન્ડ રીસોર્ટમાં 2જી જૂનની રાત્રે અમદાવાદની 22 વર્ષીય યુવતીએ પોતાના સાથે થયેલા કથિત દુષ્કર્મની ફરિયાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોંધાવી હતી. તેના પગલે યુવકે આત્મહત્યા કરી લેતા આ ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 મહિલા સહિત કુલ 9 આરોપીએ 4 કરોડની ખંડણી માંગવાનું કેસ સામે આવ્યું છે. આજે આ મામલે આહીર સમાજે માધાપરમાં રેલી યોજી તટસ્થ તપાસ માટે કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પી.સમક્ષ રજૂઆત કરી હતી.

આહીર સમાજનાં નવયુવાન દિલીપ ગાગલનું હનીટ્રેપમાં ફસાવીને ષડયંત્ર રચીને જેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. તેને ન્યાય મળે તેમજ આહીર સમાજને ન્યાય મળે અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટે અહીં એક આહીર સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ રેલી સ્વરૂપે કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પીને આવેદનપત્ર આપ્યું છે. આ પ્રકરણમાં કરોડો રૂપિયા માંગવામાં આવેલા અને નિર્દોષ વ્યક્તિ પર ખોટો દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી. આ ષડયંત્રમાં જે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું જેમાં બહાર આવ્યું હતું કે કોઈ રીતે દુષ્કર્મ કરવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર પૈસા પડાવવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. જે કચ્છમાં અનેક જગ્યાએ બની રહ્યું છે માટે તાત્કાલિક આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે. - વી.કે. હુંબલે (આહીર સમાજના અગ્રણી)

પોલીસે ફરિયાદીનું લીધું નિવેદન : હાલમાં માધાપરની રાજા રેસિડેન્સીમાં ૨હેતા અને મૂળ ભુજ તાલુકાના ઢોરી ગામના વતની 32 વર્ષિય દિલીપ ગાગલ પર અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શુક્રવારે રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં તેની સાથે હાઈલેન્ડ રીસોર્ટમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ SCST સેલના Dysp એમ.જે. ક્રિશ્ચિયને હાથ ધરી હતી. જેમાં ફરિયાદીની નિવેદન લેતા સમયે ફરિયાદથી વિપરીત નવો ઘટસ્ફોટ થયો હતો. Dysp ક્રિશ્ચિયને મહિલા સામાજિક કાર્યકર, મહિલા પીએસઆઈ અને દિવ્યાની માતાની હાજરીમાં સમગ્ર ઘટના અંગે દિવ્યાનું વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું.

આ કેસની ફરિયાદી દિવ્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે અમદાવાદની આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોતા તે અમદાવાદમાં એક ટૂર પેકેજ પ્લાન કરતી કંપનીમાં નોકરી કરતી હતી, પરંતુ કંપની બંધ થઈ જતાં તે બેકાર બનેલી અને કંપનીમાં કામ કરતા તેના લીડર અજય પ્રજાપતિએ આ કંપનીમાં નાણાંકીય રોકાણ કર્યું હતું, પરંતુ તેને પણ આર્થિક નુકસાની થઈ હતી. અજય પ્રજાપતિએ થોડાંક મહિના અગાઉ દિવ્યાને તેમની બંધ થઈ ગયેલી કંપનીની ઓફિસ પર બોલાવી મે વડોદરાથી આવેલા અખલાક પઠાણ સાથે ઓળખાણ કરાવી હતી. - ડો.કરણરાજ વાઘેલા (SP, પશ્ચિમ કચ્છ)

બિઝનેસમેનને ફસાવવા રચાયું હતું કાવતરું : અજય અને દિવ્યા વાતચીત કરતા સમયે અખલાકે કુવૈતના એક બિઝનેસમેન સાથે વોટસએપથી પરિચય કેળવ્યો હતો. તેને અમદાવાદ બોલાવી તેના ૫ર દુષ્કર્મનો આરોપ મૂકવાની વાત કરી હનીટ્રેપમાં ફસાવવા અંગેની વાત મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને કરી હતી. મનીષા સાથે કામ ચાલું કરવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પેમેન્ટ અંગે વાત થયેલી અને થોડાંક દિવસ પછી દિવ્યા અને મનીષા વચ્ચે અવારનવાર વોટસએપ કૉલથી વાતચીત થતી રહેતી હતી. કુવૈતના બિઝનેસમેનનો ગુજરાત આવવાનો પ્રવાસ રદ્દ થતાં મનીષા અને અન્ય આરોપીઓની પ્લાનિંગ નિષ્ફળ ગઈ હતી.

આહિર સમાજ
આહિર સમાજ

ભુજના કરોડપતિ યુવકને બનાવાયો ટાર્ગેટ : આ પ્રકરણની મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષાના કહેવા મુજબ દિવ્યાએ માધાપરના દિલીપ ગાગલ નામના યુવકના સંપર્કમાં આવીને વાતચીત કરવાનો દોર શરૂ કર્યો હતો. મુખ્ય આરોપી મનીષાએ દિવ્યાને જણાવેલું કે દિલીપ આહીર 197 ટ્રકનો માલિક છે, તેનો પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે, તેની પાસે કરોડો રૂપિયા છે અને તેની સાથે સંબંધ વિકસાવીને ભુજ આવી તેની સાથે એકાંતમાં સમય વીતાવી રેપના ખોટા કેસમાં ફસાવીને ચા૨ કરોડ પડાવવાના છે. તેમાંથી એક કરોડ રૂપિયા મનીષાએ દિવ્યાને આપવાનું જણાવેલું. હનીટ્રેપના આ ષડયંત્રમાં મનીષાનો પતિ ગજુગીરી ગોસ્વામી, અંજારની મહિલા વકીલ કોમલબેન મકવાણા, આકાશ મકવાણા, અઝીઝ તથા રિધ્ધિ વગેરે લોકો પણ સામેલ થયાં હતા.

કુલ 9 આરોપીઓ : આ હનીટ્રેપના આરોપીઓમાં અગાઉ જેન્તી ભાનુશાલી મર્ડર કેસની આરોપી અને હનીટ્રેપના અનેક ગુનામાં સંડવાયેલી અને હાલમાં પાલારા જેલની અંદર છે. તે મનીષા ગોસ્વામી, તેનો પતિ ગજુ ગોસ્વામી, દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવનારી દિવ્યા ચૌહાણ, અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને કોમલબેન મકવાણા, અમદાવાદનો અજય પ્રજાપતિ, વડોદરાનો અખલાક પઠાણ અને ભુજનો અઝીઝ સમાં અને રિદ્ધિ નામની યુવતીનો સમાવેશ થાય છે.

દિવ્યાએ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી : પોલીસે ફરિયાદી દિવ્યાનું નિવેદન લેતાં બહાર આવ્યું કે, હકીકતમાં દિવ્યા સાથે દિલીપનો કોઈ શારીરિક સંબંધ બંધાયો જ ન હતો, પરંતુ દિવ્યાએ દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટે ખોટી ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી. ઉપરાંત તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે, દિલીપે તેને ક્યાંય પણ બળજબરીપૂર્વક ફાર્મ હાઉસમાં ન હતો લઈ ગયો કે ના તેણે કોઈ દુષ્કર્મ આચર્યું હતું. પોતે રૂપિયાની લાલચમાં આવી જઈને મનીષા અને તેના સહઆરોપીઓના કહેવાથી ષડયંત્રમાં સામેલ થઈ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે.

દિવ્યાને એડવાન્સમાં 1 લાખ અપાયા હતા : કરોડપતિ દિલીપ આહીરને હની ટ્રેપમાં ફસાવવા માટે મનીષાએ દિવ્યાને એડવાન્સમાં એક લાખ રૂપિયા મોકલ્યા હતાં. જેમાંથી તેણે 40,000 અજય પ્રજાપતિને આપ્યા હતા તો 50,000 પોતાના ઘરે રાખેલાં અને 10,000 રૂપિયા સાથે લઈને ભુજ આવી હતી. પોલીસે દિવ્યા પાસે રહેલાં બે મોબાઈલ ફોન કબ્જે કર્યાં જતાં તો તપાસ દરમિયાન સામે આવ્યું હતું. એમ મનીષાએ દિવ્યા પાસેથી તેના વોટસએપનો ઓટીપી મેળવીને દિવ્યા બનીને દિલીપ સાથે સેટિંગ કરી હતી.

પોલીસ પાસે ઓડિયો ક્લિપના પુરાવા : ફરિયાદી દિવ્યા જ્યારે ભુજ આવી તે સમયે બપોરે મનીષા ગોસ્વામીએ તેને ઑડિયો મેસેજ કર્યા હતા. જેના પૂરાવા પોલીસ પાસે છે. દિવ્યાએ અજય પ્રજાપતિ અને અખલાક પઠાણ નામના શખ્સ સાથે વોટસએપ વીડિયો કોલ અને ચેટથી વાત કરી હતી, પરંતુ દિવ્યાએ તેને ડિલીટ કરી દીધી હતી, પરંતુ પોલીસે પૂરાવારૂપે તેના સ્ક્રિનશોટ્સ લઈ લીધાં છે. દિવ્યા અમદાવાદમાં બુટિક ચલાવતી હોવાનું દિલીપને જણાવીને પરિચય કેળવ્યો હતો.

વકીલ આરોપીઓએ કાયદાકીય રીતે ફસાવવા કર્યા સૂચન : પોલીસે આ બાબતે અહીં જ્યારે દિવ્યા ભુજ આવી ત્યારબાદ શું થયું તેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિવ્યા અહીં મોગલ ધામ મંદિરમાં દર્શનના બહાને ભુજ આવી હતી. શુક્રવારે સવારે દિવ્યા રિદ્ધિ, અઝીઝ નામના યુવક અને મનીષાના પતિ ગજુગીરી સાથે કારમાં અંજાર ગઈ હતી, જ્યાં તે એડવોકેટ આકાશ મકવાણાની ઑફિસે ગયેલી. જ્યાં વ્યવસાયે વકીલ અને આ પ્રકરણમાં આરોપી એવા આકાશ મકવાણાએ દિવ્યાને દિલીપ સાથે મોગલ માના દર્શને જઈ પરત આવતાં ગમે તે રીતે તેની સાથે શારીરિક સબંધ બાંધીને હોસ્પિટલમાં એટ્રોસિટી અને દુષ્કર્મના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવવાનો પ્લાન સમજાવ્યો હતો.

ખોટા ચક્કર આવવાનો અભિનય : ઉપરાંત આરોપી વકીલ આકાશે સહવકીલ કોમલ મકવાણા સાથે તેના ફોન પરથી દિવ્યાની વાત કરાવી હતી. જેમાં તેણીએ દિવ્યાને ખોટી ફરિયાદ કરવા અંગે જણાવ્યું હતું કે, તું અનુસૂચિત જાતિમાં આવે છે અને તારે ફરિયાદમાં જણાવવાનું કે દિલીપ મારી જાતિ વિરુધ્ધમાં બોલ્યો હતો જેથી કરીને તેના ઉપર એટ્રોસીટીની કલમો લાગશે. તો તે સિવાય ફાર્મ હાઉસમાં સીસીટીવી હોય તેમાં મોગલધામથી રિટર્ન થયા બાદ તેને ચક્કર આવી રહ્યા હોય તે રીતે નીચે પડતી હોય તેવો નાટક કરવા જણાવ્યું હતું.

પ્લાનિંગ મુજબ જઈ રહ્યું હતું સમગ્ર મામલો : ષડયંત્ર મુજબ દિવ્યા ચૌહાણ બસમાં એકલી અંજારથી આવી હતી. ત્યારબાદ દિલીપ તેને સેવન સ્કાય હોટેલમાં ફ્રેશ થવા લઈ ગયો હતો અને દિવ્યાના આઈડી પરથી રૂમ બુક કરાવી આપ્યો હતો. ત્યારબાદ તૈયાર થઈને મોગલધામ જવા માટે ફોન કરી જાણ કરવાનું કહી દિલીપ નીકળી ગયો હતો. ત્યારબાદ દિવ્યાએ મનીષા જોડે ફોન પર વાત કરેલી અને બધું પ્લાન મુજબ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

કોઈપણ જાતના શારીરિક સબંધ બંધાયા નહોતા : શુક્રવારે સાંજે 6:15 વાગ્યાના અરસામાં દિવ્યાએ દિલીપને વોટસએપ કોલ કરી હોટેલ પર બોલાવ્યો હતો અને બંને જણ કબરાઉ મોગલધામ દર્શન કરવા ગયા હતા. રાત્રે 8:30 વાગ્યે મોગલધામના દર્શન કરી બંને પરત થયા હતા. ત્યારબાદ દિલીપ તેને જમવા માટે મિત્રના ફાર્મ હાઉસ હાઈલેન્ડ ૫ર લઈ ગયો હતો. જ્યાં તેઓ જમ્યા ન હતા માત્ર થોડાક સમય માટે હસી-મજાકની વાતો કરી હતી, ત્યારબાદ દિવ્યા વૉશરૂમના બહાને રૂમની અંદર ગઈ હતી અને બેડની ચાદર અસ્તવ્યસ્ત કરી નાખીને પ્લાન મુજબ પરત ફરતી વખતે ચક્કર આવતા હોવાનું નાટક કરી સીસીટીવી કેમેરા નીચે આવીને બેસી ગઈ હતી.

મુખ્ય આરોપીને કરી ખોટી વાત :રાતે 10:45 વાગ્યે દિલીપ અને દિવ્યા હાઈલેન્ડથી સેવન સ્કાય જવા રવાના થયેલાં. હોટેલ ૫ર આવી દિવ્યાએ સેવન સ્કાય હોટેલના એન્ટ્રી ગેટના સીસીટીવી આગળ પણ પોતાને ચક્કર આવતાં હોય તેવું નાટક કર્યું હતું, પરંતુ દિલીપ દિવ્યાને ઉતારીને ચાલ્યો ગયો હતો. દિલીપના ગયા બાદ દિવ્યાએ મનીષા ગોસ્વામી, એડવોકેટ કોમલ મકવાણા અને આકાશ મકવાણા સાથે કોન્ફરન્સ કૉલ કર્યો હતો. જેમાં તેણે મનીષાની નારાજગી સહન ન કરવી પડે તે માટે દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટી વાત કરી હતી.

ષડયંત્ર મુજબ નોંધાવી ખોટી ફરિયાદ : મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને ઝડપથી હોટેલ બહાર નીકળવા અને બહા૨ તેનો માણસ અજાણી વ્યક્તિ બનીને હાજર છે તેવું જણાવ્યું હતું. પ્લાન મુજબ દિવ્યા હોટેલ બહાર નીકળીને અઝીઝે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી દિવ્યા સાથે જી.કે. જનરલ હોસ્પિટલે આવી હતી. જ્યાં દિવ્યાએ ષડયંત્ર મુજબ ડૉક્ટરને પોતાના પર દુષ્કર્મ થયો હોવાનું ખોટ ખોટું જણાવ્યું હતું અને દિલીપને ફોન કરીને દુષ્કર્મ કર્યા હોવાના કેસમાં ફસાવવાની વાત કરી 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

યુવકે આરોપના મારે આત્મહત્યા કરી : જ્યારે બીજા દિવસે શનિવારે વહેલી સવારે દિલીપે દેશલપર-નલિયા રોડ પર આવેલાં તેના પેટ્રોલ પંપ નજીક બાવળની ઝાડીમાં નાયલોનની દોરીથી આત્મહત્યા કરી લીધી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે આ પ્રકરણમાં હાલ દિવ્યા અને અઝીઝને રાઉન્ડ અપ કર્યાં છે. જ્યારે પ્રકરણમાં આરોપી એવા અંજારના બંને વકીલ નાસી છૂટ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. હાલમાં આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.

આરોપીએ જેલમાં બેસીને કરી રહ્યો હતો કાવતરું : જેલમાં બેસીને મુખ્ય આરોપી મહિલા મનીષા ગોસ્વામીએ આ ષડયંત્ર રચ્યું હતું. તો જેલમાં કંઈ રીતે ફોન કોલ અને વોટસએપના માધ્યમથી અન્ય આરોપીઓના સંપર્કમાં આવીને સમગ્ર કાવતરું રચ્યું તેમજ તેની મદદ કોણ કરી રહ્યું છે. તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો વગેરે બાબતે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

  1. Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
  2. Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો
  3. Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા

ભુજના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી યુવકના આત્મહત્યા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત

કચ્છ : ભુજથી મુન્દ્રા રોડ પર જતા સેડાતા પાસે આવેલા હાઈલેન્ડ રીસોર્ટમાં 2જી જૂનની રાત્રે અમદાવાદની 22 વર્ષીય યુવતીએ પોતાના સાથે થયેલા કથિત દુષ્કર્મની ફરિયાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોંધાવી હતી. તેના પગલે યુવકે આત્મહત્યા કરી લેતા આ ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 મહિલા સહિત કુલ 9 આરોપીએ 4 કરોડની ખંડણી માંગવાનું કેસ સામે આવ્યું છે. આજે આ મામલે આહીર સમાજે માધાપરમાં રેલી યોજી તટસ્થ તપાસ માટે કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પી.સમક્ષ રજૂઆત કરી હતી.

આહીર સમાજનાં નવયુવાન દિલીપ ગાગલનું હનીટ્રેપમાં ફસાવીને ષડયંત્ર રચીને જેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. તેને ન્યાય મળે તેમજ આહીર સમાજને ન્યાય મળે અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટે અહીં એક આહીર સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ રેલી સ્વરૂપે કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પીને આવેદનપત્ર આપ્યું છે. આ પ્રકરણમાં કરોડો રૂપિયા માંગવામાં આવેલા અને નિર્દોષ વ્યક્તિ પર ખોટો દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી. આ ષડયંત્રમાં જે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું જેમાં બહાર આવ્યું હતું કે કોઈ રીતે દુષ્કર્મ કરવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર પૈસા પડાવવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. જે કચ્છમાં અનેક જગ્યાએ બની રહ્યું છે માટે તાત્કાલિક આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે. - વી.કે. હુંબલે (આહીર સમાજના અગ્રણી)

પોલીસે ફરિયાદીનું લીધું નિવેદન : હાલમાં માધાપરની રાજા રેસિડેન્સીમાં ૨હેતા અને મૂળ ભુજ તાલુકાના ઢોરી ગામના વતની 32 વર્ષિય દિલીપ ગાગલ પર અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શુક્રવારે રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં તેની સાથે હાઈલેન્ડ રીસોર્ટમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ SCST સેલના Dysp એમ.જે. ક્રિશ્ચિયને હાથ ધરી હતી. જેમાં ફરિયાદીની નિવેદન લેતા સમયે ફરિયાદથી વિપરીત નવો ઘટસ્ફોટ થયો હતો. Dysp ક્રિશ્ચિયને મહિલા સામાજિક કાર્યકર, મહિલા પીએસઆઈ અને દિવ્યાની માતાની હાજરીમાં સમગ્ર ઘટના અંગે દિવ્યાનું વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું.

આ કેસની ફરિયાદી દિવ્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે અમદાવાદની આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોતા તે અમદાવાદમાં એક ટૂર પેકેજ પ્લાન કરતી કંપનીમાં નોકરી કરતી હતી, પરંતુ કંપની બંધ થઈ જતાં તે બેકાર બનેલી અને કંપનીમાં કામ કરતા તેના લીડર અજય પ્રજાપતિએ આ કંપનીમાં નાણાંકીય રોકાણ કર્યું હતું, પરંતુ તેને પણ આર્થિક નુકસાની થઈ હતી. અજય પ્રજાપતિએ થોડાંક મહિના અગાઉ દિવ્યાને તેમની બંધ થઈ ગયેલી કંપનીની ઓફિસ પર બોલાવી મે વડોદરાથી આવેલા અખલાક પઠાણ સાથે ઓળખાણ કરાવી હતી. - ડો.કરણરાજ વાઘેલા (SP, પશ્ચિમ કચ્છ)

બિઝનેસમેનને ફસાવવા રચાયું હતું કાવતરું : અજય અને દિવ્યા વાતચીત કરતા સમયે અખલાકે કુવૈતના એક બિઝનેસમેન સાથે વોટસએપથી પરિચય કેળવ્યો હતો. તેને અમદાવાદ બોલાવી તેના ૫ર દુષ્કર્મનો આરોપ મૂકવાની વાત કરી હનીટ્રેપમાં ફસાવવા અંગેની વાત મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને કરી હતી. મનીષા સાથે કામ ચાલું કરવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પેમેન્ટ અંગે વાત થયેલી અને થોડાંક દિવસ પછી દિવ્યા અને મનીષા વચ્ચે અવારનવાર વોટસએપ કૉલથી વાતચીત થતી રહેતી હતી. કુવૈતના બિઝનેસમેનનો ગુજરાત આવવાનો પ્રવાસ રદ્દ થતાં મનીષા અને અન્ય આરોપીઓની પ્લાનિંગ નિષ્ફળ ગઈ હતી.

આહિર સમાજ
આહિર સમાજ

ભુજના કરોડપતિ યુવકને બનાવાયો ટાર્ગેટ : આ પ્રકરણની મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષાના કહેવા મુજબ દિવ્યાએ માધાપરના દિલીપ ગાગલ નામના યુવકના સંપર્કમાં આવીને વાતચીત કરવાનો દોર શરૂ કર્યો હતો. મુખ્ય આરોપી મનીષાએ દિવ્યાને જણાવેલું કે દિલીપ આહીર 197 ટ્રકનો માલિક છે, તેનો પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે, તેની પાસે કરોડો રૂપિયા છે અને તેની સાથે સંબંધ વિકસાવીને ભુજ આવી તેની સાથે એકાંતમાં સમય વીતાવી રેપના ખોટા કેસમાં ફસાવીને ચા૨ કરોડ પડાવવાના છે. તેમાંથી એક કરોડ રૂપિયા મનીષાએ દિવ્યાને આપવાનું જણાવેલું. હનીટ્રેપના આ ષડયંત્રમાં મનીષાનો પતિ ગજુગીરી ગોસ્વામી, અંજારની મહિલા વકીલ કોમલબેન મકવાણા, આકાશ મકવાણા, અઝીઝ તથા રિધ્ધિ વગેરે લોકો પણ સામેલ થયાં હતા.

કુલ 9 આરોપીઓ : આ હનીટ્રેપના આરોપીઓમાં અગાઉ જેન્તી ભાનુશાલી મર્ડર કેસની આરોપી અને હનીટ્રેપના અનેક ગુનામાં સંડવાયેલી અને હાલમાં પાલારા જેલની અંદર છે. તે મનીષા ગોસ્વામી, તેનો પતિ ગજુ ગોસ્વામી, દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવનારી દિવ્યા ચૌહાણ, અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને કોમલબેન મકવાણા, અમદાવાદનો અજય પ્રજાપતિ, વડોદરાનો અખલાક પઠાણ અને ભુજનો અઝીઝ સમાં અને રિદ્ધિ નામની યુવતીનો સમાવેશ થાય છે.

દિવ્યાએ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી : પોલીસે ફરિયાદી દિવ્યાનું નિવેદન લેતાં બહાર આવ્યું કે, હકીકતમાં દિવ્યા સાથે દિલીપનો કોઈ શારીરિક સંબંધ બંધાયો જ ન હતો, પરંતુ દિવ્યાએ દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટે ખોટી ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી. ઉપરાંત તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે, દિલીપે તેને ક્યાંય પણ બળજબરીપૂર્વક ફાર્મ હાઉસમાં ન હતો લઈ ગયો કે ના તેણે કોઈ દુષ્કર્મ આચર્યું હતું. પોતે રૂપિયાની લાલચમાં આવી જઈને મનીષા અને તેના સહઆરોપીઓના કહેવાથી ષડયંત્રમાં સામેલ થઈ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે.

દિવ્યાને એડવાન્સમાં 1 લાખ અપાયા હતા : કરોડપતિ દિલીપ આહીરને હની ટ્રેપમાં ફસાવવા માટે મનીષાએ દિવ્યાને એડવાન્સમાં એક લાખ રૂપિયા મોકલ્યા હતાં. જેમાંથી તેણે 40,000 અજય પ્રજાપતિને આપ્યા હતા તો 50,000 પોતાના ઘરે રાખેલાં અને 10,000 રૂપિયા સાથે લઈને ભુજ આવી હતી. પોલીસે દિવ્યા પાસે રહેલાં બે મોબાઈલ ફોન કબ્જે કર્યાં જતાં તો તપાસ દરમિયાન સામે આવ્યું હતું. એમ મનીષાએ દિવ્યા પાસેથી તેના વોટસએપનો ઓટીપી મેળવીને દિવ્યા બનીને દિલીપ સાથે સેટિંગ કરી હતી.

પોલીસ પાસે ઓડિયો ક્લિપના પુરાવા : ફરિયાદી દિવ્યા જ્યારે ભુજ આવી તે સમયે બપોરે મનીષા ગોસ્વામીએ તેને ઑડિયો મેસેજ કર્યા હતા. જેના પૂરાવા પોલીસ પાસે છે. દિવ્યાએ અજય પ્રજાપતિ અને અખલાક પઠાણ નામના શખ્સ સાથે વોટસએપ વીડિયો કોલ અને ચેટથી વાત કરી હતી, પરંતુ દિવ્યાએ તેને ડિલીટ કરી દીધી હતી, પરંતુ પોલીસે પૂરાવારૂપે તેના સ્ક્રિનશોટ્સ લઈ લીધાં છે. દિવ્યા અમદાવાદમાં બુટિક ચલાવતી હોવાનું દિલીપને જણાવીને પરિચય કેળવ્યો હતો.

વકીલ આરોપીઓએ કાયદાકીય રીતે ફસાવવા કર્યા સૂચન : પોલીસે આ બાબતે અહીં જ્યારે દિવ્યા ભુજ આવી ત્યારબાદ શું થયું તેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિવ્યા અહીં મોગલ ધામ મંદિરમાં દર્શનના બહાને ભુજ આવી હતી. શુક્રવારે સવારે દિવ્યા રિદ્ધિ, અઝીઝ નામના યુવક અને મનીષાના પતિ ગજુગીરી સાથે કારમાં અંજાર ગઈ હતી, જ્યાં તે એડવોકેટ આકાશ મકવાણાની ઑફિસે ગયેલી. જ્યાં વ્યવસાયે વકીલ અને આ પ્રકરણમાં આરોપી એવા આકાશ મકવાણાએ દિવ્યાને દિલીપ સાથે મોગલ માના દર્શને જઈ પરત આવતાં ગમે તે રીતે તેની સાથે શારીરિક સબંધ બાંધીને હોસ્પિટલમાં એટ્રોસિટી અને દુષ્કર્મના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવવાનો પ્લાન સમજાવ્યો હતો.

ખોટા ચક્કર આવવાનો અભિનય : ઉપરાંત આરોપી વકીલ આકાશે સહવકીલ કોમલ મકવાણા સાથે તેના ફોન પરથી દિવ્યાની વાત કરાવી હતી. જેમાં તેણીએ દિવ્યાને ખોટી ફરિયાદ કરવા અંગે જણાવ્યું હતું કે, તું અનુસૂચિત જાતિમાં આવે છે અને તારે ફરિયાદમાં જણાવવાનું કે દિલીપ મારી જાતિ વિરુધ્ધમાં બોલ્યો હતો જેથી કરીને તેના ઉપર એટ્રોસીટીની કલમો લાગશે. તો તે સિવાય ફાર્મ હાઉસમાં સીસીટીવી હોય તેમાં મોગલધામથી રિટર્ન થયા બાદ તેને ચક્કર આવી રહ્યા હોય તે રીતે નીચે પડતી હોય તેવો નાટક કરવા જણાવ્યું હતું.

પ્લાનિંગ મુજબ જઈ રહ્યું હતું સમગ્ર મામલો : ષડયંત્ર મુજબ દિવ્યા ચૌહાણ બસમાં એકલી અંજારથી આવી હતી. ત્યારબાદ દિલીપ તેને સેવન સ્કાય હોટેલમાં ફ્રેશ થવા લઈ ગયો હતો અને દિવ્યાના આઈડી પરથી રૂમ બુક કરાવી આપ્યો હતો. ત્યારબાદ તૈયાર થઈને મોગલધામ જવા માટે ફોન કરી જાણ કરવાનું કહી દિલીપ નીકળી ગયો હતો. ત્યારબાદ દિવ્યાએ મનીષા જોડે ફોન પર વાત કરેલી અને બધું પ્લાન મુજબ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

કોઈપણ જાતના શારીરિક સબંધ બંધાયા નહોતા : શુક્રવારે સાંજે 6:15 વાગ્યાના અરસામાં દિવ્યાએ દિલીપને વોટસએપ કોલ કરી હોટેલ પર બોલાવ્યો હતો અને બંને જણ કબરાઉ મોગલધામ દર્શન કરવા ગયા હતા. રાત્રે 8:30 વાગ્યે મોગલધામના દર્શન કરી બંને પરત થયા હતા. ત્યારબાદ દિલીપ તેને જમવા માટે મિત્રના ફાર્મ હાઉસ હાઈલેન્ડ ૫ર લઈ ગયો હતો. જ્યાં તેઓ જમ્યા ન હતા માત્ર થોડાક સમય માટે હસી-મજાકની વાતો કરી હતી, ત્યારબાદ દિવ્યા વૉશરૂમના બહાને રૂમની અંદર ગઈ હતી અને બેડની ચાદર અસ્તવ્યસ્ત કરી નાખીને પ્લાન મુજબ પરત ફરતી વખતે ચક્કર આવતા હોવાનું નાટક કરી સીસીટીવી કેમેરા નીચે આવીને બેસી ગઈ હતી.

મુખ્ય આરોપીને કરી ખોટી વાત :રાતે 10:45 વાગ્યે દિલીપ અને દિવ્યા હાઈલેન્ડથી સેવન સ્કાય જવા રવાના થયેલાં. હોટેલ ૫ર આવી દિવ્યાએ સેવન સ્કાય હોટેલના એન્ટ્રી ગેટના સીસીટીવી આગળ પણ પોતાને ચક્કર આવતાં હોય તેવું નાટક કર્યું હતું, પરંતુ દિલીપ દિવ્યાને ઉતારીને ચાલ્યો ગયો હતો. દિલીપના ગયા બાદ દિવ્યાએ મનીષા ગોસ્વામી, એડવોકેટ કોમલ મકવાણા અને આકાશ મકવાણા સાથે કોન્ફરન્સ કૉલ કર્યો હતો. જેમાં તેણે મનીષાની નારાજગી સહન ન કરવી પડે તે માટે દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટી વાત કરી હતી.

ષડયંત્ર મુજબ નોંધાવી ખોટી ફરિયાદ : મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને ઝડપથી હોટેલ બહાર નીકળવા અને બહા૨ તેનો માણસ અજાણી વ્યક્તિ બનીને હાજર છે તેવું જણાવ્યું હતું. પ્લાન મુજબ દિવ્યા હોટેલ બહાર નીકળીને અઝીઝે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી દિવ્યા સાથે જી.કે. જનરલ હોસ્પિટલે આવી હતી. જ્યાં દિવ્યાએ ષડયંત્ર મુજબ ડૉક્ટરને પોતાના પર દુષ્કર્મ થયો હોવાનું ખોટ ખોટું જણાવ્યું હતું અને દિલીપને ફોન કરીને દુષ્કર્મ કર્યા હોવાના કેસમાં ફસાવવાની વાત કરી 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

યુવકે આરોપના મારે આત્મહત્યા કરી : જ્યારે બીજા દિવસે શનિવારે વહેલી સવારે દિલીપે દેશલપર-નલિયા રોડ પર આવેલાં તેના પેટ્રોલ પંપ નજીક બાવળની ઝાડીમાં નાયલોનની દોરીથી આત્મહત્યા કરી લીધી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે આ પ્રકરણમાં હાલ દિવ્યા અને અઝીઝને રાઉન્ડ અપ કર્યાં છે. જ્યારે પ્રકરણમાં આરોપી એવા અંજારના બંને વકીલ નાસી છૂટ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. હાલમાં આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.

આરોપીએ જેલમાં બેસીને કરી રહ્યો હતો કાવતરું : જેલમાં બેસીને મુખ્ય આરોપી મહિલા મનીષા ગોસ્વામીએ આ ષડયંત્ર રચ્યું હતું. તો જેલમાં કંઈ રીતે ફોન કોલ અને વોટસએપના માધ્યમથી અન્ય આરોપીઓના સંપર્કમાં આવીને સમગ્ર કાવતરું રચ્યું તેમજ તેની મદદ કોણ કરી રહ્યું છે. તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો વગેરે બાબતે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

  1. Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
  2. Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો
  3. Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.