ETV Bharat / state

જામનગરમાં કાલાવડ તાલુકાના 10 ગામના ખેડૂતો અતિવૃષ્ટિથી પરેશાન, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Aug 21, 2020, 5:45 PM IST

જામનગરમાં જિલ્લા અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડી ચુક્યો છે. તેમાંય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં 200 ટકાથી વધુ વરસાદ પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદ

જામનગર: જિલ્લામાં ભારે વરસાદ પડતા સ્થિતિ ખરાબ બની છે. Etv ભારત પર ગત 16મી ઓગષ્ટે કાલાવડ તાલુકાના ખેડૂતોના પ્રશ્નનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કલાવડ તાલુકાના 10 જેટલા ગામમાં ભારે વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે.આમ કાલાવડ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા રામપર રવેચીયા ગામ ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા માટે ETV BHARATની ટીમ પહોંચી હતી.

જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદ

પંથકમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં મોસમનો 200 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી. કારણ કે, ખેતરોમાં હજૂ ગોઠણસમા પાણી ભરેલા છે.

જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદ
આજ રોજ જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કાલાવડ તાલુકાના રામપર રવેચીયા ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.કાલાવડ તાલુકાના રામપર રવેચીયા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાલાવડ તાલુકાના 10 ગામોનું સર્વે કરવામાં આવે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાક નિષ્ફળ ગયો છે તેમને વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
જામનગરમાં ભારે વરસાદ
આમ તો, જામનગર જિલ્લામાં મોસમનો અત્યાર સુધીનું 200 ટકા જેટલો વરસાદ પડી ચૂકયો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમ જ જામનગર જિલ્લામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદી અને વાવેતર કર્યું છે. જો કે, વધુ વરસાદને કારણે મોટાભાગની મગફળી પીળી પડી ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આવા સમયે ખેડૂતો માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે.

જામનગર: જિલ્લામાં ભારે વરસાદ પડતા સ્થિતિ ખરાબ બની છે. Etv ભારત પર ગત 16મી ઓગષ્ટે કાલાવડ તાલુકાના ખેડૂતોના પ્રશ્નનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કલાવડ તાલુકાના 10 જેટલા ગામમાં ભારે વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે.આમ કાલાવડ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા રામપર રવેચીયા ગામ ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા માટે ETV BHARATની ટીમ પહોંચી હતી.

જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદ

પંથકમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં મોસમનો 200 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી. કારણ કે, ખેતરોમાં હજૂ ગોઠણસમા પાણી ભરેલા છે.

જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં ભારે વરસાદ
આજ રોજ જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કાલાવડ તાલુકાના રામપર રવેચીયા ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.કાલાવડ તાલુકાના રામપર રવેચીયા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાલાવડ તાલુકાના 10 ગામોનું સર્વે કરવામાં આવે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાક નિષ્ફળ ગયો છે તેમને વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
જામનગરમાં ભારે વરસાદ
આમ તો, જામનગર જિલ્લામાં મોસમનો અત્યાર સુધીનું 200 ટકા જેટલો વરસાદ પડી ચૂકયો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમ જ જામનગર જિલ્લામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદી અને વાવેતર કર્યું છે. જો કે, વધુ વરસાદને કારણે મોટાભાગની મગફળી પીળી પડી ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આવા સમયે ખેડૂતો માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.