ETV Bharat / state

ગુમ થયેલું હવામાનની આગાહી કરતુ યંત્ર પાકિસ્તાન જળસીમામાંથી મળી આવ્યું

દ્રારકા : વાયુ વાવાઝોડામાં વેરાવળથી ગુમ થયેલા દરીયાઇ હવામાન ખાતાની આગાહી કરતું યંત્ર ઓખા કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન જળસીમામાંથી મળી આવ્યું હતુ. આ યંત્રને વેરાવળ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગને પરત કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Jun 21, 2019, 7:12 PM IST

Updated : Jun 21, 2019, 8:27 PM IST

વાયુ વાવાઝોડામાં ગુમ થેયલું યંત્ર મળી આવ્યું

વાયુ વાવાઝોડામાં ભયંકર દરિયાઈ તોફાનના કારણે વેરાવળ દરિયામાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્રનું એક યંત્ર જે દરિયાઈ મોજા અને પવનની આગાહી સેટેલાઇટ ઇમેજ દ્વારા કરે છે. તે ગુમ થયું હતું. આ યંત્ર તારીખ 11જૂનના રાત્રિના દરિયાઈ તોફાનમાં વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર પાકિસ્તાન જળસીમા નજીક પહોંચી ગયું હતું. જે અંગે યંત્રમાં ગોઠવવામાં આવેલ GPS સિસ્ટમથી જાણ થઈ હતી.

ગુમ થયેલું હવામાનની આગાહી કરતુ યંત્ર પાકિસ્તાન જળસીમામાંથી મળી આવ્યું

ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા ગાંધીનગર કોસ્ટ ગાર્ડને યંત્રની જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર કોસ્ટ ગાર્ડ તેમની ઓખા સ્ટેશનની ઓફિસે જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડનું અરીજય જહાજ જેના કમાન્ડર અભિષેકની ત્રિપાઠીની આગેવાની હેઠળ પાકિસ્તાનની જળસીમા નજીક જઈ આ યંત્રને શોધી કાઢવામાં આવ્યું હતું.

દરિયાઈ મોજા સહિત દરિયાઈ હવામાનની આગાહી માટે સેટેલાઇટ મારફત કામ કરતા આ યંત્રની કિંમત અંદાજિત 50 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વાયુ વાવાઝોડા દરમિયાન વેરાવળના સમુદ્ર મોજામા છૂટું પડીને આ યંત્ર પાકિસ્તાન જળસીમામાં પહોંચી ગયું હતું. જે વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર હતું. ઓખા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ યંત્રને મહામહેનતે શોધી કાઢી અને વેરાવળ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગને પરત કરવામાં આવ્યું હતું.

વાયુ વાવાઝોડામાં ભયંકર દરિયાઈ તોફાનના કારણે વેરાવળ દરિયામાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્રનું એક યંત્ર જે દરિયાઈ મોજા અને પવનની આગાહી સેટેલાઇટ ઇમેજ દ્વારા કરે છે. તે ગુમ થયું હતું. આ યંત્ર તારીખ 11જૂનના રાત્રિના દરિયાઈ તોફાનમાં વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર પાકિસ્તાન જળસીમા નજીક પહોંચી ગયું હતું. જે અંગે યંત્રમાં ગોઠવવામાં આવેલ GPS સિસ્ટમથી જાણ થઈ હતી.

ગુમ થયેલું હવામાનની આગાહી કરતુ યંત્ર પાકિસ્તાન જળસીમામાંથી મળી આવ્યું

ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા ગાંધીનગર કોસ્ટ ગાર્ડને યંત્રની જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર કોસ્ટ ગાર્ડ તેમની ઓખા સ્ટેશનની ઓફિસે જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડનું અરીજય જહાજ જેના કમાન્ડર અભિષેકની ત્રિપાઠીની આગેવાની હેઠળ પાકિસ્તાનની જળસીમા નજીક જઈ આ યંત્રને શોધી કાઢવામાં આવ્યું હતું.

દરિયાઈ મોજા સહિત દરિયાઈ હવામાનની આગાહી માટે સેટેલાઇટ મારફત કામ કરતા આ યંત્રની કિંમત અંદાજિત 50 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વાયુ વાવાઝોડા દરમિયાન વેરાવળના સમુદ્ર મોજામા છૂટું પડીને આ યંત્ર પાકિસ્તાન જળસીમામાં પહોંચી ગયું હતું. જે વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર હતું. ઓખા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ યંત્રને મહામહેનતે શોધી કાઢી અને વેરાવળ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગને પરત કરવામાં આવ્યું હતું.

Intro:વાયુ વાવાઝોડામાં વેરાવળ થી ગુમ થયેલ દરીયાઇ હવામાન ખાતાની આગાહી કરતું યંત્ર ઓખા કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન જળસીમામાં થી મળી આવ્યું


Body: વાયુ વાવાઝોડામાં ભયંકર દરિયાઈ તોફાનના કારણે વેરાવળ દરિયામાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર નું એક યંત્ર જે દરિયાઈ મોજા અને પવન ની આગાહી સેટેલાઇટ ઇમેજ દ્વારા કરે છે તે ગુમ થયું હતું આ યંત્ર તારીખ 11જુન ના રાત્રિના ભારે દરિયાઈ તોફાનમાં વેરાવળ થી આશરે ૪૨૫ કિલોમીટર દૂર પાકિસ્તાન જળસીમા નજીક પહોંચી ગયું હતું જે અંગે યંત્રમાં ગોઠવેલ જીપીએસ સિસ્ટમ થી જાણ થતા ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા ગાંધીનગર કોસ્ટ ગાર્ડ ને જાણ કરવામાં આવી હતી આથી ગાંધીનગર કોસ્ટ ગાર્ડ તેમની ઓખા સ્ટેશન ખાતેની ઓફિસે જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડ નું અરીજય જહાજ જેના કમાન્ડર અભિષેકની ત્રિપાઠીની આગેવાની હેઠળ પાકિસ્તાનની જળસીમા નજીક જઈ આ યંત્રને મહામંહેનતે શોધી કાઢવામાં આવ્યું હતું
દરિયાઈ મોજા સહિત દરિયાઈ હવામાનની આગાહી માટે સેટેલાઇટ મારફત કામ કરતા આ યંત્રની કિંમત અંદાજિત 50 લાખ હોવાનું તેમના અધિકારીઓએ જણાવ્યું હતું વાયુ. વાવાઝોડા દરમિયાન વેરાવળ ના સમુદ્ર મોજામા છૂટું પડીને આ યંત્ર પાકિસ્તાન જળસીમા મા પહોંચી ગયું હતું જે વેરાવળ થી આશરે ૪૨૫ કિલોમીટર દૂર હતું ઓખા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ યંત્રને મહામહેનતે શોધી કાઢી અને વેરાવળ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગને આજે સુપ્રત કરવામાં આવ્યું હતું


Conclusion:બાઈટ 1, મુકેશ શર્મા કમાન્ડો ઓફિસર ઓખા કોસ્ટગાર્ડ
બાઈટ 2 મહેન્દ્રપાલ ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગ વેરાવળ
રજનીકાંત જોષી દ્વારકા
Last Updated : Jun 21, 2019, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.