ETV Bharat / state

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

author img

By

Published : Jan 20, 2021, 8:14 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્‍લુ ફ્લેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનારા પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત કર્યુું હતુ અને તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ.

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

  • 20 કરોડના કામોનું મુખ્‍યપ્રધાનના હસ્‍તે ખાતમુહૂર્ત
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશેઃ વિજય રૂપાણી
  • શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરના બીચ તરીકે વિકસાવાશેઃ વિજય રૂપાણી
  • પ્રાદેશિક વિકાસથી આર્થિક,સામાજિક વિકાસ-સ્‍થાનિક રોજગારને અવસર મળશેઃ વિજય રૂપાણી
  • પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત

દેવભૂમિ દ્વારકાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્‍લુ ફ્લેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ. મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્‍યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્‍લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્‍થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે.

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.

આ પ્રસંગે મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ફેઝ-2માં શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આમ, રૂપિયા 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્‍યું છે. શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્‍થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે.

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

ટુરિઝમનો સમાવેશ

મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, નવી ટુરિઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્‍કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિના ધ્‍યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્‍ચર એન્‍ડ વાઇલ્‍ડ લાઇફ ટુરિઝમ, કોસ્‍ટલ એન્‍ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્‍પિરિચ્‍યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્‍સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂપિયા 27 હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. અમારી સરકારમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાયા છે. વડાપ્રધઆમન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો-પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્‍સ હોસ્‍પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્‍જીન બન્યું છે. અગાઉ અઢી દાયકા પહેલા ખાતમુહૂર્ત થતા અને લોકો કામોની રાહ જોતા હતા. જ્યારે સરકારમાં ખાતમુહૂર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમ પણ મુખ્યપ્રધાનએ ઉમેર્યુ હતું.

ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ

તો કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ક્ષિતિજ વિક્સી છે. તેમ જણાવી મુખ્યપ્રધાનએ ઉમેર્યું હતું કે ‘‘ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ’’ બન્યું છે. ભારતમાં થયેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 52 ટકા ઇન્વેસ્ટમેન્ટ એક માત્ર ગુજરાતમાં થયું છે. જેના થકી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતની અલગ ઓળખ ઉભી થઇ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી ચરણપાદુકાની પૂજન વિધિ કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી પુરુષોત્તમભાઈ, પ્રણવભાઈ, વૈભવભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં આગમન સમયે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના તીર્થ પુરોહિત દ્વારા મુખ્યપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા જવાહર ચાવડા

શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ જવાહર ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બિચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.

ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી

નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્‍થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુકત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુક્ત કરવા માટે દર મહિને વ્‍યકતિદિઠ મહતમ રૂપિયા 4000/- ની નાણાંકિય સહાયતા 6 મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કર્યો

આ તકે સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કરતા કહ્યું હતું કે, દ્વારકા જિલ્‍લો પશ્વિમ વિસ્‍તારનો છેવાડાનો જિલ્‍લો છે પરંતુ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્‍વ હેઠળ આ જિલ્‍લાના વિકાસને વેગ મળ્યો છે.

દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો એવોર્ડ મળ્યો

ગુજરાત ટુરિઝમ એવોર્ડ-2020માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. જે મુખ્‍યપ્રધાનના હસ્‍તે કલેક્ટર ડૉ. નરેન્‍દ્રકુમાર મીનાને આજરોજ એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા. જયારે કલેક્ટર ડૉ.નરેન્‍દ્રમીનાએ આભાર વ્‍યક્ત કર્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવો

આ કાર્યક્રમમાં રાજયપ્રધાન વાસણભાઇ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઇ બેરા, પૂર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ટુરિઝમ સેક્રેટરી મમતાબેન વર્મા, પૂર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, રાજકોટ રેન્‍જ DIG સંદિપસીંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી,અધિક નિવાસી કલેક્ટર જાની તથા પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ તથા દ્વારકા જિલ્‍લાના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

  • 20 કરોડના કામોનું મુખ્‍યપ્રધાનના હસ્‍તે ખાતમુહૂર્ત
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશેઃ વિજય રૂપાણી
  • શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરના બીચ તરીકે વિકસાવાશેઃ વિજય રૂપાણી
  • પ્રાદેશિક વિકાસથી આર્થિક,સામાજિક વિકાસ-સ્‍થાનિક રોજગારને અવસર મળશેઃ વિજય રૂપાણી
  • પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત

દેવભૂમિ દ્વારકાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્‍લુ ફ્લેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ. મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્‍યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્‍લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્‍થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે.

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.

આ પ્રસંગે મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ફેઝ-2માં શિવરાજપુર બીચને રૂપિયા 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આમ, રૂપિયા 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્‍યું છે. શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્‍થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે.

100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત

ટુરિઝમનો સમાવેશ

મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, નવી ટુરિઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્‍કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિના ધ્‍યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્‍ચર એન્‍ડ વાઇલ્‍ડ લાઇફ ટુરિઝમ, કોસ્‍ટલ એન્‍ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્‍પિરિચ્‍યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્‍સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂપિયા 27 હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. અમારી સરકારમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાયા છે. વડાપ્રધઆમન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો-પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્‍સ હોસ્‍પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્‍જીન બન્યું છે. અગાઉ અઢી દાયકા પહેલા ખાતમુહૂર્ત થતા અને લોકો કામોની રાહ જોતા હતા. જ્યારે સરકારમાં ખાતમુહૂર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમ પણ મુખ્યપ્રધાનએ ઉમેર્યુ હતું.

ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ

તો કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ક્ષિતિજ વિક્સી છે. તેમ જણાવી મુખ્યપ્રધાનએ ઉમેર્યું હતું કે ‘‘ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ’’ બન્યું છે. ભારતમાં થયેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 52 ટકા ઇન્વેસ્ટમેન્ટ એક માત્ર ગુજરાતમાં થયું છે. જેના થકી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતની અલગ ઓળખ ઉભી થઇ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી ચરણપાદુકાની પૂજન વિધિ કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી પુરુષોત્તમભાઈ, પ્રણવભાઈ, વૈભવભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં આગમન સમયે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના તીર્થ પુરોહિત દ્વારા મુખ્યપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા જવાહર ચાવડા

શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ જવાહર ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બિચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.

ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી

નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્‍થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુકત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુક્ત કરવા માટે દર મહિને વ્‍યકતિદિઠ મહતમ રૂપિયા 4000/- ની નાણાંકિય સહાયતા 6 મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કર્યો

આ તકે સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કરતા કહ્યું હતું કે, દ્વારકા જિલ્‍લો પશ્વિમ વિસ્‍તારનો છેવાડાનો જિલ્‍લો છે પરંતુ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્‍વ હેઠળ આ જિલ્‍લાના વિકાસને વેગ મળ્યો છે.

દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો એવોર્ડ મળ્યો

ગુજરાત ટુરિઝમ એવોર્ડ-2020માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. જે મુખ્‍યપ્રધાનના હસ્‍તે કલેક્ટર ડૉ. નરેન્‍દ્રકુમાર મીનાને આજરોજ એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા. જયારે કલેક્ટર ડૉ.નરેન્‍દ્રમીનાએ આભાર વ્‍યક્ત કર્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવો

આ કાર્યક્રમમાં રાજયપ્રધાન વાસણભાઇ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઇ બેરા, પૂર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ટુરિઝમ સેક્રેટરી મમતાબેન વર્મા, પૂર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, રાજકોટ રેન્‍જ DIG સંદિપસીંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી,અધિક નિવાસી કલેક્ટર જાની તથા પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ તથા દ્વારકા જિલ્‍લાના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.