ગાંધીનગર : અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના(Bridge Collapses in Ahmedabad ) બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની (Bridge Collapses in Ahmedabad)ગંભીરતા ધ્યાને લઈને ઘટનાની તપાસ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.
IAS લોચન સહેરાના અધ્યક્ષતા હેઠળ કમિટી કરશે તપાસ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ (Bridge Engineer Department Gujarat)લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય 4 સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઈ શકાશે. આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે, ઉપરાંત ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે.
30 દિવસમાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ
તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ 30 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે, આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ
આ પણ વાંચોઃ Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ