ETV Bharat / state

રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષથી ક્યારેય ઓવરડ્રાફ્ટ કે સાધનોપાય પેશગી લીધી નથી: નીતિન પટેલ - Gujarat

ગાંધીનગરઃ રાજ્ય સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત પાલન થકી ગુજરાતની વિકાસયાત્રા હાથ ધરી છે. જેના પરિણામે છેલ્લા 15 વર્ષથી એક પણ વાર રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ કે સાધનપાય પેશગી લીધી નથી. જે સમયબધ્ધ આયોજન અને ટીમ ગુજરાતના સૌ સભ્યોને પરિણામે શક્ય બન્યું છે. આ કારણથી જ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઇ રહ્યું છે.

Nitin Patel
author img

By

Published : Jul 24, 2019, 9:29 PM IST

વિધાનસભા ખાતે નાણા વિભાગની રૂપિયા 58,074ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર રૂપિયા2,04,815કરોડનું છે. તેમાં 258 કરોડની એકંદર પુરાંત તથા રૂપિયા.2874કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે. જેમાં વિકાસલક્ષી ખર્ચ 55%ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યું છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે.

રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. આ ઉપરાંત મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ 2004-05માં 26.82% જેટલુ ઉંચુ હતું. તે વર્ષ 2019-20માં 12.62 % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યું છે. રાજ્યનું દેવુ વર્ષ 2004-05માં 28.45% હતું તે ઘટીને આ વર્ષે વર્ષ 2019-20માં 15.69 % જેટલુ અંદાજવામાં આવ્યું છે. જી.એસ.ટી.ના કાયદાના અમલ બાદ નોંધાયેલા કરદાતાઓ પૈકી સરેરાશ 91% જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ 2018-19માં 1.40 કરોડ રીટર્ન ફાઇલ થયું છે.

રાજ્ય સરકારે તારીખ 05-10-218 પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર 20 % હતો. તેમાં 3% ઘટાડો કરીને 17 % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા 20 લાખથી વધારી 40 લાખ કરાઇ છે. એ જ રીતે રાજ્યમાં 6.78 કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂપિયા.4087 કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી 26 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ 33,86,000 ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.

વિધાનસભા ખાતે નાણા વિભાગની રૂપિયા 58,074ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર રૂપિયા2,04,815કરોડનું છે. તેમાં 258 કરોડની એકંદર પુરાંત તથા રૂપિયા.2874કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે. જેમાં વિકાસલક્ષી ખર્ચ 55%ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યું છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે.

રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. આ ઉપરાંત મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ 2004-05માં 26.82% જેટલુ ઉંચુ હતું. તે વર્ષ 2019-20માં 12.62 % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યું છે. રાજ્યનું દેવુ વર્ષ 2004-05માં 28.45% હતું તે ઘટીને આ વર્ષે વર્ષ 2019-20માં 15.69 % જેટલુ અંદાજવામાં આવ્યું છે. જી.એસ.ટી.ના કાયદાના અમલ બાદ નોંધાયેલા કરદાતાઓ પૈકી સરેરાશ 91% જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ 2018-19માં 1.40 કરોડ રીટર્ન ફાઇલ થયું છે.

રાજ્ય સરકારે તારીખ 05-10-218 પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર 20 % હતો. તેમાં 3% ઘટાડો કરીને 17 % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા 20 લાખથી વધારી 40 લાખ કરાઇ છે. એ જ રીતે રાજ્યમાં 6.78 કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂપિયા.4087 કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી 26 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ 33,86,000 ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.

Intro:રાજ્ય સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત પાલન થકી ગુજરાતની વિકાસયાત્રા હાથ ધરી છે જેના પરિણામે છેલ્લા ૧૫ વર્ષથી એક પણ વાર રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ કે સાધનપાય પેશગી લીધી નથી. જે સમયબધ્ધ આયોજન અને ટીમ ગુજરાતના સૌ સભ્યોને પરિણામે શક્ય બન્યું છે. આ કારણથી જ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઇ રહ્યું છે. Body:વિધાનસભા ખાતે આજે નાણા વિભાગની રૂ.૫૮૦૭૪ ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વર્ષનું અંદાજપત્ર રૂ.૨,૦૪,૮૧૫ કરોડનું છે તેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે જેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યુ છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચુક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૬.૮૨ % જેટલુ ઉંચુ હતુ તે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૬૨ % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યુ છે રાજ્યનું દેવુ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૮.૪૫ % હતુ તે ઘટીને આ વર્ષે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૫.૬૯ % જેટલુ અંદાજવામાં આવ્યુ છે.

જી.એસ.ટી. ના કાયદાના અમલ બાદ નોંધાયેલ કરદાતાઓ પૈકી સરેરાશ ૯૧ % જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧.૪૦ કરોડ રીટર્ન ફાઇલ થયું છે. રાજ્ય સરકારે તા.૦૫.૧૦.૨૦૧૮ પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર ૨૦ % હતો તેમાં ૩ % ઘટાડો કરીને ૧૭ % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખથી વધારી ૪૦ લાખ કરાઇ છે. એ જ રીતે રાજ્યમાં ૬.૭૮ કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂ.૪૦૮૭ કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી ૨૬ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ ૩૩,૮૬,૦૦૦ ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.
Conclusion:પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા તિજોરી કચેરીઓ દ્વારા ઓનલાઇન ઇ-પેમેન્ટથી ચુકવણુ થાય છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓના પગાર અને પેન્શન પેટે પ્રતિમાસ રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યના ૪.૫ લાખ પેન્શનરોને પણ રૂ.૧૭૫૫૮ કરોડ પેન્શનના લાભો ચુકવી દેવાયા છે. પેન્શનરો ઘરે બેઠા જીવનપ્રાણ પોર્ટલ પર હયાતીની ખરાઇ કરી શકે છે. રાજ્યના ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ-ગણવેશ સહાયની ચુકવણી સીધી તેમના ખાતામાં જમા કરાવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ સાથે જોડી દેવાયા છે. એ જ રીતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઓડીટ પણ રાજ્યની લોકલ ફંડની કચેરીઓ દ્વારા સમયાનુસાર કરવામાં આવે છે. વીમા કચેરીઓ દ્વારા ગુજરાત સામૂહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ ૪ કરોડથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેનુ તમામ પ્રીમીયમ રાજ્ય સરકાર ભરે છે. ખેડૂત ખાતેદારોને પણ મૃત્યુ વીમા સહાય રૂ.૨ લાખ કરી છે, જે હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨૩૭ કેસોમાં રૂ.૩.૫૯ કરોડની સહાય ચુકવી દેવાઇ છે.


         
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.