ETV Bharat / state

આદિવાસી સમાજના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, વિકાસથી વંચિત છે આદિવાસી પટ્ટો

author img

By

Published : Jul 16, 2019, 4:32 PM IST

ગાંધીનગર: અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં 90 લાખ કરતાં વધુ સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. ત્યારે આદિવાસી સમાજની માગણી હતી કે, તેમના વિસ્તારમાં વિકાસ કરવામાં આવે. સરકારે 14568 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સુરત, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ વિસ્તારમાં પાણીની તકલીફના પડે તે માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને શિક્ષણ મળે તે માટે સરકારે આદિજાતિ વિકાસ વિભાગને માંગ કરી હતી. તેમાં 5 એકલવ્ય શાળા અને 14 આદર્શ નિવાસી શાળાઓ બજેટમાં મંજૂર કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં ગરીબ ગણવામાં આવતા તેવા કોટડીયા, કાઠુંડીયા, સિદર્દી સમાજ માટે રસ્તા અને આરોગ્ય સહિતની બાબતોને લઈને ચાલુ વર્ષે બજેટમાં 56 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. તેમ છતાં વર્ષોથી આદિવાસી સમાજ વિકાસની રાહ જોઈ રહ્યો છે. સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અવારનવાર કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ સમાજ વિકાસથી વંચિત જ રહી જાય છે.

આદિજાતી વિકાસ પ્રધાન ગણપત વસાવા

જ્યારે હળપતિ સમાજ માટે ઘર બનાવવા 42 કરોડ, વિદ્યાર્થીઓ માટે 1112 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે 350 કરોડના ખર્ચે બનાવામાં આવી છે. ત્યારે ચાલુ બજેટમાં 125 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે વન વિભાગ માટે 154 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાતના સિંહોના જતન માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં 130 કરોડની જોગવાઇ માત્ર સિંહો માટે કરવામાં આવી છે, જેમાં ગીરના સફારી પાર્કમાં વધુ પર્યટકો આવતા હોવાના કારણે નવી ત્રણ સફારી કેવડિયા ડોંગ અને સુરતમાં બનાવવામાં આવશે. આદિજાતિ સમાજના પ્રમાણપત્રની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી.

આદિજાતી વિકાસ પ્રધાન ગણપત વસાવા

આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર લઈને કોઈ લાભ લઈ જાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવી છે. પરિણામે જે પણ આદિવાસી સમાજનું ખોટુ પ્રમાણપત્ર લઇને લાભ લેવા જશે તેમનું પહેલા આદિજાતિ પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ ઓર્ડર આપવામાં આવશે. આ બાબતે સરકારે લાલ આંખ કરી છે અને કોઈ પણ ખોટી રીતે લાભ લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વારંવાર સરકાર આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કરોડો રૂપિયા ફાળવે છે. છતાં સમાજમાં કોઈ પ્રગતી થતી નથી.

જ્યારે હળપતિ સમાજ માટે ઘર બનાવવા 42 કરોડ, વિદ્યાર્થીઓ માટે 1112 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે 350 કરોડના ખર્ચે બનાવામાં આવી છે. ત્યારે ચાલુ બજેટમાં 125 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે વન વિભાગ માટે 154 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાતના સિંહોના જતન માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં 130 કરોડની જોગવાઇ માત્ર સિંહો માટે કરવામાં આવી છે, જેમાં ગીરના સફારી પાર્કમાં વધુ પર્યટકો આવતા હોવાના કારણે નવી ત્રણ સફારી કેવડિયા ડોંગ અને સુરતમાં બનાવવામાં આવશે. આદિજાતિ સમાજના પ્રમાણપત્રની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી.

આદિજાતી વિકાસ પ્રધાન ગણપત વસાવા

આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર લઈને કોઈ લાભ લઈ જાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવી છે. પરિણામે જે પણ આદિવાસી સમાજનું ખોટુ પ્રમાણપત્ર લઇને લાભ લેવા જશે તેમનું પહેલા આદિજાતિ પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ ઓર્ડર આપવામાં આવશે. આ બાબતે સરકારે લાલ આંખ કરી છે અને કોઈ પણ ખોટી રીતે લાભ લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વારંવાર સરકાર આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કરોડો રૂપિયા ફાળવે છે. છતાં સમાજમાં કોઈ પ્રગતી થતી નથી.

Intro:હેડિંગ) આદિવાસી સમાજના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, છતાં વિકાસ થતો નથી

ગાંધીનગર,

અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં 90 લાખ કરતાં વધુ સંખ્યા આદિવાસી સમાજની છે. ત્યારે આદિવાસી સમાજની માગણી હતી કે, તેમના વિસ્તારમાં વિકાસ કરવામાં આવે ત્યારે સરકારે 14568 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સુરત તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે તે માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આદિવાસી સમાજને શિક્ષણ મળે તે માટે સરકારે આદિજાતિ વિકાસ વિભાગની માંગ હતી, તેમાં 5 એકલવ્ય શાળા અને 14 આદર્શ નિવાસી શાળાઓ બજેટમાં મંજૂર કરી છે. આદિવાસી સમાજમાં ગરીબ ગણવામાં આવતા તેવા કોટડીયા, કાઠુંડીયા, સિદર્દી સમાજ માટે રસ્તા અને આરોગ્ય સહિતની બાબતોને લઈને ચાલુ વર્ષે બજેટમાં 56 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમ છતાં વર્ષોથી આદિવાસી સમાજ વિકાસની રાહ જોઇ રહ્યો છે. સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અવારનવાર કરોડો રૂપિયામાં ફાળવવામાં આવે છે, પરંતુ સમાજ વિકાસથી વંચિત જ રહી જાય છે.Body:જ્યારે હળપતિ સમાજ માટે ઘર બનાવવા 42 કરોડ, વિદ્યાર્થીઓ માટે 1112 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આદિવાસી સમાજના ભગવાન ગણવામાં આવતા બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે 350 કરોડના ખર્ચે બનવાની છે. ત્યારે ચાલુ બજેટમાં 125 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે વન વિભાગ માટે 154 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાતના એશિયાટિક સિંહોના જતન માટે 350 કરોડની જોગવાઈ કરી છે આ બજેટમાં 130 કરોડની જોગવાઇ માત્ર સિંહ માટે કરાઈ છે જેમાં ગીરના સફારી પાર્કમાં વધુ પર્યટકો આવતા હોવાના કારણે નવી ત્રણ સફારી કેવડિયા ડોંગ અને સુરતમાં બનાવવામાં આવશે આદિજાતિ સમાજના પ્રમાણપત્રની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી છે.Conclusion:આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર લઈને કોઈ લાભ લઈ જાય તે માટે કાયદો બનાવવામાં આવે છે. જેની મંજૂરી પણ રાષ્ટ્રપતિ આપી દીધી છે, પરિણામે જે પણ આદિવાસી સમાજનું ખોટુ પ્રમાણપત્ર લઇને લાભ લેવા જશે તેમનુ પહેલા આદિજાતિ વિશ્લેષણમાં પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ ઓર્ડર આપવામાં આવે છે. આ બાબતે સરકારે લાલ આંખ કરી છે અને કોઈને પણ ખોટી રીતે લાભ લેશે તો છોડવામાં આવશે નહીં. આદિવાસી સમાજમાંથી આવતા અને પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું પરંતુ વખતોવખતની સરકાર આદિવાસી સમાજને બેઠો કરવા માટે કરોડો રૂપિયા ફાળવી છે. છતાં સમાજ ઠેરનો ઠેર જોવા મળે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.