ETV Bharat / state

Sita Navami 2022: વૈશાખ સુદના દિવસે સીતા નવમી, જાણો તેનું મહત્વ - Ram Navami 2022

હિન્દુ કેલેન્ડર મુજબ આજે વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી માતાનો ( Sita Navami 2022)પ્રાગટ્ય દિવસ છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાનું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. મિથિલા રાજ્યના જનકપુરમાં આવેલું અને હાલ નેપાળ દેશમાં જોવા મળતું સીતા માતાનું મંદિર નવલખા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે.

Sita Navami 2022: વૈશાખ સુદના દિવસે સીતા નવમી, જાણો તેનું મહત્વ
Sita Navami 2022: વૈશાખ સુદના દિવસે સીતા નવમી, જાણો તેનું મહત્વ
author img

By

Published : May 10, 2022, 5:56 AM IST

જૂનાગઢઃ વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય( Sita Navami 2022)દિવસ છે. આ દિવસે જનકપુરીના રાજા જનક દ્વારા સંતાન પ્રાપ્તિ માટે ખેતીની જમીન તૈયાર કરતા હતા તેવા સમયે જમીનમાંથી સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા(junagadh sita navmi) આજે પણ જોવા મળે છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું જન્મ થયો હોવાનું ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે.

સીતા નવમી

વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી જયંતીનો તહેવાર - હિન્દુ કેલેન્ડર મુજબ આજે વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી માતાનો પ્રાગટ્ય દિવસ છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાનું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. જનકપુર મીથાલી રાજ્યની રાજધાની હતી. જે પ્રાચીન ભારત સાથે જોડાયેલી હતી જનક રાજા જનકપુરમાં જનક પરંપરાના 21માં રાજા હતા અને તેનું નામ સીરધ્વજ જનક હતુ સીરધ્વજ જનક પરમ શિવભક્ત હતા શિવની ભક્તિ જનક રાજાને એટલી હદે ફળી કે મહાદેવ સ્વયમ આવીને તેમનું ધનુષ્ય સીરધ્વજ જનકને અર્પણ કર્યું હતું. ત્યારથી શિવનું ધનુષ જનક રાજા પાસે જોવા મળતુ હતુ આ સમય દરમિયાન સીતામાતાએ પૂજાનો રૂમ સાફ કરતી વખતે શિવ ધનુષને એક હાથે ઊંચકેલું જોઈને રાજા જનક પણ ચોંકી ઉઠયા હતા અને તે સમયે જનક રાજા એ નક્કી કર્યું હતું કે જે પરાક્રમી કુમાર શિવ ધનુષની પ્રત્યંચાને ચડાવશે તેની સાથે સીતા માતાનો સ્વયંવર યોજાશે.

આ પણ વાંચોઃ રામ સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ

રામે શિવ ધનુષને તોડીને પોતે પરાક્રમી હોવાનું પૂરું પાડ્યું પ્રમાણ - જનક રાજાએ સીતાના સ્વયંવર દરમિયાન શિવ ધનુષની પ્રત્યંચા જે કુમાર ચઢાવશે તેની સાથે સીતાનો સ્વયંવર યોજાશે આ સ્વયંવરમાં અનેક પરાક્રમી યોદ્ધાઓ અને રાજકુમારો જોડાયા હતા. પરંતુ શિવ ધનુષની પ્રત્યંચા ચડાવવાનુ તો દૂર પરંતુ શિવ ધનુષ્ય ઉચકી શકવામાં પણ રાજકુમારો અને યોજનાઓ નિષ્ફળ રહ્યા હતા. આવા સમયે રામે શિવ ધનુષની પ્રત્યંચા ચઢાવવાની સાથે શિવ ધનુષ્ય ઊંચકીને તેના બે ટુકડા પણ કરી નાખ્યા હતા રામ આટલા પરાક્રમી યોદ્ધા છે તે જોઈને જનક રાજાએ સીતાના સ્વયંવર રામ સાથે કરવાનું નક્કી કર્યું.

જનકપુરમાં આવેલું સીતા મંદિર નવલખા મંદિર તરીકે પણ પ્રખ્યાત - મિથિલા રાજ્યના જનકપુરમાં આવેલું અને હાલ નેપાળ દેશમાં જોવા મળતું સીતા માતાનું મંદિર નવલખા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. ટીકમગઢના મહારાણી વૃષભા કુમારીએ નવ લાખ રૂપિયામાં જાનકી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જેથી તેને નવલખા મંદિર તરીકે પણ પૂજવામાં આવે છે માતા જાનકી લક્ષ્મીના સ્વરૂપ સમાન છે જાનકીનું પ્રાગટ્ય કોઈ માતાના ગર્ભમાંથી નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે આ સૃષ્ટિમાં પ્રગટ થયા હતા તેવી ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી માન્યતા મુજબ સીતા માતાના જનકપુરમાં પ્રાગટ્ય થયા બાદ અહીંનો દુષ્કાળ પણ દૂર થયો હતો.

આ પણ વાંચોઃ રવિ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં આજે ઉજવવામાં આવશે રામ નવમી

સીતા માતાનું પ્રાગટ્ય જમીનમાંથી થયું હોવાની છે ધાર્મિક માન્યતા - મિથિલા નરેશ રાજા જનક તેમના પ્રાંતમાં પડેલા દુષ્કાળ થી ખૂબ ચિંતિત અને વ્યથિત હતા જનક રાજાએ દુષ્કાળ દૂર કરવા માટે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની સભા બોલાવી અને તેમાં તેમના મતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની હાજરીમાં કહ્યું હતું કે તે પોતે ધર્મ અનુસાર શાસન કરે છે તેમ છતાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ તેમને મનો વ્યથિત કરી મૂકે છે ત્યારે ઋષિ-મુનિઓએ જનક રાજાને સુચન કર્યું હતું કે તે પોતે તેમના હાથે હળ ચલાવીને ખેતી કરે તો ઇન્દ્રદેવની કૃપા પામી શકાય તેમ છે અને પ્રાંતનો દુષ્કાળ દૂર થશે રાજા જનક દુષ્કાળ દૂર કરવા માટે ખેતીની જમીન ખેડી રહ્યા હતા આવા સમયે એ હળ ખેતરમાં એક જગ્યા પર અટકી પડ્યું રાજા જનકે તે જમીનમાં ખોદાણ કરતા અંદર થી સીતા માતાનો પ્રાગટ્ય થયુ ત્યારથી સીતામાતા જનક રાજાના પુત્રી તરીકે આજે પણ સમગ્ર જગતમાં પુજાઇ રહ્યા છે જેનો પ્રાગટ્ય દિવસ છે.

જૂનાગઢઃ વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય( Sita Navami 2022)દિવસ છે. આ દિવસે જનકપુરીના રાજા જનક દ્વારા સંતાન પ્રાપ્તિ માટે ખેતીની જમીન તૈયાર કરતા હતા તેવા સમયે જમીનમાંથી સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા(junagadh sita navmi) આજે પણ જોવા મળે છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું જન્મ થયો હોવાનું ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે.

સીતા નવમી

વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી જયંતીનો તહેવાર - હિન્દુ કેલેન્ડર મુજબ આજે વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી માતાનો પ્રાગટ્ય દિવસ છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાનું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. જનકપુર મીથાલી રાજ્યની રાજધાની હતી. જે પ્રાચીન ભારત સાથે જોડાયેલી હતી જનક રાજા જનકપુરમાં જનક પરંપરાના 21માં રાજા હતા અને તેનું નામ સીરધ્વજ જનક હતુ સીરધ્વજ જનક પરમ શિવભક્ત હતા શિવની ભક્તિ જનક રાજાને એટલી હદે ફળી કે મહાદેવ સ્વયમ આવીને તેમનું ધનુષ્ય સીરધ્વજ જનકને અર્પણ કર્યું હતું. ત્યારથી શિવનું ધનુષ જનક રાજા પાસે જોવા મળતુ હતુ આ સમય દરમિયાન સીતામાતાએ પૂજાનો રૂમ સાફ કરતી વખતે શિવ ધનુષને એક હાથે ઊંચકેલું જોઈને રાજા જનક પણ ચોંકી ઉઠયા હતા અને તે સમયે જનક રાજા એ નક્કી કર્યું હતું કે જે પરાક્રમી કુમાર શિવ ધનુષની પ્રત્યંચાને ચડાવશે તેની સાથે સીતા માતાનો સ્વયંવર યોજાશે.

આ પણ વાંચોઃ રામ સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ

રામે શિવ ધનુષને તોડીને પોતે પરાક્રમી હોવાનું પૂરું પાડ્યું પ્રમાણ - જનક રાજાએ સીતાના સ્વયંવર દરમિયાન શિવ ધનુષની પ્રત્યંચા જે કુમાર ચઢાવશે તેની સાથે સીતાનો સ્વયંવર યોજાશે આ સ્વયંવરમાં અનેક પરાક્રમી યોદ્ધાઓ અને રાજકુમારો જોડાયા હતા. પરંતુ શિવ ધનુષની પ્રત્યંચા ચડાવવાનુ તો દૂર પરંતુ શિવ ધનુષ્ય ઉચકી શકવામાં પણ રાજકુમારો અને યોજનાઓ નિષ્ફળ રહ્યા હતા. આવા સમયે રામે શિવ ધનુષની પ્રત્યંચા ચઢાવવાની સાથે શિવ ધનુષ્ય ઊંચકીને તેના બે ટુકડા પણ કરી નાખ્યા હતા રામ આટલા પરાક્રમી યોદ્ધા છે તે જોઈને જનક રાજાએ સીતાના સ્વયંવર રામ સાથે કરવાનું નક્કી કર્યું.

જનકપુરમાં આવેલું સીતા મંદિર નવલખા મંદિર તરીકે પણ પ્રખ્યાત - મિથિલા રાજ્યના જનકપુરમાં આવેલું અને હાલ નેપાળ દેશમાં જોવા મળતું સીતા માતાનું મંદિર નવલખા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. ટીકમગઢના મહારાણી વૃષભા કુમારીએ નવ લાખ રૂપિયામાં જાનકી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જેથી તેને નવલખા મંદિર તરીકે પણ પૂજવામાં આવે છે માતા જાનકી લક્ષ્મીના સ્વરૂપ સમાન છે જાનકીનું પ્રાગટ્ય કોઈ માતાના ગર્ભમાંથી નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે આ સૃષ્ટિમાં પ્રગટ થયા હતા તેવી ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી માન્યતા મુજબ સીતા માતાના જનકપુરમાં પ્રાગટ્ય થયા બાદ અહીંનો દુષ્કાળ પણ દૂર થયો હતો.

આ પણ વાંચોઃ રવિ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં આજે ઉજવવામાં આવશે રામ નવમી

સીતા માતાનું પ્રાગટ્ય જમીનમાંથી થયું હોવાની છે ધાર્મિક માન્યતા - મિથિલા નરેશ રાજા જનક તેમના પ્રાંતમાં પડેલા દુષ્કાળ થી ખૂબ ચિંતિત અને વ્યથિત હતા જનક રાજાએ દુષ્કાળ દૂર કરવા માટે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની સભા બોલાવી અને તેમાં તેમના મતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની હાજરીમાં કહ્યું હતું કે તે પોતે ધર્મ અનુસાર શાસન કરે છે તેમ છતાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ તેમને મનો વ્યથિત કરી મૂકે છે ત્યારે ઋષિ-મુનિઓએ જનક રાજાને સુચન કર્યું હતું કે તે પોતે તેમના હાથે હળ ચલાવીને ખેતી કરે તો ઇન્દ્રદેવની કૃપા પામી શકાય તેમ છે અને પ્રાંતનો દુષ્કાળ દૂર થશે રાજા જનક દુષ્કાળ દૂર કરવા માટે ખેતીની જમીન ખેડી રહ્યા હતા આવા સમયે એ હળ ખેતરમાં એક જગ્યા પર અટકી પડ્યું રાજા જનકે તે જમીનમાં ખોદાણ કરતા અંદર થી સીતા માતાનો પ્રાગટ્ય થયુ ત્યારથી સીતામાતા જનક રાજાના પુત્રી તરીકે આજે પણ સમગ્ર જગતમાં પુજાઇ રહ્યા છે જેનો પ્રાગટ્ય દિવસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.