નડિયાદ: નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ સંજોગોમાં આ મોબાઇલ એટીએમ વાન શહેરીજનોને મળવાથી શહેરમાં રહેતા નાગરિકો અને તેમા પણ ખાસ કરીને વયોવૃદ્ધ નાગરિકો અને બહેનોને મોટો લાભ થશે. તેઓએ આ મોબાઇલ વાન શહેરીજનોને ફાળવવા બદલ બેંક ઓફ બરોડાનો આભાર વ્યક્ત કર્યો હતો અને બેંક ઓફ બરોડાની આ સેવાઓને બિરદાવી હતી.
આ મોબાઇલ એટીએમ વાન દ્વારા શહેરીજનો વિવિધ બેંકના એટીએમ કાર્ડના માધ્યમથી પોતાના વિસ્તારમાં સરળતાથી અને સલામત રીતે નાણાં ઉપાડી શકશે. આ પ્રસંગે બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય શાખાના રીજીયોનલ મેનેજર મહેન્દ્ર બી. વાલા, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રીજીયોનલ મેનેજર મયુર ઇદનાની, ખેડા જિલ્લાના લીડ ડિસ્ટ્રીકટ મેનેજર દિવ્યેશ પરીખ, માર્કેટીંગ મેનેજર અર્પિત વ્યાસ તથા કોલેજ રોડ બ્રાન્ચના મેનેજ ખંડેલવાલ ઉપસ્થિત રહ્યાં હતાં.