ETV Bharat / state

ગોધરાકાંડ કોંગ્રેસનું કાવતરું, 'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તકમાં ઉલ્લેખ

author img

By

Published : Nov 22, 2019, 5:47 PM IST

Updated : Nov 22, 2019, 6:58 PM IST

ગાંધીનગર: ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકમાં ગોધરાકાંડનો ઉલ્લેખ કરાયો છે. જેમાં આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવવામાં આવી છે. જેથી રાજકારણમાં ગરમાયું છે અને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ બાબતનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ આ પુસ્તકના લેખિકા પોતાની વાતને લઈ અડગ જોવા મળી રહ્યાં છે.

ગોધરાકાંડ કોંગ્રેસનું કાવતરું, 'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તકમાં ઉલ્લેખ

'ગુજરાતની રાજકીય ગાથા' પુસ્તકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પુસ્તકનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, આ પુસ્તકમાં 2002 ગોધરાકાંડનો ઉલ્લેખ કરાયો છે. આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુસ્તકના લેખિકા ભાવનાબેન દવે પર ઇતિહાસ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ ઘટનાને તોડી મરોડીને રજૂ કરાઈ હોવાનું જણાવી રહ્યાં છે.

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક
'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક

આ અંગે વાત કરતા પુસ્તકના લેખિકાએ જણાવ્યું હતું કે, "તેમને ગોધરાકાંડની જે હકીકત હતી તે જ લખી છે. ઘટનાનો અભ્યાસ કર્યા બાદ જ પુસ્તકમાં લખવામાં આવ્યું છે."

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક
'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક

આ પુસ્તકમાં વર્ણવાયેલી ગોધરાકાંડની ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. આ સાથે કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડ ભાજપનું પ્રચારક ગણાવીને તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે.

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તકમાં ગોધરાકાંડનો ઉલ્લેખ થતાં રાજકારણ ગરમાયું

'ગુજરાતની રાજકીય ગાથા' પુસ્તકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પુસ્તકનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, આ પુસ્તકમાં 2002 ગોધરાકાંડનો ઉલ્લેખ કરાયો છે. આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુસ્તકના લેખિકા ભાવનાબેન દવે પર ઇતિહાસ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ ઘટનાને તોડી મરોડીને રજૂ કરાઈ હોવાનું જણાવી રહ્યાં છે.

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક
'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક

આ અંગે વાત કરતા પુસ્તકના લેખિકાએ જણાવ્યું હતું કે, "તેમને ગોધરાકાંડની જે હકીકત હતી તે જ લખી છે. ઘટનાનો અભ્યાસ કર્યા બાદ જ પુસ્તકમાં લખવામાં આવ્યું છે."

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક
'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તક

આ પુસ્તકમાં વર્ણવાયેલી ગોધરાકાંડની ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. આ સાથે કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડ ભાજપનું પ્રચારક ગણાવીને તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે.

'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તકમાં ગોધરાકાંડનો ઉલ્લેખ થતાં રાજકારણ ગરમાયું
Intro:Approved by panchal sir


ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા વર્ષ ગુજરાત ની રાજનીતિ ની ગાથા કોફી ટેબલ બુકમાં ગુજરાતમાં થયેલ ગોધરા કાંડએ કોંગ્રેસ ના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાયેલ કાવતરનો ભાગ હોવાનું પુસ્ક્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના રાજકિય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે આ બુકના લેખિકા ભાવના દવેએ પુસ્ક્તમાં લખેલ વાક્ય વિશે જણાવ્યું હતું કે જે થયું હતું એ જ લખ્યું છે કોઈ ની ટીકા ટિપ્પણી નથી લખી...
Body:ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ ભાવના દવેએ પુસ્તક વિશે જણાવ્યું હતું કે ગુજરાત ની રાજકિત ગાથા પુસ્તક એ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થાય અને વર્ષ 1960 થી ગુજરાત ની રાજનીતિમાં જે ફેરફાર આવ્યા, જે આંદોલન થયા, તે તમામ ઘટનાને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. જેમાં વર્ષ 2002માં થયેલ ગોધરા કાંડ ને પણ આવરી લેવામાં આવ્યો છે. ગોધરાકાંડ વિશે પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સ્થિરતાથી ચાલતા ગુજરાત રાજ્યના સાશનને અસ્થિર કરવા માટે 27 ફેબ્રુઆરી 2002માં એક કાવતરું રકચવામાં આવ્યું હતું અયોધ્યાથી પાછા ફરી રહેલા કાર સેવકોની ટ્રેન સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પેટ્રોલ છાંટીને આગ લગાડવામાં આવી અને 59 કાર સેવકો આગમાં ભડથું થઈ ગયા. ગોધરના ચુંટાયેલા કોંગ્રેસના સદસ્ય દ્વારા કાવતરું થયેલ. ઉપરાંત વર્ષ 1960માં નર્મદા ડેમ ની નિર્માણ, નહેરુએ ભૂમિપૂજન કર્યું પણ નર્મદા ડેમ ગમ્યો નહિ ત્યારબાદ કેન્દ્ર મનજી અને વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થતા નર્મદા ડેમને મંજૂરી આપી આમ ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર થી જોજો પડ્યું ત્યારથી લઈને વર્ષ 2018 સુધીના તમામ ઘટનાઅોને આખુ ટેબલ બુક માં આવરી લેવામાં આવી છે પરંતુ મહત્વની 2015માં બનેલા પાટીદાર આંદોલન અને ઉના કાંડ નો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જે બાબતે ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે હું હું કોઈ પક્ષ કે જાતનાતમાં માનતી નથી.

જ્યારે ગોધરા કાંડ નો પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે તેને ધ્યાનમાં લઈને પુસ્તકના લેખિકા ભાવના દવે જણાવ્યું હતું કે ગોધરાકાંડ એ કોંગ્રેસ પ્રેરિત હતું જ્યારે આજના વિદ્યાર્થીઓને ગુજરાતની રાજનીતિ ને સમાજ વચ્ચેનો ઇતિહાસ ખબર પડે તે ઉદેશ હતો. પુસ્તક માં તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. જે બન્યું છે તે મેં લખવામાં આવ્યું છે. જે સત્ય હતું તે લખવાનો પ્રયત્ન કર્યો છે.

બાઈટ...ભાવનાબેન દવે....ઉપાધ્યક્ષ...ગ્રંથ નિર્માણ બોર્ડ.

બાઈટ.. અમિત ચાવડા. પ્રમુખ ગુજરાત કોંગ્રેસConclusion:જ્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બોર્ડનું ભગવાકરણ કરવામાં આવ્યું છે. અને ભાજપ પોતાના પ્રચાર,પ્રસાર માટે બોર્ડનો ઉપયોગ કરે છે. કોફી ટેબલ પુસ્તકમાં ગુજરાતનો ઇતિહાસ અને તથ્યો બદલવામાં આવ્યા છે. જ્યારે આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ પુસ્તક પાછું લેવા માટે આક્રમક વિરોધ કરશે. અને જરૂર પડશે તો કોંગ્રેસ પક્ષ કાનૂની સલાહ લઈને કાનૂની કાર્યવાહી કરશે.


આમ ગુજરાતની ગાથા ટેબલ બુક ના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યારે ભાવનાબેન દવે ના જણાવ્યા અનુસાર રાજ્યમાં જે પણ રાજકીય ઘટનાઓ ઘટી છે તે તમામ ઘટનાઅોને નિષ્પક્ષ આપણે મુખમાં સંકલન કરવામાં આવ્યું હોવાનું પણ નિવેદન આપવામાં આવ્યું છે.
Last Updated : Nov 22, 2019, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.