ETV Bharat / state

વાવાઝોડાથી માછીમારોને નુકસાન, સરકાર પાસે માગી મદદ

author img

By

Published : Nov 19, 2019, 9:33 PM IST

વેરાવળ: રાજ્યમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના કારણે માછીમારોની ફિશિંગ સીઝનમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું તો, માછીમારોના નુકશાન માટે શું કામ નહીં? તેવી માંગણી સાથે સમગ્ર સૌરાષ્ટ્રના માછીમાર સમાજની મીટિંગ યોજાઈ હતી.

સૌરાષ્ટ્રના માછીમાર સમાજે બોલાવી મીટિંગ

તાજેતરમાં ક્રમશ ત્રણ વાવાઝોડાના કારણે માછીમારોની આર્થિક કમર ભાંગી ગયાનું માછીમારોમાં ચર્ચાયું હતું. જેને લઇને વેરાવળમાં મંગળવારે ઓખાથી જાફરાબાદ સુધીના વિવિધ સમાજના માછીમારોની મીટિંગ મળી હતી. જેમાં, વાવાઝોડાની અસરના કારણે માછીમારીનો ધંધો ચોપાટ થયાની નુકસાની તેમજ અન્ય ખર્ચા મળી બોટ દિઠ માછીમારોને 8થી 10 લાખનું નુકસાન થયું હોવાની ચર્ચા કરવામાં આવી હતી. જેને કારણે માછીમારોએ માગ કરી હતી કે, સરકાર આપદા સમયે ખેડુતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરે છે, તેવી રીતે માછીમારો માટે પણ યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ.

સૌરાષ્ટ્રના માછીમાર સમાજે બોલાવી મીટિંગ

માછીમાર અગ્રણીઓનું કહેવું છે કે, બોટ દરીયામાં જાય તો 3 લાખથી વધુ ખર્ચ થાય છે. જેથી તમામ માછીમારોને ભારે નુકશાન થયું છે. જેવી રીતે તમામ ખેતી ઉદ્યોગ માટે કુદરતી આપદામાં સહાય આપવામાં આવે છે. તેવી રીતે માછીમારોનો પણ સર્વે કરી સહાય કરવી જોઈએ. જેવી રીતે ખેડૂતોને 7,000 કરોડ પેકેજ જાહેર કરાયું, તેમ માછીમારો માટે પણ સહાય જાહેર કરવી જોઈએ.

તાજેતરમાં ક્રમશ ત્રણ વાવાઝોડાના કારણે માછીમારોની આર્થિક કમર ભાંગી ગયાનું માછીમારોમાં ચર્ચાયું હતું. જેને લઇને વેરાવળમાં મંગળવારે ઓખાથી જાફરાબાદ સુધીના વિવિધ સમાજના માછીમારોની મીટિંગ મળી હતી. જેમાં, વાવાઝોડાની અસરના કારણે માછીમારીનો ધંધો ચોપાટ થયાની નુકસાની તેમજ અન્ય ખર્ચા મળી બોટ દિઠ માછીમારોને 8થી 10 લાખનું નુકસાન થયું હોવાની ચર્ચા કરવામાં આવી હતી. જેને કારણે માછીમારોએ માગ કરી હતી કે, સરકાર આપદા સમયે ખેડુતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરે છે, તેવી રીતે માછીમારો માટે પણ યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ.

સૌરાષ્ટ્રના માછીમાર સમાજે બોલાવી મીટિંગ

માછીમાર અગ્રણીઓનું કહેવું છે કે, બોટ દરીયામાં જાય તો 3 લાખથી વધુ ખર્ચ થાય છે. જેથી તમામ માછીમારોને ભારે નુકશાન થયું છે. જેવી રીતે તમામ ખેતી ઉદ્યોગ માટે કુદરતી આપદામાં સહાય આપવામાં આવે છે. તેવી રીતે માછીમારોનો પણ સર્વે કરી સહાય કરવી જોઈએ. જેવી રીતે ખેડૂતોને 7,000 કરોડ પેકેજ જાહેર કરાયું, તેમ માછીમારો માટે પણ સહાય જાહેર કરવી જોઈએ.

Intro:તાજેતર ના વાયુ, ક્યાર અને મહા વાવાઝોડા ના કારણે માછીમારો ની ફિશિંગ સીઝનમાં ભારે નુકશાન થવા પામ્યું છે. જેમ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું તો માછીમારો ના નુકશાન માટે શુ કામ નહી તેવી માંગણી સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ના માછીમાર સમાજ ની મિટિંગ યોજાઈ હતી.Body:તાજેતર માં ક્રમશ વાવાઝોડા ઓ ના કારણે માછીમારો ની આર્થીક કમર ભાંગી ગયા નું માછીમારો માં ચર્ચાયું હતું આજે વેરાવળ માં ઓખા થી લઈ જાફરાબાદ સુધી ના વીવીધ સમાજ ના માછીમારો ની મીટીંગ વેરાવળ ખાતે મળી હતી જેમાં ખાસ તો છેલ્લા ત્રણ વાવાઝોડા જેમાં,,વાયુ, ક્યાર,અને મહા વાવાઝોડા ની અસર ના કારણે માછીમારી નો ધંધો ચોપાટ થયો હતો તો હોડી ઓ તેમજ અન્ય ખર્ચો મળી બોટ દીઠ માછીમારો ને 8 થી 10 લાખ નું નુકશાન થયું હોય ત્યારે કુદરતી આપદા સમયે જેમ ખેડુતો માટે રાહત સહાય પેકેજ સરકાર જાહેર કરે છે તો માછીમારો માટે પણ યોગ્ય સહાય કરાય તેવી માંગ માછીમારો એ કરી હતી.Conclusion:ત્યારે માછીમાર અગ્રણીઓ નું કહેવું છે કે "ઓખા થી જાફરાબાદ સુધી ના તમામ સમાજ ના માછીમારો એકત્ર થયા છે પાંચેક વાવાઝોડા થી સૌ પરેશાન છે બોટો દરીયા માં જાય તો 3 લાખ થી વધુ ખર્ચ થાય છે તો તમામ માછીમારો ને ભારે નુકશાન થયું છે આ બાબતે તમામ ખેતી ઊધ્યોગો ને માટે કુદરતી આપદા માં સહાય આપતી હોય તો માછીમારો નો પણ સર્વે કરી સહાય કરે ખેડુતો ને 7000 કરોડ પેકેજ અપાયું તેમ માછીમારો માટે સહાય માટે અમે સરકાર ને ધ્યાને મુકીશું"


બાઈટ-1-તૃલસી ગોહેલ-માછીમાર આગેવાન


અપ્રુવડ બાઈ ડેસ્ક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.