ETV Bharat / state

સતત વધી રહ્યો છે કોરોનાનો ખતરો, છતાં જૂનાગઢવાસીઓ બની રહ્યા છે બેદરકાર - જૂનાગઢના લોકો પોતાની બેદરકારી અને સમજણને વધારે આગળ વધારી રહ્યા

રાજ્યમાં કોરોના વાઇરસ સતત પગ પેસારો કરી રહ્યો છે. હવે નાના શહેરો અને ગામો તરફ પણ સંક્રમણ ફેલાવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ જૂનાગઢ જિલ્લો કોરોના વાઇરસથી મુક્ત જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારે જૂનાગઢના લોકો પોતાની બેદરકારી અને સમજણને વધારે આગળ વધારી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યા નોંધાઈ શકે છે.

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ
author img

By

Published : Apr 24, 2020, 5:38 PM IST

જૂનાગઢ: રાજ્યમાં કોરોના વાઇરસ સતત પગ પેસારો કરી રહ્યો છે. હવે નાના શહેરો અને ગામો તરફ પણ સંક્રમણ ફેલાવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ જૂનાગઢ જિલ્લો કોરોના વાઇરસથી મુક્ત જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારે જૂનાગઢના લોકો પોતાની બેદરકારી અને સમજણને વધારે આગળ વધારી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યા નોંધાઈ શકે છે.

કોરોના વાઈરસનો ખતરો તેમ છતાં જૂનાગઢવાસીઓ બની રહ્યા છે, વધુ બેદરકાર
લોકડાઉનના સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. ખરીદી દરમિયાન દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું ,ટોળાના સમૂહમાં એક પણ જગ્યાએ એકઠું થવું નહીં કે તેનો ભાગ ન બનવુ, ઘરની બહાર નીકળતા પહેલા મોઢા પર માસ્ક અથવા કપડું બાંધવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શક્ય હોય તોજ જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે ઘરની બહાર નીકળવું તેવા આદેશો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યા છે.

પરંતુ લોકડાઉનના ત્રીસ દિવસ બાદ લોકો જે પ્રકારે બેદરકારી દાખવીને સામાજિક અંતર સહિત મોટાભાગની તકેદારીઓનો ઉલાળિયો કરતા જોવા મળ્યા હતા, તે બતાવી આપે છે કે, આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લો પણ કોરોના સંક્રમિત વ્યક્તિની હાજરીવાળો જિલ્લો બની જશે. તેનું પરિણામ બેદરકાર લોકોને કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાની જનતાને બનવું પડશે તો નવાઈ નહીં.

જૂનાગઢ: રાજ્યમાં કોરોના વાઇરસ સતત પગ પેસારો કરી રહ્યો છે. હવે નાના શહેરો અને ગામો તરફ પણ સંક્રમણ ફેલાવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ જૂનાગઢ જિલ્લો કોરોના વાઇરસથી મુક્ત જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારે જૂનાગઢના લોકો પોતાની બેદરકારી અને સમજણને વધારે આગળ વધારી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યા નોંધાઈ શકે છે.

કોરોના વાઈરસનો ખતરો તેમ છતાં જૂનાગઢવાસીઓ બની રહ્યા છે, વધુ બેદરકાર
લોકડાઉનના સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. ખરીદી દરમિયાન દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું ,ટોળાના સમૂહમાં એક પણ જગ્યાએ એકઠું થવું નહીં કે તેનો ભાગ ન બનવુ, ઘરની બહાર નીકળતા પહેલા મોઢા પર માસ્ક અથવા કપડું બાંધવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શક્ય હોય તોજ જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે ઘરની બહાર નીકળવું તેવા આદેશો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યા છે.

પરંતુ લોકડાઉનના ત્રીસ દિવસ બાદ લોકો જે પ્રકારે બેદરકારી દાખવીને સામાજિક અંતર સહિત મોટાભાગની તકેદારીઓનો ઉલાળિયો કરતા જોવા મળ્યા હતા, તે બતાવી આપે છે કે, આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લો પણ કોરોના સંક્રમિત વ્યક્તિની હાજરીવાળો જિલ્લો બની જશે. તેનું પરિણામ બેદરકાર લોકોને કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાની જનતાને બનવું પડશે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.