ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર ડેમ પાસે કરવામાં આવતી ખનીજ ચોરીને લઈ આજે મીડિયાને સંબોધન કર્યું હતું. વસોયાએ કહ્યું કે અગાઉ અનેક વખત ભાદર 2 ડેમ પાસે થતી ખનીજ ચોરીને લઈને રજૂઆતો કરવામાં આવી છે. ખનિજ ચોરીના કારણે તેમના પાયા ઉઘાડા થઈ ગયા છે. જો આ ખનિજ ચોરી બંધ કરવામાં નહીં. આવે તો ડેમ તૂટી જવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે રાજકોટ પંથકમાં રહેતા નાગરિકોને મળતું પાણી મળી શકશે નહીં.
ભાદર 2 જળસંપતિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેરને સિંચાઈ યોજના યોજના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રાજકોટને અનેક વખત રજૂઆતો કરી છે. સિંચાઈ યોજનાની નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના કારણે નુકસાન થવાનું પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું. હોવાના કારણે હોવાના કારણે અગાઉ મુખ્યપ્રધાન અને જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા રજૂઆત જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. સીધી રીતે જ મુખ્ય પ્રધાન પ્રધાન કાર્યાલયથી ખનીજ માફિયાઓને આશીર્વાદ મળી રહ્યા છે. ધારાસભ્ય વસોયાએ એવી ચીમકી પણ આપી હતી. કે જો સરકાર આ બાબતે પગલા નહીં ભરે તો તેઓ ઉપવાસ આંદોલન કરશે.
રેતી ખનન કરતા માફીયાઓ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. લલિત વસોયા કહ્યું કે, તેમની પાસે એક આઈએએસ અધિકારી દ્વારા પગલાં ભરવામાં નહીં આવતા હોવાની રજૂઆત બાબતે કરેલી 12 મિનિટની ઓડિયો ક્લિપ પણ છે. અધિકારીઓ નિવૃત્ત થાય ત્યારબાદ તેમની સંમતિ સાથે મીડિયા સમક્ષ રજૂ કરીને ખનીજ માફિયાઓને ઉઘાડા પાડવામાં આવશે. તેમ પણ જણાવ્યું હતું.