ETV Bharat / state

ડાકોરમાં 2 કોમ વચ્ચે અથડામણ દરમિયાન પથ્થરમારો, 10 લોકો ઈજાગ્રસ્ત

ખેડાઃ ખેડા જિલ્લામાં ડાકોર પાસેના ઢુણાદરા ગામમાં ફટાકડા ફોડવા જેવી નાની વાતમાં બે કોમો વચ્ચે પથ્થમારો થયો હતો. જેમાં 10 લોકોને ઇજા પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનની તપાસ હાથ ધરી છે.

author img

By

Published : May 16, 2019, 2:08 PM IST

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા  ઢુણાદરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં 10 ઇજાગ્રસ્ત

ઠાસરા તાલુકામાં ડાકોર પાસે ઢુણાદરામાં બે કોમ વચ્ચે પથ્થમારો થયો હતો. વરઘોડામાં ફટાકડાં ન ફોડવા દેવા જેવી નાની વાતમાં બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. જેને થાળે પાડવા ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી છે. એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ તપાસ અર્થે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા ઢુણાદરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં 10 ઇજાગ્રસ્ત

ઠાસરા તાલુકામાં ડાકોર પાસે ઢુણાદરામાં બે કોમ વચ્ચે પથ્થમારો થયો હતો. વરઘોડામાં ફટાકડાં ન ફોડવા દેવા જેવી નાની વાતમાં બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. જેને થાળે પાડવા ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી છે. એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ તપાસ અર્થે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા ઢુણાદરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં 10 ઇજાગ્રસ્ત
R_GJ_KHD_01_16MAY19_ATHDAMAN_AV_DHARMENDRA_7203754 

ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરામાં ગત મોડી રાત્રે
લગ્નના વરઘોડામાં ધાર્મિક સ્થળ પાસે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારામાં ૧૦ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.બનાવ સંદર્ભે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ડાકોર નજીક આવેલા ઢુણાદરા ગામમાં આર્મી જવાનનું લગ્ન હોઈ ગત રાત્રે ગામમાં વરઘોડો નીકળ્યો હતો.જે વરઘોડો ધાર્મિક સ્થળ પાસેથી પસાર થતા ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી.જેને લઇ હિંસક બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો.જેમાં ૧૦ જેટલી વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા ડાકોર તેમજ ઠાસરા સહીત જીલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પરિસ્થિતિ થાળે પાડી ઘટના સંદર્ભે ડાકોર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે ઢુણાદરામાં અવારનવાર બે કોમ વચ્ચે અથડામણ સર્જાવાના બનાવો બને છે.જેને લઇ ગામમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવું ગામના જાગૃતજનો ઈચ્છી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.