- આજે ભાવિકોએ કર્યા પૂનમના દર્શન
- રણછોડરાયજી મંદિરમાં ભાવિકો માટે દર્શન ખુલ્યાં
- ભક્તોએ રાજાધિરાજના દર્શન કરી ધન્યતા અનુભવી
ડાકોરઃ રણછોડરાયજી મંદિર મેનેજમેન્ટ દ્વારા આજથી પૂનમે ભાવિકો માટે દર્શન દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ છ માસ બાદ આજે ભાવિકોએ રાજાધિરાજની પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારથી જ ઓનલાઈન બુકિંગ કરાવેલા ભાવિકોને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ભગવાન રણછોડરાયજીને પૌરાણિક મુગટ ધારણ કરાવાયો છે. જેની હાલ કરોડોમાં કિંમત થવા જઈ રહી છે.
![લોકડાઉન પછી છેલ્લા છ મહિના બાદ આજે પૂનમના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9369920_punam_darshan_7203754.jpg)
- આજે શ્રીજી મહારાજને દૂધપૌંવાનો પ્રસાદ