ETV Bharat / state

હે રામ ગયો ! જામનગરમાં રખડતા ઢોરે વાહનચાલકને ફંગોળ્યો, જુઓ સમગ્ર બનાવના ચોંકાવનારા CCTV ફૂટેજ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 5:18 PM IST

રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસની ગંભીર સમસ્યા રૂપે નોંધી લેવામાં આવી છે. આ વાતને સત્ય પુરવાર કરતો બનાવ જામનગર શહેરમાં બન્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક રખડતા ઢોરે રસ્તા પર જઈ રહેલા વાહનચાલકને અડફેટે લીધો હતો. જોકે વાહનચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

હે રામ ગયો !
હે રામ ગયો !
હે રામ ગયો ! જામનગરમાં રખડતા ઢોરે વાહનચાલકને ફંગોળ્યો

જામનગર : જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા યથાવત રહી છે. અગાઉ રખડતા પશુઓના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પંચેશ્વર ટાવર વિસ્તારમાં વધુ એક વાહનચાલક રઝળતા પશુની હડફેટે ચડ્યા હતું. પરંતુ સદનસીબે વાહનચાલકનો બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપરાંત આ ઘટનાને જનતા તંત્રની લાપરવાહી ગણાવી રહી છે.

રખડતા ઢોરે મારી ટક્કર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ભયાનક બનાવ બન્યો છે. અહીંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકને અચાનક રસ્તે રઝળતા ઢોરે ટક્કર મારી હતી. જેના કારણે વાહનચાલક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં ઘટનાને નજરોનજર જોઈને થોડીવાર શ્વાસ થંભી જાય છે.

વાહનચાલકનો જીવ સલામત : જોકે આ બનાવમાં વાહનચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

પંચેશ્વર વિસ્તારમાં સમસ્યા વકરી : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓનો અડિંગો વધતો જાય છે. આસપાસના વિસ્તારમાં પશુપાલકોની મોટી વસાહત છે અને તેઓ પાસે સંખ્યાબંધ ઢોર છે. જે તમામ ઢોર પોતાના વાડામાં બાંધવાના બદલે પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં છુટા મૂકી દે છે. જેના કારણે અનેક રાહદારીઓ તેમજ વાહનચાલકો રસ્તે રઝળતા પશુઓના કારણે મુશ્કેલીમાં મુકાય છે.

તંત્રની લાપરવાહી ? જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની લાપરવાહી સામે આવી છે. જોકે જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઢોર પકડ ઝુંબેશ ચાલી રહી છે. છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે.

  1. જામનગર સિટી સી પોલીસે પાનની દુકાનમાં દરોડો પાડી નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો
  2. જામનગર ન્યૂઝઃ કરોડોની કિંમતનો જાતવાન અશ્વ 'કેસરિયો' છે અણમોલ રત્ન

હે રામ ગયો ! જામનગરમાં રખડતા ઢોરે વાહનચાલકને ફંગોળ્યો

જામનગર : જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા યથાવત રહી છે. અગાઉ રખડતા પશુઓના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પંચેશ્વર ટાવર વિસ્તારમાં વધુ એક વાહનચાલક રઝળતા પશુની હડફેટે ચડ્યા હતું. પરંતુ સદનસીબે વાહનચાલકનો બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપરાંત આ ઘટનાને જનતા તંત્રની લાપરવાહી ગણાવી રહી છે.

રખડતા ઢોરે મારી ટક્કર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ભયાનક બનાવ બન્યો છે. અહીંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકને અચાનક રસ્તે રઝળતા ઢોરે ટક્કર મારી હતી. જેના કારણે વાહનચાલક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં ઘટનાને નજરોનજર જોઈને થોડીવાર શ્વાસ થંભી જાય છે.

વાહનચાલકનો જીવ સલામત : જોકે આ બનાવમાં વાહનચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

પંચેશ્વર વિસ્તારમાં સમસ્યા વકરી : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓનો અડિંગો વધતો જાય છે. આસપાસના વિસ્તારમાં પશુપાલકોની મોટી વસાહત છે અને તેઓ પાસે સંખ્યાબંધ ઢોર છે. જે તમામ ઢોર પોતાના વાડામાં બાંધવાના બદલે પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં છુટા મૂકી દે છે. જેના કારણે અનેક રાહદારીઓ તેમજ વાહનચાલકો રસ્તે રઝળતા પશુઓના કારણે મુશ્કેલીમાં મુકાય છે.

તંત્રની લાપરવાહી ? જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની લાપરવાહી સામે આવી છે. જોકે જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઢોર પકડ ઝુંબેશ ચાલી રહી છે. છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે.

  1. જામનગર સિટી સી પોલીસે પાનની દુકાનમાં દરોડો પાડી નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો
  2. જામનગર ન્યૂઝઃ કરોડોની કિંમતનો જાતવાન અશ્વ 'કેસરિયો' છે અણમોલ રત્ન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.