ETV Bharat / state

ICMRએ રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, જાણો શું છે નવા નિયમો?

author img

By

Published : May 9, 2020, 11:57 PM IST

રાજ્યમાં કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવે ICMR દ્વારા રીવાઈઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરાઈ હતી.

ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, શુ છે નવા નિયમો ?
ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, શુ છે નવા નિયમો ?


ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવે ICMR દ્વારા રીવાઈઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરાઈ હતી.

આજે નિયમો જાહેર કરતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, એસિમ્પ્ટોમેટિક કે ખૂબ જ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMRની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘરે જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-19નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.


ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવે ICMR દ્વારા રીવાઈઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરાઈ હતી.

આજે નિયમો જાહેર કરતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, એસિમ્પ્ટોમેટિક કે ખૂબ જ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMRની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘરે જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-19નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.