ETV Bharat / state

ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે મહા વદ પાંચમે શ્રી રણછોડરાયજી મંદિરના 249માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની ઉજવણી નિમિત્તે મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ઉત્સવ યોજાયા હતા. પાટોત્સવ નિમિત્તે રાજાધિરાજના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટ્યા હતા.

author img

By

Published : Feb 13, 2020, 3:56 PM IST

ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો
ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો

ખેડા : પાટોત્સવ એટલે ઠાકોરજીનું નવા મંદિરમાં પાટ (સિંહાસન)પર સ્થાપન કરી સેવા શરૂ કરવી. સન 1212માં ભક્ત બોડાણાની ભક્તિને માન આપી કાર્તિકી પૂનમના દિને ભગવાન રણછોડરાયજી ડાકોર પધાર્યા હતા. જ્યાં ઘણા વર્ષો સુધી ભગવાન હાલ જે લક્ષ્મીજીના મંદિર નજીક આવેલ ભક્ત બોડાણાનું ઘર છે. તે ઘરમાં રહ્યા હતા.

ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો

બાદમાં સન 1772ના મહા વદ પાંચમના દિવસે ઠાકોરજીને હાલ જે ભવ્ય મંદિર છે, તેની સ્થાપના કરી ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. આજ રોજ પાટોત્સવ મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા. સવારે મંગળા આરતી થઈ પંચામૃત સ્નાન થઈ મંગળા સેવામાં ભવ્ય શણગાર કરી રાજાધિરાજને શ્રૃંગાર આરતી પહેલા ઉત્સવ તિલક કરવામાં આવ્યું હતું. ઠાકોરજી રાજભોગમાં કંસાર ધારણ કરી મોટા મહાભોગમાં બિરાજમાન થયા હતા. મહાભોગની ઉત્સવ કપૂર આરતી કરવામાં આવી હતી.

પાટોત્સવની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સવારથી શ્રદ્ધાળુઓ મંદિર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ઉમટયા હતા.

ખેડા : પાટોત્સવ એટલે ઠાકોરજીનું નવા મંદિરમાં પાટ (સિંહાસન)પર સ્થાપન કરી સેવા શરૂ કરવી. સન 1212માં ભક્ત બોડાણાની ભક્તિને માન આપી કાર્તિકી પૂનમના દિને ભગવાન રણછોડરાયજી ડાકોર પધાર્યા હતા. જ્યાં ઘણા વર્ષો સુધી ભગવાન હાલ જે લક્ષ્મીજીના મંદિર નજીક આવેલ ભક્ત બોડાણાનું ઘર છે. તે ઘરમાં રહ્યા હતા.

ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો

બાદમાં સન 1772ના મહા વદ પાંચમના દિવસે ઠાકોરજીને હાલ જે ભવ્ય મંદિર છે, તેની સ્થાપના કરી ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. આજ રોજ પાટોત્સવ મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા. સવારે મંગળા આરતી થઈ પંચામૃત સ્નાન થઈ મંગળા સેવામાં ભવ્ય શણગાર કરી રાજાધિરાજને શ્રૃંગાર આરતી પહેલા ઉત્સવ તિલક કરવામાં આવ્યું હતું. ઠાકોરજી રાજભોગમાં કંસાર ધારણ કરી મોટા મહાભોગમાં બિરાજમાન થયા હતા. મહાભોગની ઉત્સવ કપૂર આરતી કરવામાં આવી હતી.

પાટોત્સવની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સવારથી શ્રદ્ધાળુઓ મંદિર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ઉમટયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.