ગીરસોમનાથના ગિરગઢડા તાલુકામાં ગીર જંગલની મધ્યમાં આવેલું બાણેજ મતદાન મથક સમગ્ર રાજ્ય અને દેશમાં અનોખું મતદાન મથક છે. આ મતાદન મથક એક માત્ર બાણેજ આશ્રમના મહંત ભરતદાસ બાપુ માટે બનાવવામાં આવે છે. ભરતદાસ બાપુ માટે વર્ષ 2002થી બાણેજ જંગલની મધ્યમાં બુથ બનાવવામાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે, તેઓ અચૂક પણે મતદાન કરતા હોવાથી આ મતકેન્દ્ર હંમેશા 100% મતદાન ધરાવે છે.
ત્યારે ભરતદાસ બાપુનું તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન પણ કરવામાં આવેલ છે. તેને યાદ કરતા બાપુ બારબાર મોદી સરકારનો નારો લગાવે છે. તેમજ બહુમતી વાળી સરકાર બનવાની આશા રાખે છે. સાથે જ બાપુએ સરકારને બાણેજ આશ્રમ સુધી સારો રોડ બનાવવાની માંગ કરી છે.