કેન્દ્રીય સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય નાગરિકતા કાયદાને બનાવવામાં આવ્યો છે. જેને લઈને હવે જૂનાગઢ જિલામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લા લઘુમતી સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ કાયદાને લઘુમતી સમાજ વિરુદ્ધ ગણાવીને આવા કાયદાનો વિરોધ કર્યો હતો.
તેમજ આ કાયદો તાકીદે કેન્દ્રીય સરકાર દ્વારા પરત લેવાઈ તેવી માગ કરતુ રાષ્ટ્રપતિને સંબોધીને આવેનદપત્ર આપ્યું હતું.