ETV Bharat / state

Cyclone Biparjoy landfall: રાહત કમિશનરે આપ્યા નુકસાનીના આંકડા, રાજ્યમાં 4600 ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ કપાઈ હતી

author img

By

Published : Jun 16, 2023, 1:42 PM IST

Updated : Jun 16, 2023, 3:20 PM IST

બિપરજોય ચક્રવાતને કારણે થયેલા નુકસાની સર્વે ચાલુ થશે. રાહત કમિશનરના જણાવાયા અનુસાર પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી.

Cyclone Biparjoy landfall alok kumar Explained about damage and survey report
Cyclone Biparjoy landfall alok kumar Explained about damage and survey report

ગાંધીનગર: રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે તથા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી.

  • #WATCH | Earthmoving machine being used to clear uprooted trees in Mandvi as rainfall continues to lash the coastal town in Kachchh district of Gujarat pic.twitter.com/9pGODNYulC

    — ANI (@ANI) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૌથી વધુ કચ્છમાં અસર: કચ્છના જિલ્લાના 3 રોડ બંધ કરવામાં આવ્યા છે. આગળના રોડ-રસ્તાઓ ડેમેજ થવાને કારણે રસ્તાઓ બંધ કરાાય છે. રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. 3500 થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. કાચા મકાનો 20, ઝૂપડા ૨૦ સંપૂર્ણ રીતે નાશ થયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો સર્વે કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે. વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં અનેક મકાનો ધરાશાયી: દ્વારકામાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે વરસાદ પણ હતો. જેના કારણે દ્વારકાના મેઇન બજાર કહેવાતા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. દ્વારકા પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે. શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા. આ ઉપરાંત મકાનો, કારખાનાના શેડ, છાપરાં ઉડી ગયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા 80 સુધીનું રહ્યા બાદમાં 100 કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે. ત્યાં કાંઠા ઉપરના ઘરોમાં, માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.

  • #WATCH | Trees uprooted due to strong wind in Jamnagar after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday

    (Morning visuals from Kalavad-Dhoraji Highway) pic.twitter.com/94ZthdR6N8

    — ANI (@ANI) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#WATCH | Trees uprooted due to strong wind in Jamnagar after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday

(Morning visuals from Kalavad-Dhoraji Highway) pic.twitter.com/94ZthdR6N8

— ANI (@ANI) June 16, 2023

જામનગરમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી: વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના પાછળના રસ્તામાં ત્રણથી ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ત્રણ જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી. જમનાગરના પ્રભારી પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના સીએમ જામનગર આવી શકે છે. સીએમ જામનગર, દ્વારકા અને કચ્છની મુલાકાત લેશે. હવાઈ નિરીક્ષણ તથા સમીક્ષા બેઠક કરી શકે છે. સમગ્ર જિલ્લામાં 200 જેટલા વૃક્ષો થયા ધરાશાયી છે અને 1200 જેટલા વિજપોલ થયા ધરાશાયી છે. પીજીવીસીએલની અનેક ટીમો કામગીરીમાં જોડાઈ છે અને 200 જેટલા વીજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં ભારે વરસાદ: બિપરજોય લેન્ડ ફોલ બાદ રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુરૂવારે રાત્રિના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં અઢી ઈચ્છા જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજકોટમાં 60થી 65 કિમીની પવન ફૂકાઈ રહ્યો હતો. રાજકોટમાં વરસાદ સતત શરૂ, નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરવા લાગ્યા હતા. લલુડી વોકડી સહિતના વિસ્તારીમાં પાણી પાણી થયું હતું. રાજકોટ રેસ કોર્ષ રિંગરોડ પર વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને પછી રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.

મોરબીમાં પણ નુકસાન: મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

અમરેલીમાં શાળા-કોલેજો બંધ: અમરેલીમા પણ સવારના પહોરમા ઝાપટુ પડયા બાદ દિવસ દરમિયાન બે ત્રણ વખત ઝાપટા વરસી જતા સાંજ સુધીમા 14મીમી વરસાદ નોંધાયો હતો. જયારે જાફરાબાદમા સવારમા હળવા ઝાપટા બાદ સાંજના સમયે વરસાદ તુટી પડયો હતો. પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉપરાંત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 14 થી 15 જૂન સુધી છાત્રો માટે રજા જાહેર કરવામાં આવી હતી. પણ હવે અમરેલી જિલ્લામાં આવતીકાલે 16મીના રોજ પણ જિલ્લાભરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે

વીજ પોલને ભારે નુકસાન: દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી 3580 ગામોમા વિજળીને રીસ્ટોર કરવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
  2. Cyclone Biparjoy Effect: મેંદરડામાં 400 જેટલા લોકોનું પગલે સ્થળાંતર

ગાંધીનગર: રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે તથા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી.

  • #WATCH | Earthmoving machine being used to clear uprooted trees in Mandvi as rainfall continues to lash the coastal town in Kachchh district of Gujarat pic.twitter.com/9pGODNYulC

    — ANI (@ANI) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૌથી વધુ કચ્છમાં અસર: કચ્છના જિલ્લાના 3 રોડ બંધ કરવામાં આવ્યા છે. આગળના રોડ-રસ્તાઓ ડેમેજ થવાને કારણે રસ્તાઓ બંધ કરાાય છે. રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. 3500 થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. કાચા મકાનો 20, ઝૂપડા ૨૦ સંપૂર્ણ રીતે નાશ થયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો સર્વે કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે. વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં અનેક મકાનો ધરાશાયી: દ્વારકામાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે વરસાદ પણ હતો. જેના કારણે દ્વારકાના મેઇન બજાર કહેવાતા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. દ્વારકા પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે. શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા. આ ઉપરાંત મકાનો, કારખાનાના શેડ, છાપરાં ઉડી ગયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા 80 સુધીનું રહ્યા બાદમાં 100 કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે. ત્યાં કાંઠા ઉપરના ઘરોમાં, માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.

  • #WATCH | Trees uprooted due to strong wind in Jamnagar after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday

    (Morning visuals from Kalavad-Dhoraji Highway) pic.twitter.com/94ZthdR6N8

    — ANI (@ANI) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જામનગરમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી: વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના પાછળના રસ્તામાં ત્રણથી ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ત્રણ જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી. જમનાગરના પ્રભારી પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના સીએમ જામનગર આવી શકે છે. સીએમ જામનગર, દ્વારકા અને કચ્છની મુલાકાત લેશે. હવાઈ નિરીક્ષણ તથા સમીક્ષા બેઠક કરી શકે છે. સમગ્ર જિલ્લામાં 200 જેટલા વૃક્ષો થયા ધરાશાયી છે અને 1200 જેટલા વિજપોલ થયા ધરાશાયી છે. પીજીવીસીએલની અનેક ટીમો કામગીરીમાં જોડાઈ છે અને 200 જેટલા વીજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં ભારે વરસાદ: બિપરજોય લેન્ડ ફોલ બાદ રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુરૂવારે રાત્રિના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં અઢી ઈચ્છા જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજકોટમાં 60થી 65 કિમીની પવન ફૂકાઈ રહ્યો હતો. રાજકોટમાં વરસાદ સતત શરૂ, નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરવા લાગ્યા હતા. લલુડી વોકડી સહિતના વિસ્તારીમાં પાણી પાણી થયું હતું. રાજકોટ રેસ કોર્ષ રિંગરોડ પર વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને પછી રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.

મોરબીમાં પણ નુકસાન: મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

અમરેલીમાં શાળા-કોલેજો બંધ: અમરેલીમા પણ સવારના પહોરમા ઝાપટુ પડયા બાદ દિવસ દરમિયાન બે ત્રણ વખત ઝાપટા વરસી જતા સાંજ સુધીમા 14મીમી વરસાદ નોંધાયો હતો. જયારે જાફરાબાદમા સવારમા હળવા ઝાપટા બાદ સાંજના સમયે વરસાદ તુટી પડયો હતો. પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉપરાંત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 14 થી 15 જૂન સુધી છાત્રો માટે રજા જાહેર કરવામાં આવી હતી. પણ હવે અમરેલી જિલ્લામાં આવતીકાલે 16મીના રોજ પણ જિલ્લાભરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે

વીજ પોલને ભારે નુકસાન: દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી 3580 ગામોમા વિજળીને રીસ્ટોર કરવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
  2. Cyclone Biparjoy Effect: મેંદરડામાં 400 જેટલા લોકોનું પગલે સ્થળાંતર
Last Updated : Jun 16, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.