ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયા : આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન

author img

By

Published : Mar 6, 2020, 9:35 AM IST

Updated : Mar 6, 2020, 12:10 PM IST

ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીનો મેળો યોજાતો આવ્યો છે. પ્રાચીન માન્યતા અનુસાર આ મેળાની શરૂઆત મહાભારત કાળથી અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હોવાની ધાર્મિક માન્યતાઓ છે. આ મેળામાં ભગવાન શિવના સૈનિક નાગા સંન્યાસીઓ દ્વારા શિવરાત્રીના દિવસે રવેડી કાઢી અને ત્યારબાદ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરીને આ મેળાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે.

આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન

જૂનાગઢ : શહેરમાં આદી અનાદીકાળથી ભવનાથની ગિરી તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે આયોજન થતું આવ્યું છે. હિન્દુ ધર્મની પ્રાચીન માન્યતાઓ અનુસાર આ મેળાની શરૂઆત મહાભારતકાળમાં અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હોવાની ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળે છે. નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કર્યા બાદ મેળાની વિધિવત શરૂઆત થાય છે અને મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ આ મેળો પૂર્ણ થાય છે.

આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
શિવરાત્રિના મેળામાં શિવના સૈનિક નાગા સંન્યાસીઓનું ખાસ મહત્વ જોવા મળે છે. જે પ્રકારે ભવનાથ તળેટીના શિવરાત્રી મેળોનું આયોજન થાય છે. તે પ્રકારનો એક પણ મેળો સમગ્ર ભારત વર્ષમાં આયોજિત થતો નથી. આ મેળાના હાર્દમાં નાગા સંન્યાસીઓ હોય છે. શિવરાત્રીના દિવસે આ નાગા સંન્યાસીઓ વિશાળ રવેડી કાઢીને મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે. નાગા સંન્યાસીઓ દ્વારા કાઢવામાં આવતી રવેડી સમગ્ર ભારત વર્ષમાં કાઢવામાં આવતી રવેડીઓમા એક વિશેષ સ્થાન અને મહત્વ ધરાવે છે. જેમાં વિવિધ અંગ કસરતના દાવો કરીને નાગા સંન્યાસીઓ ઉપસ્થિત ભક્તોનો મનોરંજન પણ કરે છે, ત્યારબાદ રવેડી ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે. પ્રાચીન ધાર્મિક હિન્દુ માન્યતાઓ મુજબ રવેડીમાં ભગવાન શિવ નાગા સંન્યાસીનું રૂપ ધારણ કરીને તેમાં સામેલ થાય છે અને મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરીને પાતાળલોકમાં અદ્રશ્ય થાય છે.
રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન

જૂનાગઢ : શહેરમાં આદી અનાદીકાળથી ભવનાથની ગિરી તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે આયોજન થતું આવ્યું છે. હિન્દુ ધર્મની પ્રાચીન માન્યતાઓ અનુસાર આ મેળાની શરૂઆત મહાભારતકાળમાં અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હોવાની ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળે છે. નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કર્યા બાદ મેળાની વિધિવત શરૂઆત થાય છે અને મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ આ મેળો પૂર્ણ થાય છે.

આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
શિવરાત્રિના મેળામાં શિવના સૈનિક નાગા સંન્યાસીઓનું ખાસ મહત્વ જોવા મળે છે. જે પ્રકારે ભવનાથ તળેટીના શિવરાત્રી મેળોનું આયોજન થાય છે. તે પ્રકારનો એક પણ મેળો સમગ્ર ભારત વર્ષમાં આયોજિત થતો નથી. આ મેળાના હાર્દમાં નાગા સંન્યાસીઓ હોય છે. શિવરાત્રીના દિવસે આ નાગા સંન્યાસીઓ વિશાળ રવેડી કાઢીને મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે. નાગા સંન્યાસીઓ દ્વારા કાઢવામાં આવતી રવેડી સમગ્ર ભારત વર્ષમાં કાઢવામાં આવતી રવેડીઓમા એક વિશેષ સ્થાન અને મહત્વ ધરાવે છે. જેમાં વિવિધ અંગ કસરતના દાવો કરીને નાગા સંન્યાસીઓ ઉપસ્થિત ભક્તોનો મનોરંજન પણ કરે છે, ત્યારબાદ રવેડી ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે. પ્રાચીન ધાર્મિક હિન્દુ માન્યતાઓ મુજબ રવેડીમાં ભગવાન શિવ નાગા સંન્યાસીનું રૂપ ધારણ કરીને તેમાં સામેલ થાય છે અને મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરીને પાતાળલોકમાં અદ્રશ્ય થાય છે.
રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન
Last Updated : Mar 6, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.