- સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા
- સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
- આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ ટ્રસ્ટીઓ જોડાયા
ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક સોમવારની મોડી સાંજે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત તમામ ટ્રસ્ટીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી મારફતે જોડાયા હતા. અગાઉ બે વખત નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેને રદ્દ કરવામાં આવી હતી. જે સોમવારના રોજ મોડી સાંજે મળેલી આ બેઠકમાં સોમનાથના વિકાસના કામોને લઇને તેમજ પ્રતિષ્ઠિત એવું સોમનાથ ટ્રસ્ટનું પ્રમુખ પદ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે.
મોડી સાંજે સોમનાથ ટ્રસ્ટને મળી શકે છે નવા પ્રમુખ
કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ માટે સોમવારે બેઠક યોજાઇ હતી. લાલ કૃષ્ણ અડવાણી, હર્ષવર્ધન નિયેટીયા તેમજ વર્ષોથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કામ કરી રહેલા જે. ડી. પરમારના નામો ચર્ચામાં હતું. જે બાદ નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થતા ચર્ચાનો અંત આવ્યો છે.