ETV Bharat / state

જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરાઇ

author img

By

Published : Sep 23, 2020, 7:53 PM IST

જામનગરમાં જોડિયા મામણમોરા રેક્લેમેશન બંધ દરિયા કિનારે રાજાશાહી વખતમાં બનાવવામાં આવ્યા હતા. જેમાં ગતવર્ષમાં ભારે વરસાદ અને આજી ડેમના દરવાજા ખોલવાને કારણે તેમાં ગાબડા પડી જતા ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળ્યાં હતા.

etv bharat
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત.

જામનગર : જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડે આવેલો છે. આ દરિયાઈ વિસ્તારનું ખારું પાણી આ ફળદ્રુપ જમીન વિસ્તારમાં ન આવે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે દરિયા કિનારે રાજાશાહી વખતનો જોડીયા માણામોરા રેકલેમેશન બંધ બાંધવામાં આવેલો હતો. ગત વર્ષ 2019માં ભારે વરસાદના કારણે આજીડેમ ચારમાંથી 52 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે પાણીના ઘસમસતા પ્રવાહથી રણજીતપર ગામ નજીક કોઝવે નંબર પાંચ અને છ વચ્ચે મોટા ગાબડા પડી જવાને કારણે ખેડૂતોની જમીન દરિયાના પાણીમાં સમાઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જ્યારે વર્તમાન પરિસ્થિતીમાં આ જમીન ખેડૂતોના ખાતે ખાલી સર્વે નંબર બોલે તેવી રહી છે.

etv bharat
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત.
જેને લઇને રણજીતપર ગામના ખેડૂતો દ્વારા અધિક્ષક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, રાજકોટના અધિકારીઓને લેખિત, ગામ પંચાયત તેમજ ગામના ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અનેક વખત બંધ બાંધવા છતાં પણ પાણીમાં ધોવાણ થઈ જવાથી ખેડૂતોનો રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરીને અધિકારીઓને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. આગામી દિવસોમાં સત્વરે આ પારો બાંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિક ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
etv bharat
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત.

જામનગર : જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડે આવેલો છે. આ દરિયાઈ વિસ્તારનું ખારું પાણી આ ફળદ્રુપ જમીન વિસ્તારમાં ન આવે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે દરિયા કિનારે રાજાશાહી વખતનો જોડીયા માણામોરા રેકલેમેશન બંધ બાંધવામાં આવેલો હતો. ગત વર્ષ 2019માં ભારે વરસાદના કારણે આજીડેમ ચારમાંથી 52 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે પાણીના ઘસમસતા પ્રવાહથી રણજીતપર ગામ નજીક કોઝવે નંબર પાંચ અને છ વચ્ચે મોટા ગાબડા પડી જવાને કારણે ખેડૂતોની જમીન દરિયાના પાણીમાં સમાઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો હતો. જ્યારે વર્તમાન પરિસ્થિતીમાં આ જમીન ખેડૂતોના ખાતે ખાલી સર્વે નંબર બોલે તેવી રહી છે.

etv bharat
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત.
જેને લઇને રણજીતપર ગામના ખેડૂતો દ્વારા અધિક્ષક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, રાજકોટના અધિકારીઓને લેખિત, ગામ પંચાયત તેમજ ગામના ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અનેક વખત બંધ બાંધવા છતાં પણ પાણીમાં ધોવાણ થઈ જવાથી ખેડૂતોનો રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરીને અધિકારીઓને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. આગામી દિવસોમાં સત્વરે આ પારો બાંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિક ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
etv bharat
જામનગર: ખેડૂતોની જમીનમાં ખારા પાણી ફરી વળતા અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.