ETV Bharat / state

વાયુ વાવાઝોડાની અસરથી ગંગેશ્વર મહાદેવ અરબી સમુદ્રના પાણીમાં થયા ગરક

author img

By

Published : Jun 14, 2019, 3:56 AM IST

જૂનાગઢ: વાયુ નામના વાવાઝોડાને પગલે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળતા અહીં બિરાજતા ગંગેશ્વર મહાદેવ પણ અરબી સમુદ્રના પાણીમાં ગરક થઈ ગયા હતા.

ગેશ્વર મહાદેવ અરબી સમુદ્રના પાણીમાં થયા ગરક


અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા અને દીવ વેરાવળ અને પોરબંદર તરફ આગળ વધી રહેલા વાયુ નામનું વાવાઝોડું ગુજરાતના બંદરો પર ત્રાટકે તેવી શક્યતાઓ હતી. સદનસીબે વાવાઝોડાએ દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ વાયુ વાવાઝોડાને કારણે દરિયામાં ભારે અસર જોવા મળી હતી. જેના પગલે દરિયામાં બેથી પાંચ મીટર જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. જે સામાન્ય કરતા ખૂબ મોટા માનવામાં આવી રહ્યા હતા. મહાભારતકાળના સમયમાં દીવના દરિયાકાંઠે વનવાસ દરમિયાન પાંડવો દ્વારા અહીં સ્થાપવામાં આવેલું ગંગેશ્વર મહાદેવ પણ બિલકુલ દરિયાને સમીપ છે ત્યારે દરિયામાં ભારે કરંટ હોવાને કારણે મહાદેવ પણ દરિયાના પાણીમાં ગરક થઈ ગયા હતા.

ગેશ્વર મહાદેવ અરબી સમુદ્રના પાણીમાં થયા ગરક

ધાર્મિક માન્યતા મુજબ અહીં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા અને પાંચે ભાઈઓ શિવલિંગનું સ્થાપન કરીને તે મહાદેવને ગંગેશ્વર મહાદેવ નામ આપ્યું હતું. જે તે સમયે ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી ત્યારે દરિયો અહીંથી ખૂબ દૂર હતો. પરંતુ સમયાંતરે અને કાળક્રમે દરિયાનો વિસ્તારમાં વધારો થતા ગંગેશ્વર મહાદેવ હવે દરિયાની બિલકુલ સમીપ થયા હતા. દરિયામાં કરંટ અને ઉંચા મોજા હોવાને કારણે ગંગેશ્વર મહાદેવ દરિયામાં ગરક થઇ ગયા હતા.


અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા અને દીવ વેરાવળ અને પોરબંદર તરફ આગળ વધી રહેલા વાયુ નામનું વાવાઝોડું ગુજરાતના બંદરો પર ત્રાટકે તેવી શક્યતાઓ હતી. સદનસીબે વાવાઝોડાએ દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ વાયુ વાવાઝોડાને કારણે દરિયામાં ભારે અસર જોવા મળી હતી. જેના પગલે દરિયામાં બેથી પાંચ મીટર જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. જે સામાન્ય કરતા ખૂબ મોટા માનવામાં આવી રહ્યા હતા. મહાભારતકાળના સમયમાં દીવના દરિયાકાંઠે વનવાસ દરમિયાન પાંડવો દ્વારા અહીં સ્થાપવામાં આવેલું ગંગેશ્વર મહાદેવ પણ બિલકુલ દરિયાને સમીપ છે ત્યારે દરિયામાં ભારે કરંટ હોવાને કારણે મહાદેવ પણ દરિયાના પાણીમાં ગરક થઈ ગયા હતા.

ગેશ્વર મહાદેવ અરબી સમુદ્રના પાણીમાં થયા ગરક

ધાર્મિક માન્યતા મુજબ અહીં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા અને પાંચે ભાઈઓ શિવલિંગનું સ્થાપન કરીને તે મહાદેવને ગંગેશ્વર મહાદેવ નામ આપ્યું હતું. જે તે સમયે ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી ત્યારે દરિયો અહીંથી ખૂબ દૂર હતો. પરંતુ સમયાંતરે અને કાળક્રમે દરિયાનો વિસ્તારમાં વધારો થતા ગંગેશ્વર મહાદેવ હવે દરિયાની બિલકુલ સમીપ થયા હતા. દરિયામાં કરંટ અને ઉંચા મોજા હોવાને કારણે ગંગેશ્વર મહાદેવ દરિયામાં ગરક થઇ ગયા હતા.

વાયુ નામનાં વાવાઝોડાને પગલે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળતા અહીં બિરાજતા ગંગેશ્વર મહાદેવ પણ અરબી સમુદ્રના પાણીમાં ગરક થઈ ગયા હતા


છેલ્લા ૪૮ કલાકથી અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલ અને દીવ વેરાવળ અને પોરબંદર તરફ આગળ વધી રહેલા વાયુ નામનું વાવાઝોડું ગુજરાતના બંદરો પર ત્રાટકે તેવી શક્યતાઓ હતી સદનસીબે વાવાઝોડાએ દિસા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ વાયુ વાવાઝોડાને કારણે દરિયામાં ભારે અસર જોવા મળી રહ્યો છે જેને પગલે દરિયામાં બેથી પાંચ મીટર જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જે સામાન્ય કરતા ખૂબ મોટા માનવામાં આવી રહ્યા છે મહાભારતકાળના સમયમાં દીવના દરિયાકાંઠે વનવાસ દરમ્યાન પાંડવો દ્વારા અહીં સ્થાપવામાં આવેલું ગંગેશ્વર મહાદેવ પણ બિલકુલ દરિયાને સમીપ છે ત્યારે દરિયામાં ભારે કરંટ હોવાને કારણે મહાદેવ પણ દરિયાના પાણીમાં ગરક થઈ ગયા હતા ધાર્મિક માન્યતા મુજબ અહીં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા અને પાંચે ભાઈઓ શિવલિંગ નું સ્થાપન કરીને તે મહાદેવને ગંગેશ્વર મહાદેવ નામ આપ્યું હતું જે તે સમયે ગંગેશ્વર મહાદેવ ની સ્થાપના કરવામાં આવી ત્યારે દરિયો અહીંથી ખૂબ દૂર હતો પરંતુ સમયાંતરે અને કાળક્રમે દરિયાનો વિસ્તારમાં વધારો થતા ગંગેશ્વર મહાદેવ હવે દરિયાની બિલકુલ સમીપ ચાલ્યા ગયા છે ત્યારે આજે દરિયામાં કરંટ અને ઉંચા મોજા હોવાને કારણે ગંગેશ્વર મહાદેવ દરિયામાં ગરક થઇ ગયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.