જોકે ફાની વાવાઝોડાની અસર ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ભારે જોવા મળી રહી છે ત્યારે અહીં આવેલા પ્રવાસીઓ પણ તેનો ભોગ બન્યા છે. જામનગરના કિશોરભાઈ સોલંકીના 3 પરિજનો પણ જગન્નાથ પુરીની જાત્રાએ ગયા છે જેઓ પણ આ વાવાઝોડામાં ફસાયા છે. ફાની વાવાઝોડું આવી પહોંચતા તેઓ અહીં ફસાઈ ગયા છે. જોકે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જામનગરના 450 શ્રદ્ધાળુઓ ફાનીમાં ફસાયા, પરિજનો ચિંતાતુર
જામનગરઃ જિલ્લાથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા 450 જેટલા શ્રદ્ધાળુઓ ફાની વાવાઝોડામાં ફસાયાની વિગત સામે આવી રહી છે. જામનગરમાં દર વર્ષે મે મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા પ્રવાસે જતા હોય છે. જિલ્લામાંથી કિશોરભાઈ દ્વારા 450થી વધુ શ્રદ્ધાળુઓને જગન્નાથ પુરીની યાત્રાએ ટ્રેન મારફતે લઇ જવાતા હોય છે.
![જામનગરના 450 શ્રદ્ધાળુઓ ફાનીમાં ફસાયા, પરિજનો ચિંતાતુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3196202-thumbnail-3x2-fani.gif?imwidth=3840)
મહત્વનું છે કે, ફાની વાવાઝોડાથી ફફડાટ ફેલાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. જામનગર જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર ફસાયેલા તમામ લોકોની વહારે પહોંચ્યું છે અને યુદ્ધના ધોરણે તમામ શ્રદ્ધાળુઓને બચાવવામાં આવે તેવી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ફાની વાવાઝોડામાં ફસાયેલા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેથી પરિજનો માંગ કરી રહ્યા છે કે, તેઓ જાત્રાએ ગયેલા પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે અને તાત્કાલીક તમામ લોકોને જામનગર લાવવામાં આવે.
જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો સહી સલામત હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
જોકે ફાની વાવાઝોડાની અસર ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ભારે જોવા મળી રહી છે ત્યારે અહીં આવેલા પ્રવાસીઓ પણ તેનો ભોગ બન્યા છે. જામનગરના કિશોરભાઈ સોલંકીના 3 પરિજનો પણ જગન્નાથ પુરીની જાત્રાએ ગયા છે જેઓ પણ આ વાવાઝોડામાં ફસાયા છે. ફાની વાવાઝોડું આવી પહોંચતા તેઓ અહીં ફસાઈ ગયા છે. જોકે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ફાની વાવાઝોડાથી ફફડાટ ફેલાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. જામનગર જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર ફસાયેલા તમામ લોકોની વહારે પહોંચ્યું છે અને યુદ્ધના ધોરણે તમામ શ્રદ્ધાળુઓને બચાવવામાં આવે તેવી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ફાની વાવાઝોડામાં ફસાયેલા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેથી પરિજનો માંગ કરી રહ્યા છે કે, તેઓ જાત્રાએ ગયેલા પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે અને તાત્કાલીક તમામ લોકોને જામનગર લાવવામાં આવે.
જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો સહી સલામત હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
R-GJ-JMR-02-07MAY-FENI-COLLECTER-7202728
જામનગરના 450 શ્રદ્ધાળુઓ ફેનીમાં ફસાયા...પરિજનો ચિંતાતુર...વહીવટીતંત્ર સતર્ક
બાઇટ:(1) કિશોર સોલંકી,પરિજન
(2)જય સોલંકી, પરિજન
(3) રવિશંકર ,જિલ્લા કલેક્ટર, જામનગર(હિન્દી ગુજરાતી બાઈટ)
Feed ftp
જામનગરથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા 450 જેટલા શ્રદ્ધાળુઓ ઓરિસ્સામાં ફેની વાવાઝોડામાં ફસાયા છે..... જામનગરમાં દર વર્ષે મે મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા પ્રવાસે જતા હોય છે..... જામનગરના કિશોરભાઈ દ્વારા 450થી વધુ શ્રદ્ધાળુઓને જગન્નાથ પુરીની યાત્રાએ ટ્રેન મારફતે લઇ જવાયા છે.....
જોકે ફેની વાવાઝોડાની અસર ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ભારે જોવા મળી રહી છે અત્યારે અહીં આવેલા પ્રવાસીઓ ફસાયા છે....
જામનગરના કિશોરભાઈ સોલંકીના પરિજનો પણ જગન્નાથ પુરીની જાત્રાએ ગયા છે.... સોલંકી પરિવારમાંથી ત્રણ લોકો જગન્નાથપુરીની જાત્રાએ ગયા છે.... ફેની વાવાઝોડું આવી પહોંચતા તેઓ અહીં ફસાઈ ગયા છે.... જોકે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે....
મહત્વનું છે કે ફેની વાવાઝોડાથી ફફડાટ ફેલાયો છે...અનેક લોકોના મોત પણ થયા છે.... જામનગર જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર પોલીસમાં ફસાયેલા તમામ લોકોની વહારે પહોંચ્યું છે... યુદ્ધના ધોરણે તમામ શ્રદ્ધાળુઓને બચાવવામાં આવે તેવી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે....
મહત્વનું છે કે ફેની વાવાઝોડામાં ફસાયા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શકતો નથી... તો સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા છે..તો પરિજનો માંગ કરી રહ્યા છે કે તેઓ જાત્રાએ ગયેલા પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે..અને તાત્કાલીક તમામ લોકોને જામનગર લાવવામાં આવે તેવી પરિજનો માંગ કરી રહ્યા છે....
જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ લોકો સંપર્ક કરવામાં આવી રહ્યો છે ..અને તમામ લોકો સહી સલામત હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે....