ETV Bharat / state

કપડવંજમાં વેપારી પરિવાર પર જીવલેણ હુમલો, 2ના મોત 1 ઘાયલ

author img

By

Published : Jul 6, 2019, 9:42 AM IST

ખેડાઃ જિલ્લાના કપડવંજમાં વેપારીના પરિવાર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી હતી. વેપારી તેમજ તેની માતાનું મોત નિપજાવવાના મામલામાં સ્થાનિક પોલીસ અને LCBદ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રૂપિયાની લેવડ-દેવડના મામલામાં હુમલો કર્યો હોવાનું આરોપીએ કબૂલાત કરી છે.

કપડવંજમાં વેપારી પરિવાર પર જીવલેણ હુમલો, બેનાં મોત એક ઘાયલ

ગત બુધવારે કપડવંજમાં એગ્રો બિયારણના વેપારી શ્યામ સામતાણી, તેમની વૃધ્ધ માતા ચંદ્રાબેન સામતાણી અને પત્ની અનિતાબેન સામતાણી ઉપર જીવલેણ હુમલો થયો હતો. જેમાં વેપારી અને તેમની વૃદ્ધ માતાનું મૃત્યુ થયું હતું. વેપારીની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલો કરી હત્યારો ભાગી ગયો હતો. જો કે, વેપારીની ઇજાગ્રસ્ત પત્નીએ હત્યારાની ઓળખ વીરેન્દ્ર હિતેન્દ્રભાઈ ગોહિલ તરીકે આપી હતી.

કપડવંજમાં વેપારી પરિવાર પર જીવલેણ હુમલો, બેનાં મોત એક ઘાયલ

સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી હતી. જેમાં સ્થાનિક પોલીસ અને LCBએ બાતમીને આધારે આરોપીને કપડવંજ મામલતદાર કચેરી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેણે હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યુ હતું અને વેપારીની પત્ની જીવિત રહેતાં તે ભાગી ગયો હતો.

ગુનેગાર વીરેન્દ્ર ગોહિલે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, મૃતક વેપારી શ્યામ બંસીલાલ સામતાણી પાસે પોતાને 7 લાખની લેવડ દેવડનો હિસાબ હતો. જે વ્યાજ સાથે આપી દેવાનું કહેતાં મૃતક વેપારીએ 16 લાખની માગણી કરતાં મામલો બીચકયો હતો. જેમાં હત્યારા વીરેન્દ્ર ગોહિલે વેપારીના ઘરે જઇ ધોળે દહાડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં શ્યામને બચાવવા પડેલ વૃદ્ધ માતા ચંદ્રાબેન અને પત્ની અનીતા ઉપર પણ ચાકુથી હુમલો કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. વેપારી શ્યામ અને માતા ચંદ્રાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અનિતાબેન હજુ પણ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેની ફરિયાદને આધારે પોલીસે આરોપી વીરેન્દ્રને પકડી જેલ ભેગો કરાયો છે.

ગત બુધવારે કપડવંજમાં એગ્રો બિયારણના વેપારી શ્યામ સામતાણી, તેમની વૃધ્ધ માતા ચંદ્રાબેન સામતાણી અને પત્ની અનિતાબેન સામતાણી ઉપર જીવલેણ હુમલો થયો હતો. જેમાં વેપારી અને તેમની વૃદ્ધ માતાનું મૃત્યુ થયું હતું. વેપારીની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલો કરી હત્યારો ભાગી ગયો હતો. જો કે, વેપારીની ઇજાગ્રસ્ત પત્નીએ હત્યારાની ઓળખ વીરેન્દ્ર હિતેન્દ્રભાઈ ગોહિલ તરીકે આપી હતી.

કપડવંજમાં વેપારી પરિવાર પર જીવલેણ હુમલો, બેનાં મોત એક ઘાયલ

સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી હતી. જેમાં સ્થાનિક પોલીસ અને LCBએ બાતમીને આધારે આરોપીને કપડવંજ મામલતદાર કચેરી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેણે હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યુ હતું અને વેપારીની પત્ની જીવિત રહેતાં તે ભાગી ગયો હતો.

ગુનેગાર વીરેન્દ્ર ગોહિલે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, મૃતક વેપારી શ્યામ બંસીલાલ સામતાણી પાસે પોતાને 7 લાખની લેવડ દેવડનો હિસાબ હતો. જે વ્યાજ સાથે આપી દેવાનું કહેતાં મૃતક વેપારીએ 16 લાખની માગણી કરતાં મામલો બીચકયો હતો. જેમાં હત્યારા વીરેન્દ્ર ગોહિલે વેપારીના ઘરે જઇ ધોળે દહાડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં શ્યામને બચાવવા પડેલ વૃદ્ધ માતા ચંદ્રાબેન અને પત્ની અનીતા ઉપર પણ ચાકુથી હુમલો કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. વેપારી શ્યામ અને માતા ચંદ્રાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અનિતાબેન હજુ પણ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેની ફરિયાદને આધારે પોલીસે આરોપી વીરેન્દ્રને પકડી જેલ ભેગો કરાયો છે.

R_GJ_KHD_01_05JULY19_HATYA_AAROPI_AV_DHARMENDRA_7203754

ખેડા જીલ્લાના કપડવંજમાં વેપારીના પરિવાર પર જીવલેણ હુમલો કરી વેપારી તેમજ તેની માતાનું મોત નિપજાવવાના મામલામાં સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.રૂપિયાની લેવડદેવડના મામલામાં હુમલો કર્યો હોવાનું આરોપીએ કબૂલાત કરી છે.
ગત બુધવારે કપડવંજમાં એગ્રો બિયારણના વેપારી શ્યામ સામતાણી,તેમની વૃધ્ધ માતા ચંદ્રાબેન સામતાણી અને પત્ની અનિતાબેન સામતાણી ઉપર જીવલેણ હુમલો થયો હતો.જેમાં વેપારી અને તેમની વૃધ્ધ માતાનું મૃત્યુ થયું અને વેપારીની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.ઘટનામાં જીવલેણ હુમલો કરી હત્યારો ભાગી ગયો હતો.જો કે વેપારીની ઇજાગ્રસ્ત પત્નીએ હત્યારાની ઓળખ વીરેન્દ્ર હિતેન્દ્રભાઈ ગોહિલ તરીકે આપી તેની વિગતો આપતા સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી હતી.જેમાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ પોતાના બતમીદારો અને આરોપીના નજીકના માણસો ઉપર દબાણ ઉભું કરી બાતમીને આધારે આરોપીને કપડવંજ મામલતદાર કચેરી પાસથી પકડી પાડ્યો હતો.આરોપીએ શરૂઆતમાં પોતે બેકસુર હોવાનું રટણ કર્યું હતું.જોકે વેપારીની પત્ની જીવિત હોવાનું જાણતા તે ભાગી પડ્યો હતો અને પોતે ડબલ હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું કબુલ્યું હતું.
હત્યારા વીરેન્દ્ર ગોહિલે પોલીસ સમક્ષ કરેલ કબુલાત મુજબ મૃતક વેપારી શ્યામ બંસીલાલ સામતાણી પાસે પોતાને 7 લાખની લેવડ દેવડ નો હિસાબ હતો.જે વ્યાજ સાથે આપી દેવાનું કહેતા મૃતક વેપારીએ 16 લાખની માગણી કરતા મામલો બીચકયો હતો.જેમાં હત્યારા વીરેન્દ્ર ગોહિલે વેપારીના ઘરે ધોળે દહાડે જઈ જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં શ્યામને બચાવવા પડેલ વૃદ્ધ માતા ચંદ્રાબેન અને પત્ની અનીતા ઉપર પણ ચાકુથી હુમલો કરી હત્યારો ફરાર થઇ ગયો હતો.જેમાં વેપારી શ્યામ અને માતા ચંદ્રાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અનિતાબેન હજુ પણ અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. જેની ફરિયાદને આધારે પોલીસે આરોપી વીરેન્દ્રને પકડી પાડી જેલ હવાલે કર્યો છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.