ETV Bharat / state

આફ્રિકા તરફથી આવી રહેલા રણતીડની સંભાવનાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ - jamnagar latest news

રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે, જેના ટોળા હજારો માઈલ દૂરના દેશોમાં જઈ મોટું નુકસાન કરે છે. તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. જે ધ્યાને લેતા જામનગર જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓ વિશે અગમચેતીના ભાગરૂપે કયા ગામમાં, કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી મેળવી તુરંત જિલ્લા પંચાયત કચેરીના તીડ કંટ્રોલ રૂમના ફોન નં. 0288-2556119 પર જાણ કરવા ખેડૂતોને અનુરોધ છે.

ખેતીમાં રણતીડ દેખાતા સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ
ખેતીમાં રણતીડ દેખાતા સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ
author img

By

Published : May 23, 2020, 11:31 AM IST

જામનગર : ખેડૂતોએ રણતીડ જોવા મળે તો તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.

ખેતીમાં રણતીડ દેખાતા સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટ્રેલર/ટ્રેક્ટર તૈયાર રાખવું, દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ (૧૦મીલી), મેલાથીયોન ૫૦% EC (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫% SC(૨.૫ મીલી), ફિપ્રોનીલ ૨.૯૨% EC (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% EC (૧૦ મીલી) દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા કરવામાં આવે છે.


જામનગર : ખેડૂતોએ રણતીડ જોવા મળે તો તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.

ખેતીમાં રણતીડ દેખાતા સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટ્રેલર/ટ્રેક્ટર તૈયાર રાખવું, દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ (૧૦મીલી), મેલાથીયોન ૫૦% EC (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫% SC(૨.૫ મીલી), ફિપ્રોનીલ ૨.૯૨% EC (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% EC (૧૦ મીલી) દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા કરવામાં આવે છે.


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.