ETV Bharat / state

‘વાયુ’ના પગલે 5500 ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલમાં ખસેડાઈ

ગાંધીનગરઃ રાજ્યભરમાં ‘વાયુ’નો ભય વર્તાઇ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર સુરક્ષાની કામગીરી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાંથી 5550 ગર્ભવતી મહિલાઓને હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. તો લોકસુરક્ષાને ધ્યાનમાં લઇને વિવિધ ટીમોને સતર્ક કરવામાં આવી છે.

author img

By

Published : Jun 13, 2019, 2:50 PM IST

વાયુથી અસરગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવા તંત્રના પ્રયાસો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે રાજ્યના ACS પંકજકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આખી દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. NDRFની 47 અને SDRFની 11 ટીમને તૈનાત કરાઇ છે. સાથે 383 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. તો સ્થળાંતરીત લોકોને માટે રાજકોટથી સવાલ લાખ ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 5550 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

‘વાયુ’ના પગલે 5500 ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલમાં ખસેડાઈ

અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પરિસ્થિતીનો અંદાજ આપતા જણાવે છે કે, વાવાઝોડાની અસર રાજ્યના 26 જિલ્લાઓમાં થવાની શક્યતાઓ છે. વાવાઝોડુ વેરાવળથી 110 કિલોમીટર સાઉથવેસ્ટ પોરબંદર 110 કી.મી દૂર છે. પવનની ગતિ 135થી 140 કિલોમીટરની રહેવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જ્યારે વાવાઝોડાનો વ્યાપ 900 કિલોમીટરનો છે.

અમરેલી સહિતના તમામ દરિયાઈ વિસ્તારમાં 10 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા નકારી નહોતી. તો કુદરતી અસ્ક્યામતોની માહિતી મેળવવા અર્થે કોમ્યુનિકેશન માટે લેન્ડલાઈન, મોબાઈલ ,રેડિયો અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વાવાઝોડું ગુજરાત માટે સંકટ સમાન છે, ત્યારે નાગરિકોને જાનમાલને નુકસાન ન થાય તે માટેના સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. NDRF, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે રાજ્યના ACS પંકજકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આખી દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. NDRFની 47 અને SDRFની 11 ટીમને તૈનાત કરાઇ છે. સાથે 383 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. તો સ્થળાંતરીત લોકોને માટે રાજકોટથી સવાલ લાખ ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 5550 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

‘વાયુ’ના પગલે 5500 ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલમાં ખસેડાઈ

અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પરિસ્થિતીનો અંદાજ આપતા જણાવે છે કે, વાવાઝોડાની અસર રાજ્યના 26 જિલ્લાઓમાં થવાની શક્યતાઓ છે. વાવાઝોડુ વેરાવળથી 110 કિલોમીટર સાઉથવેસ્ટ પોરબંદર 110 કી.મી દૂર છે. પવનની ગતિ 135થી 140 કિલોમીટરની રહેવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જ્યારે વાવાઝોડાનો વ્યાપ 900 કિલોમીટરનો છે.

અમરેલી સહિતના તમામ દરિયાઈ વિસ્તારમાં 10 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા નકારી નહોતી. તો કુદરતી અસ્ક્યામતોની માહિતી મેળવવા અર્થે કોમ્યુનિકેશન માટે લેન્ડલાઈન, મોબાઈલ ,રેડિયો અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વાવાઝોડું ગુજરાત માટે સંકટ સમાન છે, ત્યારે નાગરિકોને જાનમાલને નુકસાન ન થાય તે માટેના સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. NDRF, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Intro:હેડિંગ) વાયુ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં 5550 ગર્ભવતી મહિલા નોંધાઇ

ગાંધીનગર, પંકજકુમાર ની બાઈક whatsapp ગ્રુપ માંથી લેવી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે રાજ્યના એસીએસ પંકજકુમારે માહિતી આપતા કહ્યું કે, આખી દરિયા પટ્ટીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે એનડીઆરએફની 47 એસડીઆરએફની 11 ટીમ કામગીરી કરી રહી છે. જ્યારે 383 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5550 ગર્ભવતી મહિલાઓની સંખ્યા નોંધાઈ છે. ત્યારે તમામ મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.


Body:અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે વાવાઝોડાની અસર રાજ્યના 26 જિલ્લાઓમાં થવાની શક્યતાઓ છે વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટર સાઉથવેસ્ટ પોરબંદર 110 કી.મી દૂર છે. જ્યાં પવનની ગતિ 135થી 140 કિલોમીટરની રહેવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જ્યારે વાવાઝોડાનો વ્યાપ 900 કિલોમીટરનો છે. હાલમાં વાવાઝોડુ ગુજરાત માટે સંકટ સમાન છે. અમરેલી સહિતના તમામ દરિયાઈ વિસ્તારમાં 10 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા નકારી શકાતી નથી. કોમ્યૂનિકેશન માટે લેન્ડલાઈન અને મોબાઈલ રેડિયો ઇન્ટરનેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાંથી સવાલ લાખ ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે.


Conclusion:રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ આજે વહેલી સવારે કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર દ્વારા વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વાવાઝોડું ગુજરાત માટે સંકટ સમાન છે ત્યારે નાગરિકોને જાનમાલને નુકસાન ન થાય તે માટે ના સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. NDRF, પોલીસ, એમ્બ્યુલન્સ અને સરકારી તંત્રને કામે લગાડવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.