ETV Bharat / state

જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે

કોરોના મહામારીનો કહેર સમગ્ર દેશ સહિત જામનગર શહેર અનેે જિલ્લામાં પણ અવિરત રહ્યો છે. આ મહામારીમાં સાજા થયેલા દર્દીઓમાં એક નવા રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ મ્યૂકોરમાઇકોસિસ નામના રોગના લક્ષણો જણાતા જામનગરના દર્દીઓ માટે આજે સોમવારથી મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે.

author img

By

Published : May 10, 2021, 12:36 PM IST

મ્યૂકોર માઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ
મ્યૂકોર માઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ
  • મ્યૂકોર માઇકોસિસના દર્દીઓની સંખ્યામાં થયો વધારો
  • આંખ, નાક અને મોઢાને લગતા લક્ષણો જોવા મળે
  • મેન્ટલ હોસ્પિટલમાં સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યું

જામનગર : શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના કહેરમાં અસંખ્ય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને દરરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કપરાકાળમાં આ મહામારીમાં સાજા થયેલાં દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન(મ્યુકોરમાઈકોસિસ)નું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેનું સમયસર નિદાન અને સારવાર ના થાય તો તે પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે. જેમાં આંખ, નાક(સાઈનસ) અને મોઢામાં (દાંત અને પેઢા)ને લગતા લક્ષણો જોવા મળે છે.

મ્યૂકોર માઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ
આ પણ વાંચો : જો વેક્સિન નહી લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ઘાતકી સાબિત થશે: ડૉ. સમીર ગામીપ્રાથમિક સારવાર મળે તે માટે આજથી તાત્કાલિક ધોરણે સેન્ટર શરૂ કરાયુંજામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટેનું એક સેન્ટર આજે તારીખ 10થી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર સવારે 9થી 2 દરમિયાન મેન્ટલ હોસ્પિટલ બિલ્ડીંગ, વિકાસ ગૃહ રોડ, જામનગર ખાતે શરૂ કરવામાં આવશે. ઉપરોક્ત લક્ષણો ધરાવતા કોરોનાની બિમારીથી સાજા થયેલા તમામ દર્દીઓએ આ સેન્ટરમાં સારવાર લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત

  • મ્યૂકોર માઇકોસિસના દર્દીઓની સંખ્યામાં થયો વધારો
  • આંખ, નાક અને મોઢાને લગતા લક્ષણો જોવા મળે
  • મેન્ટલ હોસ્પિટલમાં સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યું

જામનગર : શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના કહેરમાં અસંખ્ય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને દરરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કપરાકાળમાં આ મહામારીમાં સાજા થયેલાં દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન(મ્યુકોરમાઈકોસિસ)નું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેનું સમયસર નિદાન અને સારવાર ના થાય તો તે પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે. જેમાં આંખ, નાક(સાઈનસ) અને મોઢામાં (દાંત અને પેઢા)ને લગતા લક્ષણો જોવા મળે છે.

મ્યૂકોર માઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ
આ પણ વાંચો : જો વેક્સિન નહી લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ઘાતકી સાબિત થશે: ડૉ. સમીર ગામીપ્રાથમિક સારવાર મળે તે માટે આજથી તાત્કાલિક ધોરણે સેન્ટર શરૂ કરાયુંજામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટેનું એક સેન્ટર આજે તારીખ 10થી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર સવારે 9થી 2 દરમિયાન મેન્ટલ હોસ્પિટલ બિલ્ડીંગ, વિકાસ ગૃહ રોડ, જામનગર ખાતે શરૂ કરવામાં આવશે. ઉપરોક્ત લક્ષણો ધરાવતા કોરોનાની બિમારીથી સાજા થયેલા તમામ દર્દીઓએ આ સેન્ટરમાં સારવાર લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.