ETV Bharat / state

સુરેન્દ્રનગર: ભોગાવો નદી પરના ત્રણ ચેક ડેમના મરામત માટે સરકારની લીલીઝંડી - bhogavo river latest news

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 'સુજલામ સુફલામ યોજના' અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે 1 કરોડ 54 લાખ ફાળવવાનો નિર્ણય કર્યો છે. પૂરને કારણે ચેકડેમને નુકસાન થતા રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને રૂપાણીએ લીલીઝંડી આપી છે.

surendranagar
સુરેન્દ્રનગર
author img

By

Published : Dec 14, 2019, 7:41 PM IST

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 'સુજલામ સુફલામ યોજના' અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે 1 કરોડ 54 લાખ ફાળવવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. જેમાં સમઢીયાળા ચેકડેમ માટે 51.32 લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે 53.06 લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે 50.09 લાખ મરામત કામોના ફાળવ્યા છે. આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ 2005-06માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. 2017ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકસાન થતા રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને CM રૂપાણીએ મંજૂરી આપી છે.

સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપિંગ મરામતના કામો હાથ ધરાશે. નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નુકસાનની મરામતના કામો કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 'સુજલામ સુફલામ યોજના' અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે 1 કરોડ 54 લાખ ફાળવવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. જેમાં સમઢીયાળા ચેકડેમ માટે 51.32 લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે 53.06 લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે 50.09 લાખ મરામત કામોના ફાળવ્યા છે. આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ 2005-06માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. 2017ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકસાન થતા રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને CM રૂપાણીએ મંજૂરી આપી છે.

સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપિંગ મરામતના કામો હાથ ધરાશે. નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નુકસાનની મરામતના કામો કરવામાં આવશે.

Intro:Approved by panchal sir


ગાંધીનગર : સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે રૂ. ૧ કરોડ પ૪ લાખ ફાળવવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે જેમાં સમઢીયાળા ચેકડેમ માટે રૂ. પ૧.૩ર લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે રૂ. પ૩.૦૬ લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે રૂ. પ૦.૦૯ લાખ મરામત કામોના ફાળવ્યા છે. Body:આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ ર૦૦પ-૦૬માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. ર૦૧૭ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકશાન થતાં રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને સીએમ રૂપાણીએ મંજૂરી આપી છે.

         તદ્દઅનુસાર, સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપીંગ મરામતના કામો હાથ ધરાશે. Conclusion:નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નૂકશાનની મરામતના કામો કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.