ETV Bharat / state

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.28 લાખ આવાસોનું થશે નિર્માણ

author img

By

Published : Jul 18, 2019, 7:37 PM IST

ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોની ગરીબી ઘટાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે તથા માળખાકીય સવલતોના નિર્માણ માટે રાજ્ય સરકારે દ્રઢ નિર્ણય કર્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા 1458 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.28 લાખ આવાસોનું થશે નિર્માણ

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સુવિધા માટે રૂ.1458 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 2,02,871 આવાસો મંજૂર કરાયા છે. સાથે જ 1,85,000 આવાસો પૂર્ણ કરીને 2157.24 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવા માટે અને 21 હજાર આવાસોના નિર્માણ માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરી છે. આ વર્ષે 1,28,000 જેટલા નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ 4500 લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂ. 20 હજાર લેખે 900 લાખ સહાય ચૂકવાઇ છે.

ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ. 3362.49 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કેબિનેટપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાં ધબકતાં થઇ ગયા છે. ગ્રામ્ય ગરીબ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જ્યાં માનવી ત્યાં આજીવિકા આપવા માટે મહાત્મા ગાંધી નરેગા યોજનાનો વ્યાપ પણ વધાર્યો છે. સાથે કુટુંબદીઠ 100 દિવસ રોજગારી આપીને ગ્રામ્યસ્તરે અસ્કયામતોનું નિર્માણ કર્યું છે. જેના હેઠળ 8.10 લાખ અસ્કયામતોનું નિર્માણ કરાયું છે.

આ યોજના માટે ચાલુ વર્ષે 400 લાખ લોકોને રોજગારી પૂરી પાડવા માટે 442.50 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે માટે 2.38 લાખ કામો હાથ ધરાશે. બિનકુશળ શ્રમિકો માટે વેતન દર રૂ. 199 નક્કી કરાયો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધી 1,65,555 શૌચાલયોનું નિર્માણ કરાયું છે. જેમાં 1239 ગ્રામીણ પંચાયતોમાં સામૂહિક શૌચાલયો મંજૂર કરાયા છે. તે પૈકી 1333.27 લાખના ખર્ચે 1238 કામો પૂર્ણ કરાયા છે.

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સુવિધા માટે રૂ.1458 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 2,02,871 આવાસો મંજૂર કરાયા છે. સાથે જ 1,85,000 આવાસો પૂર્ણ કરીને 2157.24 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવા માટે અને 21 હજાર આવાસોના નિર્માણ માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરી છે. આ વર્ષે 1,28,000 જેટલા નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ 4500 લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂ. 20 હજાર લેખે 900 લાખ સહાય ચૂકવાઇ છે.

ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ. 3362.49 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કેબિનેટપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાં ધબકતાં થઇ ગયા છે. ગ્રામ્ય ગરીબ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જ્યાં માનવી ત્યાં આજીવિકા આપવા માટે મહાત્મા ગાંધી નરેગા યોજનાનો વ્યાપ પણ વધાર્યો છે. સાથે કુટુંબદીઠ 100 દિવસ રોજગારી આપીને ગ્રામ્યસ્તરે અસ્કયામતોનું નિર્માણ કર્યું છે. જેના હેઠળ 8.10 લાખ અસ્કયામતોનું નિર્માણ કરાયું છે.

આ યોજના માટે ચાલુ વર્ષે 400 લાખ લોકોને રોજગારી પૂરી પાડવા માટે 442.50 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે માટે 2.38 લાખ કામો હાથ ધરાશે. બિનકુશળ શ્રમિકો માટે વેતન દર રૂ. 199 નક્કી કરાયો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધી 1,65,555 શૌચાલયોનું નિર્માણ કરાયું છે. જેમાં 1239 ગ્રામીણ પંચાયતોમાં સામૂહિક શૌચાલયો મંજૂર કરાયા છે. તે પૈકી 1333.27 લાખના ખર્ચે 1238 કામો પૂર્ણ કરાયા છે.

Intro:
આર.સી. ફ્લદુના ફોટો ઉપયોગ કરવો..


હેડિંગ : ગામડાના નાગરિકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ.૧૪૫૮ કરોડની જોગવાઇ : આ વર્ષે ૧.૨૮ લાખ આવાસો બંધાશે

         રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોની ગરીબી ઘટાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે તથા માળખાકીય સવલતોના નિર્માણ માટે રાજ્ય સરકારે દ્રઢ નિર્ધાર કર્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાનું ઘર નું ઘર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા 1458 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Body:ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સુવિધા માટે રૂ.૧૪૫૮ કરોડ જોગવાઇ કરી છે. આ યોજના હેઠળ ૨,૦૨,૮૭૧ આવાસો મંજૂર કરાયા છે અને ૧,૮૫,૦૦૦ આવાસો પૂર્ણ કરીને ૨૧૫૭.૨૪ કરોડની સહાય ચૂકવી દેવાઇ છે. ઘરવિહોણ લાભાર્થીઓને આવરી લેવા માટે ૨૧ હજાર આવાસોના નિર્માણ માટે રૂા.૨૫૦ કરોડની જોગવાઇ કરી છે. આ વર્ષે ૧,૨૮,૦૦૦ જેટલા નવા આવાસોનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ ૪૫૦૦ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂા.૨૦ હજાર લેખે ૯૦૦ લાખ સહાય ચૂકવાઇ છે.

ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ.૩૩૬૨.૪૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કેબિનેટપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાં ધબકતાં થઇ ગયા છે. ગ્રામ્ય ગરીબ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જ્યાં માનવી ત્યાં આજીવિકા આવા માટે મહાત્મા ગાંધી નરેગા યોજનાનો વ્યાપ પણ વધાર્યો છે અને કુટુંબદીઠ ૧૦૦ દિવસ રોજગારી આપી ગ્રામ્યસ્તરે અસ્કયામતો નિર્માણ કરાય છે જે હેઠળ ૮.૧૦ લાખ અસ્કયામતો નિર્માણ કરાયું છે. આ યોજના માટે ચાલુ વર્ષે ૪૦૦ લાખ માનવદિન રોજગારી પૂરી પાડવા માટે ૪૪૨.૫૦ કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે માટે ૨.૩૮ લાખ કામો હાથ ધરાશે. બિનકુશળ શ્રમિકો માટે વેતનદર રૂ. ૧૯૯ નક્કી કરાયો છે. Conclusion:રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધી ૧,૬૫,૫૫૫ શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. ૧૨૩૯ ગ્રામીણ પંચાયતોમાં સામૂહિક શૌચાલયો મંજૂર કરાયા છે. તે પૈકી ૧૩૩૩.૨૭ લાખના ખર્ચે ૧૨૩૮ કામો પૂર્ણ કરાયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.