ઉમેદવારોએ વિરોધ કરતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે જે ધોરણ 12 પાસ ના કાયદો રદબાતલ કરીને સ્નાતકનો કાયદો અમલમાં લાવવાની વાત કરી રહી છે તો ધારાસભ્ય ની નિમણૂક બાબતે શા માટે કોઇ કાયદો લાવવામાં આવતો નથી જ્યારે ધારાસભ્યો ભણેલા પણ નથી હોતા, ત્યારે સરકાર પરીક્ષા રદ કરવા નું સચોટ કારણ આપે અને જે પરીક્ષા રદ્દ થઇ છે તે પરીક્ષા રીતે ફરીથી લેવાય તે બાબતે પણ આવેદન પત્ર સાથે નિવેદન પણ આપ્યું હતું..જ્યારે ઉમેદવારોએ કર્મયોગી ભવનમાં હોબાળો પણ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ને બોલાવવાની પણ ફરજ પડી હતી.
આમ પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં રોષ ની લાગણી ભભૂકી ઉઠી હતી સાથે જ સરકાર નો પણ વિરોધ સાફ દેખાઈ રહ્યો હતો.