ETV Bharat / state

વેરાવળની વિવાદાસ્પદ ખાનગી શાળાની માન્યતા ફરી એક વખત રદ, શિક્ષણ જગતમાં ખળભળાટ

author img

By

Published : Mar 14, 2020, 4:57 PM IST

Updated : Mar 14, 2020, 5:29 PM IST

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી દર્શન હાયર સેકન્ડરી સ્કૂલ નામની ખાનગી શાળાની માન્યતા બીજી વખત રદ કરાઈ છે. આ નિર્ણય હાલ અભ્યાસ કરતા બાળકોના ભાવિને ધ્યાનમાં રાખીને ચાલું શૈક્ષણિક સત્ર પૂરું થયા બાદ આ નિર્ણય અમલમાં લેવામાં આવશે. તેમજ બાળકોને પરીક્ષા પૂરી થયા બાદ અન્ય શાળાઓમાં એડમિશન લેવા શિક્ષણ વિભાગ મદદ કરશે તેમ જણાવી રહ્યું છે.

Girsomanath
Girsomanath

ગીર સોમનાથ: વડામથક વેરાવળની વિવાદિત દર્શન શાળાની માન્યતા રાજ્યના શિક્ષણ વિભાગે બીજી વખત રદ કરી છે. વેરાવળની દર્શન શાળાના સંચાલકો પર નગરપાલિકા દ્વારા બનાવટી સહી સિક્કા કર્યાનો પોલીસ કેસ પણ ચાલી રહ્યો છે.

વર્ષ 2014થી શરૂ થયેલા આ વિવાદમાં વર્ષ 2015માં આ શાળાની માન્યતા રદ થઈ હતી. પણ બાળકોના હિત માટે તેને હંગામી સમય સુધી શરૂ રાખવા માટે પરવાનગી મળી હતી. જયારે 6 વર્ષ બાદ ફરી એકવાર માન્યતા રદ થઈ છે. ત્યારે જોવુ રહેશે કે, કાયદાઓની બારીમાંથી આ શાળાના સંચાલક ફરી એક વાર બચીને નીકળી જશે કે કેમ?

ગીરસોમનાથની વિવાદાસ્પદ શાળાની માન્યતા ફરી એક વખત રદ્દ

હાલ તો, દર્શન શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને પરીક્ષા પૂર્ણ થયા બાદ હુકમની અમલવારી કરવા આવશે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું. વેરાવળમાં દર્શન શાળાની રાજ્ય સરકારે માન્યતા બીજી વખત રદ કર્યાના સમાચારના પગલે વેરાવળ સહિત જિલ્લાભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.

ગીર સોમનાથ: વડામથક વેરાવળની વિવાદિત દર્શન શાળાની માન્યતા રાજ્યના શિક્ષણ વિભાગે બીજી વખત રદ કરી છે. વેરાવળની દર્શન શાળાના સંચાલકો પર નગરપાલિકા દ્વારા બનાવટી સહી સિક્કા કર્યાનો પોલીસ કેસ પણ ચાલી રહ્યો છે.

વર્ષ 2014થી શરૂ થયેલા આ વિવાદમાં વર્ષ 2015માં આ શાળાની માન્યતા રદ થઈ હતી. પણ બાળકોના હિત માટે તેને હંગામી સમય સુધી શરૂ રાખવા માટે પરવાનગી મળી હતી. જયારે 6 વર્ષ બાદ ફરી એકવાર માન્યતા રદ થઈ છે. ત્યારે જોવુ રહેશે કે, કાયદાઓની બારીમાંથી આ શાળાના સંચાલક ફરી એક વાર બચીને નીકળી જશે કે કેમ?

ગીરસોમનાથની વિવાદાસ્પદ શાળાની માન્યતા ફરી એક વખત રદ્દ

હાલ તો, દર્શન શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને પરીક્ષા પૂર્ણ થયા બાદ હુકમની અમલવારી કરવા આવશે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું. વેરાવળમાં દર્શન શાળાની રાજ્ય સરકારે માન્યતા બીજી વખત રદ કર્યાના સમાચારના પગલે વેરાવળ સહિત જિલ્લાભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.

Last Updated : Mar 14, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.