ETV Bharat / state

Gandhinagar News : ગિરનાર વિકાસ માટે 114 કરોડની યોજના સહિત 22 યાત્રાધામોના આયોજન મંજૂર

author img

By

Published : Jul 15, 2023, 7:51 PM IST

સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક મળી હતી. ગુજરાતના 22 તીર્થસ્થાનોમાં કુલ 48 કરોડ રુપિયાના વિકાસ આયોજન સહિત ગિરનાર વિકાસ માટે 114 કરોડની યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી.

Gandhinagar News : ગિરનાર વિકાસ માટે 114 કરોડની યોજના સહિત 22 યાત્રાધામોના આયોજન મંજૂર કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ
Gandhinagar News : ગિરનાર વિકાસ માટે 114 કરોડની યોજના સહિત 22 યાત્રાધામોના આયોજન મંજૂર કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : ગાંધીનગરમાંથી સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ વે 3 મીટર પહોળો કરવા સાથેે નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક

ગિરનારના વિકાસ સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે. પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની દરખાસ્તો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સીએમના સૂચનો : આ બેઠકમાં યાત્રાધામ વિકાસને લઇને દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી ઉપરાંત અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યા હતાં.

અંબાજીનો ભાદરવી પૂનમ મેળો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજીધામ ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી. યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દરેક યાત્રાધામોમાં આવનારા યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

કોણ કોણ રહ્યું હાજર : આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવ મમતા વર્મા તેમજ પ્રવાસન સચિવ હારિત શુક્લા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ સહિતના અધિકારીઓ જોડાયા હતાં.

  1. Gujarat IPS: રેન્જ IG અને સિનિયર IPS ની બદલીની સંભાવના, લોકસભાની ચૂંટણી પહેલા લેવાઈ શકે મોટો નિર્ણય
  2. Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?
  3. Bhadarvi Poonam melo : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે બેઠક, તારીખો આપવા સાથે ધમધમાટ શરુ

ગાંધીનગર : ગાંધીનગરમાંથી સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ વે 3 મીટર પહોળો કરવા સાથેે નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક

ગિરનારના વિકાસ સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે. પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની દરખાસ્તો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સીએમના સૂચનો : આ બેઠકમાં યાત્રાધામ વિકાસને લઇને દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી ઉપરાંત અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યા હતાં.

અંબાજીનો ભાદરવી પૂનમ મેળો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજીધામ ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી. યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દરેક યાત્રાધામોમાં આવનારા યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

કોણ કોણ રહ્યું હાજર : આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવ મમતા વર્મા તેમજ પ્રવાસન સચિવ હારિત શુક્લા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ સહિતના અધિકારીઓ જોડાયા હતાં.

  1. Gujarat IPS: રેન્જ IG અને સિનિયર IPS ની બદલીની સંભાવના, લોકસભાની ચૂંટણી પહેલા લેવાઈ શકે મોટો નિર્ણય
  2. Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?
  3. Bhadarvi Poonam melo : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે બેઠક, તારીખો આપવા સાથે ધમધમાટ શરુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.