ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો (Corona cases in Gujarat )છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 9 તારીખે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,560 કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Update)નોંધાયા છે. જેમાંથી 8,812 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 24 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 06 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department )દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 965 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 79, બરોડા શહેરમાં 296 અને રાજકોટમાં 83 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 8,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃ Surat Corona sample: જાણો સુરતની નવી સિવિલમાં કેટલા કોરોનાના RT-PCR ટેસ્ટ થયા
આજે 1,37,094 નાગરિકોને રસીકરણ થયું
આજ રોજ 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,37,094 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 17,129 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 36,014નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 11,887 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે 34,212 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 32,384 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,03,43,811 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 27,355
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 27,355 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 171 વેન્ટિલેટર પર અને 27,184 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,740 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,70,117 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 96.85 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ BJP Co Spokesperson on Congress: જ્યાં તમારી સરકાર છે ત્યાં તો પહેલા કોરોના મૃતકના પરિવારોને 4 લાખની સહાય આપો પછી વાત કરો