ETV Bharat / state

જૂનાગઢમાં અનુયાયીઓની ગેરહાજરીમાં પણ પાદરી દરરોજ કરી રહ્યા છે પ્રાર્થના સભા

author img

By

Published : Jun 7, 2020, 4:41 PM IST

જૂનાગઢમાં આવેલા દેવળના પાદરીએ વિશેષ વ્યવસ્થા દ્વારા અનુયાયીઓની પ્રત્યક્ષ ગેરહાજરી વચ્ચે પણ પ્રાથના સભા યોજે છે. આ પ્રાર્થના સભામાં ચર્ચની બેઠક પર શ્રદ્ધાળુંના નામ લખવામાં આવ્યું છે, જે તેમની પરોક્ષ હાજરી દર્શાવે છે.

junagadh church
junagadh church

જૂનાગઢઃ શહેરમાં આવેલા દેવળના પાદરીએ અનોખી વ્યવસ્થા કરી છે. છેલ્લા 70 દિવસ સુધી ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ છેલ્લા 6 દિવસથી શરૂ થયેલા અનલોક-1 દરમિયાન પાદરી અનુયાયીઓની પ્રત્યક્ષ ગેરહાજરી વચ્ચે ચર્ચામાં દરરોજ પ્રાર્થના સભા અને પૂજા કરી રહ્યા છે.

70 દિવસ કરતા વધુ ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ શરૂ થયેલા અનલોક-1ના તબક્કામાં દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢમાં આવેલા દેવળના પાદરીએ અનોખી અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાદરીએ દેવળમાં આવતા અનુયાયીઓના નામ અહીં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર કાગળ પર લખીને ચોંટાડી દીધા છે. જેને લઇને દરેક અનુયાયીઓ નિયમિત રીતે યોજવામાં આવતી પ્રાર્થના સભા અને પૂજામાં પ્રત્યક્ષ નહીં તો, પરોક્ષ રીતે પણ હાજર રહી શકે છે.

અનુયાયીઓની ગેરહાજરીમાં પણ દરરોજ પાદરી કરી રહ્યા છે પ્રાર્થના સભા

સમગ્ર વ્યવસ્થા અંગે દેવળના પાદરી ફાધર વિનોદ સમગ્ર વ્યવસ્થા અંગે જણાવ્યું હતું. તેમના મતે અહીં નિયમિત દરેક પ્રાર્થના સભામાં હાજરી આપતા અનુયાયીઓની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હાજરીની નોંધ રાખવામાં આવી છે. અનુયાયીઓની પરોક્ષ હાજરીની વચ્ચે ભગવાન ઇસુની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે.

prayer meeting
નુયાયીઓની ગેરહાજરીમાં પણ દરરોજ પાદરી કરી રહ્યા છે પ્રાર્થના સભા

ફાધર વિનોદે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે કરવામાં આવતી ભગવાન ઈસુની પૂજા અને પ્રાર્થના તેમના સુધી પહોંચે છે, અને તેમના દ્વારા મળતી ઉર્જા આપણને કેટલીક સાવચેતી સાથે કોરોના વાઇરસની લડાઈમાં ઝડપથી વિજય હાંસલ થશે તેવો વિશ્વાસ ફાધર વિનોદે વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢઃ શહેરમાં આવેલા દેવળના પાદરીએ અનોખી વ્યવસ્થા કરી છે. છેલ્લા 70 દિવસ સુધી ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ છેલ્લા 6 દિવસથી શરૂ થયેલા અનલોક-1 દરમિયાન પાદરી અનુયાયીઓની પ્રત્યક્ષ ગેરહાજરી વચ્ચે ચર્ચામાં દરરોજ પ્રાર્થના સભા અને પૂજા કરી રહ્યા છે.

70 દિવસ કરતા વધુ ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ શરૂ થયેલા અનલોક-1ના તબક્કામાં દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢમાં આવેલા દેવળના પાદરીએ અનોખી અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાદરીએ દેવળમાં આવતા અનુયાયીઓના નામ અહીં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર કાગળ પર લખીને ચોંટાડી દીધા છે. જેને લઇને દરેક અનુયાયીઓ નિયમિત રીતે યોજવામાં આવતી પ્રાર્થના સભા અને પૂજામાં પ્રત્યક્ષ નહીં તો, પરોક્ષ રીતે પણ હાજર રહી શકે છે.

અનુયાયીઓની ગેરહાજરીમાં પણ દરરોજ પાદરી કરી રહ્યા છે પ્રાર્થના સભા

સમગ્ર વ્યવસ્થા અંગે દેવળના પાદરી ફાધર વિનોદ સમગ્ર વ્યવસ્થા અંગે જણાવ્યું હતું. તેમના મતે અહીં નિયમિત દરેક પ્રાર્થના સભામાં હાજરી આપતા અનુયાયીઓની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હાજરીની નોંધ રાખવામાં આવી છે. અનુયાયીઓની પરોક્ષ હાજરીની વચ્ચે ભગવાન ઇસુની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે.

prayer meeting
નુયાયીઓની ગેરહાજરીમાં પણ દરરોજ પાદરી કરી રહ્યા છે પ્રાર્થના સભા

ફાધર વિનોદે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે કરવામાં આવતી ભગવાન ઈસુની પૂજા અને પ્રાર્થના તેમના સુધી પહોંચે છે, અને તેમના દ્વારા મળતી ઉર્જા આપણને કેટલીક સાવચેતી સાથે કોરોના વાઇરસની લડાઈમાં ઝડપથી વિજય હાંસલ થશે તેવો વિશ્વાસ ફાધર વિનોદે વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.