ETV Bharat / state

લોકડાઉન થતા ઓરીસ્સાના 85 યાત્રીકો સોમનાથમાં ફસાયા - કોરોના વાયરસ સોમનાથમાં

સોમનાથ મંદિરે દર્શન કરવા આવેલા ઓરીસ્સાના 85 યાત્રીકો લોકડાઉન થવાથી ફસાયા છે. લોક ડાઊન થતાં ટ્રેન રદ થઇ જવાથી તેઓ પરત જઇ શક્યા નથી. તેમને રેહવા અને જવાની તમામ વયવસ્થા કલેક્ટરે દ્વારા કરી આપવામાં આવી છે. પરંતુ વતન જવાની ભારે ચિંતા સૌ ને સતાવે છે. સોમનાથ ટ્રસ્ટે અપેક્ષા મુજબ રાશન આપ્યુ છે. પરંતુ લોકો દ્રારા એકજ કરાવામાં રટણ કરવામાં આવી રહ્યું છે કે "વતન જવું છે".

author img

By

Published : Apr 3, 2020, 5:22 PM IST

સોમનાથ: ઓરીસ્સાના વડીલો, વૃદ્ધો તેમજ યુવાનો સહીત 85 જેટલા યાત્રીકો ગુજરાતના દ્વારકા સોમનાથ સહીતની યાત્રાએ આવ્યા હતાં. જે વેરાવળ ખાનગી ઘર્મશાળામાં ઊતર્યા હતાં અને ઓચીંતા લોકડાઊનની જાહેરાત ના કારણે ટ્રેનો બંધ થઇ જતા તમામ યાત્રીકો પરેશાનીમાં મૂકાયા હતા.

આ તમામ યાત્રીકોએ જિલ્લા કલેક્ટરને પોતાની ચિંતા વર્ણવી હતી. જેથી કલેક્ટરે સોમનાથ ટ્રસ્ટને આ યાત્રીકો બાબતે જાણ કરતાં તમામને રહેવા માટે સાંસ્કૃતીક હોલ ફાળવી આપ્યો હતો. તૈયાર જમવાનું યાત્રિકોને અનૂકુળ ન આવતાં ટ્રસ્ટ દ્વારા ચોખા, લોટ, તેલ વગેરે રાશનનો જથ્થો વીનામૂલ્યે આપવામાં આવ્યો છે.

યાત્રિકોને રહેવા જમવાની કોઈ ચિંતા નથી. પણ ઓરીસ્સા પરત કયારે પહોંચશે તેની ભારે ચિંતા વ્યકત કરી રહ્યા છે.

સોમનાથ: ઓરીસ્સાના વડીલો, વૃદ્ધો તેમજ યુવાનો સહીત 85 જેટલા યાત્રીકો ગુજરાતના દ્વારકા સોમનાથ સહીતની યાત્રાએ આવ્યા હતાં. જે વેરાવળ ખાનગી ઘર્મશાળામાં ઊતર્યા હતાં અને ઓચીંતા લોકડાઊનની જાહેરાત ના કારણે ટ્રેનો બંધ થઇ જતા તમામ યાત્રીકો પરેશાનીમાં મૂકાયા હતા.

આ તમામ યાત્રીકોએ જિલ્લા કલેક્ટરને પોતાની ચિંતા વર્ણવી હતી. જેથી કલેક્ટરે સોમનાથ ટ્રસ્ટને આ યાત્રીકો બાબતે જાણ કરતાં તમામને રહેવા માટે સાંસ્કૃતીક હોલ ફાળવી આપ્યો હતો. તૈયાર જમવાનું યાત્રિકોને અનૂકુળ ન આવતાં ટ્રસ્ટ દ્વારા ચોખા, લોટ, તેલ વગેરે રાશનનો જથ્થો વીનામૂલ્યે આપવામાં આવ્યો છે.

યાત્રિકોને રહેવા જમવાની કોઈ ચિંતા નથી. પણ ઓરીસ્સા પરત કયારે પહોંચશે તેની ભારે ચિંતા વ્યકત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.