ગાંધીનગર : આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પીવાનું મળી રહે છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સૌની યોજના પૈકી 4000 મિલિયન ઘન ફૂટ પાણી છોડવામાં આવશે. નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવ અને 400 થી વધુ ચેકડેમ ત્રણ તબક્કાવાર ભરવામાં આવશે. આ પાણી છોડવાના કારણે ભૂગર્ભ જળ યોજનામાં પણ ફાયદો થશે. આ સાથે જ ઉનાળામાં જે પીવાના પાણીનો સમસ્યા હોય છે, તે સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 25 જળાશયો અને 400 થી વધુ ચેકડેમ ભરાશે, 4000 મિલિયન ઘન ફૂટ પાણી છોડવામાં આવશે : અશ્વિનીકુમાર - latest news in Gandhinagar
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી નામનો કકળાટ ચાલુ થઈ જાય છે. તેમ પણ સૌરાષ્ટ્રમાં પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે. ત્યારે આ વર્ષે પાણીનો કોઈ કકળાટ ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના થકી નર્મદાનું પાણી છોડવામાં આવશે, જેમાં 4000 મિલિયન ઘન ફૂટ પાણી સૌની યોજનામાં છોડવામાં આવશે.

ગાંધીનગર : આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પીવાનું મળી રહે છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સૌની યોજના પૈકી 4000 મિલિયન ઘન ફૂટ પાણી છોડવામાં આવશે. નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવ અને 400 થી વધુ ચેકડેમ ત્રણ તબક્કાવાર ભરવામાં આવશે. આ પાણી છોડવાના કારણે ભૂગર્ભ જળ યોજનામાં પણ ફાયદો થશે. આ સાથે જ ઉનાળામાં જે પીવાના પાણીનો સમસ્યા હોય છે, તે સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.