ETV Bharat / state

ગળતેશ્વરના વાડદમાં રોગચાળો વકર્યો, ઝાડા ઉલટીના 112 કેસ નોંધાયા

ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં પખવાડિયાથી વકરેલા રોગચાળાની સ્થિતિ બેકાબુ બનતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. પીવાના પાણીની લાઈનમાં ગટર લાઈન ભળતા ગામમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો છે. જેમાં અનેક લોકો સપડાયા છે. અત્યાર સુધી કુલ ૧૧૨ કેસ નોંધાવા પામ્યા છે જ્યારે ૨ વ્યક્તિના મોત થઇ ચુક્યા છે.

author img

By

Published : Jun 11, 2019, 4:29 AM IST

ગળતેશ્વરના વાડદમાં રોગચાળો વધુ વકર્યો

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણી સાથે ભળેલી ગટરને કારણે ગામમાં એકાએક ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હતો. જેમાં કેટલાક નાગરિકો સપડાયા હતા.15 દિવસથી ગામમાં ફેલાયેલા રોગચાળામાં દરરોજ અનેક વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર ખડે પગે છે પરંતુ સ્થિતિમાં નિયંત્રણ નહિ થતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વાડદ ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે આ મહામારીમાંથી મુક્તિ મળે તે માટે ૧ લાખની રકમની ગ્રાન્ટ આપી હતી.

ગળતેશ્વરના વાડદમાં રોગચાળો વધુ વકર્યો

આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા છતાં પણ વાડદ ગામમાં દરરોજ અનેક લોકોને ઝાડા ઉલટી થવાનું ચાલુ જ છે. જેને કારણે તાલુકા આરોગ્ય તંત્ર અને તેની ટીમ દ્વારા રોગચાળા ઉપર નિયંત્રણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ કરવા છતાં પણ ઝાડા ઉલટીના રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેથી દરરોજ અનેક લોકો રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગચાળાએ છેલ્લા 20 દિવસની અંદર 2 વ્યક્તિના ભોગ લીધા છે.

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણી સાથે ભળેલી ગટરને કારણે ગામમાં એકાએક ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હતો. જેમાં કેટલાક નાગરિકો સપડાયા હતા.15 દિવસથી ગામમાં ફેલાયેલા રોગચાળામાં દરરોજ અનેક વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર ખડે પગે છે પરંતુ સ્થિતિમાં નિયંત્રણ નહિ થતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વાડદ ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે આ મહામારીમાંથી મુક્તિ મળે તે માટે ૧ લાખની રકમની ગ્રાન્ટ આપી હતી.

ગળતેશ્વરના વાડદમાં રોગચાળો વધુ વકર્યો

આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા છતાં પણ વાડદ ગામમાં દરરોજ અનેક લોકોને ઝાડા ઉલટી થવાનું ચાલુ જ છે. જેને કારણે તાલુકા આરોગ્ય તંત્ર અને તેની ટીમ દ્વારા રોગચાળા ઉપર નિયંત્રણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ કરવા છતાં પણ ઝાડા ઉલટીના રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેથી દરરોજ અનેક લોકો રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગચાળાએ છેલ્લા 20 દિવસની અંદર 2 વ્યક્તિના ભોગ લીધા છે.

Intro:Body:



ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં  પખવાડિયાથી વકરેલા રોગચાળાની સ્થિતિ બેકાબુ બનતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે.પીવાના પાણીની લાઈનમાં ગટર લાઈન ભળતા ગામમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો છે.જેમાં અનેક લોકો સપડાયા છે.અત્યાર સુધી કુલ ૧૧૨ કેસ નોંધાવા પામ્યા છે જયારે ૨ વ્યક્તિના મોત થઇ ચુક્યા છે.



ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણી સાથે ભળેલી ગટરને કારણે ગામમાં એકાએક ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હતો.જેમાં કેટલાક નાગરિકો સપડાયા હતા.15 દિવસથી ગામમાં ફેલાયેલા રોગચાળામાં દરરોજ અનેક વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે.આરોગ્ય તંત્ર ખડે પગે છે પરંતુ સ્થિતિમાં નિયંત્રણ નહિ થતાં ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વાડદ ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે આ મહામારીમાંથી મુક્તિ મળે તે માટે ૧ લાખની રકમની ગ્રાન્ટ આપી હતી.



આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા છતાં પણ વાડદ ગામમાં દરરોજ અનેક લોકોને ઝાડા ઉલટી થવાનું ચાલુ જ છે.જેને કારણે તાલુકા આરોગ્ય તંત્ર અને તેની ટીમ દ્વારા રોગચાળા ઉપર નિયંત્રણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.તમામ પ્રકારની તૈયારીઓ કરવા છતાં પણ ઝાડા ઉલટીના રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેથી દરરોજ અનેક લોકો રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગચાળાએ છેલ્લા 20 દિવસની અંદર 2 વ્યક્તિના ભોગ લીધા છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.