ETV Bharat / state

કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન રજૂ કરતું આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Mar 21, 2021, 9:44 AM IST

Updated : Mar 21, 2021, 2:07 PM IST

જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા રજૂ થનાર બજેટમાં બે સૂચન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં સ્લમ દલિત પછાત વિસ્તારના લોકોને 100 ટકા વ્યાજ માફી કરવામાં આવે અને લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રાફિક અને એક્સિડન્ટના બનાવો વધારે બનતા હોવાથી ત્યાં ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન રજૂ કરતું આવેદનપત્ર આપ્યું
કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન રજૂ કરતું આવેદનપત્ર આપ્યું

  • કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન કરતું આવેદનપત્ર આપ્યું
  • કોંગ્રેસે મેયરની ખુરશીને આપ્યું આવેદનપત્ર
  • લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની માંગણી

જામનગર : મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા રજૂ થવાવાળા બજેટમાં બે સૂચન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2006 પછી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સર્વિસ યુઝર્સ ચાર્જના જે બિલ આપવામાં આવ્યા છે. તે બિલની અંદર 100 ટકા વ્યાજ માફી આપવાની આપવાની બજેટમાં રજૂઆત કરવામાં આવી છે. સ્લમ દલિત પછાત વિસ્તાર છે. આ વિસ્તારના લોકોની એવી માંગણી છે કે, જો તમે વ્યાજ માફી ન આપો તો અમને સર્વિસ યુઝર ચાર્જના બિલની બદલે હાઉસ ટેક્સ મિલકત વેરાના બિલ આપી રેગ્યુલાઈઝ કરી આપો તો 100 ટકા વ્યાજ માફીની અમને જરૂર નથી. 100 ટકા વ્યાજ સાથે તેઓ બિલ ભરવા તૈયાર છે.

કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન રજૂ કરતું આવેદનપત્ર આપ્યું
આવેદનપત્ર રજૂ કર્યું
આવેદનપત્ર રજૂ કર્યું

આ પણ વાંચો :પાટણ નગરપાલિકાના પ્રમુખને હોદ્દો ગ્રહણ કરતાની સાથે જ કોંગ્રેસે સમસ્યાઓ અંગેનું આવેદનપત્ર આપ્યું

મિલકત વેરા કે પાણી વેરાની અંદર 100 ટકા વ્યાજ માફી આપી

મહાનગરપાલિકાના વહીવટદારો કે હોદ્દેદારોથી શક્ય ન હોય તો આ પ્રશ્ન રેગ્યુલાઈઝનો રાજ્ય સરકાર મહેસુલ પ્રધાન હસ્તક હોય અને તેમાં સમય લાગતો હોય તો આ બધા સ્લમ વિસ્તારોને હાલ પુરતું 100 ટકા વ્યાજ માફી આપવી જરૂરી છે. મિલકત વેરા કે પાણી વેરાની અંદર અગાઉ 100 ટકા વ્યાજ માફી આપી હતી. આ વિસ્તારો કોરોનાની બિમારી, બેરોજગારી અને બેકારી સામનો કરી રહ્યા છે.

2021-22ના બજેટમાં વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવાની રજૂઆત

વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવામાં આવે તો આવનારા દિવસોમાં 100 કરોડની રકમ ટૂંક સમયમાં મહાનગરપાલિકાની તિજોરીમાંન જમા થતા વાર નહિ લાગે. મહાનગરપાલિકાની પરિસ્થિતિ અત્યંત કફોડી હોવાથી આ વ્યાજ માફીનો નિર્ણય ગણાશે. સ્લમ, પછાત અને ગરીબ વિસ્તારોને વ્યાજ માફી આપી આવનારા 2021-22ના બજેટમાં વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતના બિલ્ડરો હવે આંદોલનના માર્ગે, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની માંગણી

અલ્ફતાફ ખલી દ્વારા બીજી રજૂઆત કરવામાં આવી કે, લાલપુર બાયપાસ ચોકડી પાસે અન્ય ટ્રાફિક અને એક્સિડન્ટના બનાવ અવાર-નવાર બનતા હોય છે. તે વિસ્તાર વોર્ડ નં.15માં આવતો હોવાથી વોર્ડ નં.15ના અરજદારો તથા અનેક વાહન ચાલકોની રજૂઆતો આવતી હોય છે કે, લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની અત્યંત જરૂર છે. અગાઉ સરકારના બજેટમાં આ બ્રિજને બનાવવા માટેની મંજૂરી મળી હતી.

  • કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન કરતું આવેદનપત્ર આપ્યું
  • કોંગ્રેસે મેયરની ખુરશીને આપ્યું આવેદનપત્ર
  • લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની માંગણી

જામનગર : મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા રજૂ થવાવાળા બજેટમાં બે સૂચન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2006 પછી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સર્વિસ યુઝર્સ ચાર્જના જે બિલ આપવામાં આવ્યા છે. તે બિલની અંદર 100 ટકા વ્યાજ માફી આપવાની આપવાની બજેટમાં રજૂઆત કરવામાં આવી છે. સ્લમ દલિત પછાત વિસ્તાર છે. આ વિસ્તારના લોકોની એવી માંગણી છે કે, જો તમે વ્યાજ માફી ન આપો તો અમને સર્વિસ યુઝર ચાર્જના બિલની બદલે હાઉસ ટેક્સ મિલકત વેરાના બિલ આપી રેગ્યુલાઈઝ કરી આપો તો 100 ટકા વ્યાજ માફીની અમને જરૂર નથી. 100 ટકા વ્યાજ સાથે તેઓ બિલ ભરવા તૈયાર છે.

કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન રજૂ કરતું આવેદનપત્ર આપ્યું
આવેદનપત્ર રજૂ કર્યું
આવેદનપત્ર રજૂ કર્યું

આ પણ વાંચો :પાટણ નગરપાલિકાના પ્રમુખને હોદ્દો ગ્રહણ કરતાની સાથે જ કોંગ્રેસે સમસ્યાઓ અંગેનું આવેદનપત્ર આપ્યું

મિલકત વેરા કે પાણી વેરાની અંદર 100 ટકા વ્યાજ માફી આપી

મહાનગરપાલિકાના વહીવટદારો કે હોદ્દેદારોથી શક્ય ન હોય તો આ પ્રશ્ન રેગ્યુલાઈઝનો રાજ્ય સરકાર મહેસુલ પ્રધાન હસ્તક હોય અને તેમાં સમય લાગતો હોય તો આ બધા સ્લમ વિસ્તારોને હાલ પુરતું 100 ટકા વ્યાજ માફી આપવી જરૂરી છે. મિલકત વેરા કે પાણી વેરાની અંદર અગાઉ 100 ટકા વ્યાજ માફી આપી હતી. આ વિસ્તારો કોરોનાની બિમારી, બેરોજગારી અને બેકારી સામનો કરી રહ્યા છે.

2021-22ના બજેટમાં વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવાની રજૂઆત

વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવામાં આવે તો આવનારા દિવસોમાં 100 કરોડની રકમ ટૂંક સમયમાં મહાનગરપાલિકાની તિજોરીમાંન જમા થતા વાર નહિ લાગે. મહાનગરપાલિકાની પરિસ્થિતિ અત્યંત કફોડી હોવાથી આ વ્યાજ માફીનો નિર્ણય ગણાશે. સ્લમ, પછાત અને ગરીબ વિસ્તારોને વ્યાજ માફી આપી આવનારા 2021-22ના બજેટમાં વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતના બિલ્ડરો હવે આંદોલનના માર્ગે, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની માંગણી

અલ્ફતાફ ખલી દ્વારા બીજી રજૂઆત કરવામાં આવી કે, લાલપુર બાયપાસ ચોકડી પાસે અન્ય ટ્રાફિક અને એક્સિડન્ટના બનાવ અવાર-નવાર બનતા હોય છે. તે વિસ્તાર વોર્ડ નં.15માં આવતો હોવાથી વોર્ડ નં.15ના અરજદારો તથા અનેક વાહન ચાલકોની રજૂઆતો આવતી હોય છે કે, લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની અત્યંત જરૂર છે. અગાઉ સરકારના બજેટમાં આ બ્રિજને બનાવવા માટેની મંજૂરી મળી હતી.

Last Updated : Mar 21, 2021, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.