ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલ(Union Home Minister Amit Shah)ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જે રીતે પંજાબની અટારી બોર્ડર ખાતે ભારત પાકિસ્તાનના બોર્ડર સિક્યુરીટી એજન્સી કાર્યરત છે અને લોકો આ બોર્ડર પર મુલાકાતે ( Banaskantha Sui Village Tourist Sport)જાય છે તેવી જ સુવિધા ગુજરાતમાં નડાબેટ બોર્ડર (Nadabet Border)પર શરૂ કરવામાં આવી રહી છે. જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સવારે 9 થી 10 કલાકની વચ્ચે થશે જ્યારે નડાબેટ બોડર પર પ્રવાસન સ્થળ તરીકે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
પાકિસ્તાન બોર્ડરથી 25 કિલોમીટર દૂર - નડાબેટ બોડર બાબતે ગુજરાત રાજ્યના પ્રવાસન( Gujarat Tourism )વિભાગના એમડી આલોક કુમાર પાંડે વિગત આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન બોર્ડર થી 25 કિલોમીટર દૂર (Launch of Nadabet Border Tourism)બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલા સુઈ ગામ ખાતે આ પ્રોજેક્ટ 125 કરોડના ખર્ચે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જે રીતે અટારી અને વાઘા બોર્ડર પરેડ થાય છે અને લોકો દેશ પ્રેમનું મહત્વ સમજે છે તેવી જ પેટન થી ગુજરાતમાં નડાબેટ બોર્ડર પર ટુરીઝમ તૈયાર કરવામાં આવી છે.
![નડાબેટ બોર્ડર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14965422_nadabet02_aspera.jpg)
આ પણ વાંચોઃ ઊંઝાથી 12 વોટર કુલર નડાબેટ બોર્ડર પર દાન કરાયા