પાંચ થી પંદર દિવસનો લાંબો પ્રવાસ કરીને અનેક શ્રધ્ધાળુઓ પગપાળ દ્વારકા પહોંચે છે. નાના નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધો પણ આ યાત્રામાં જોડાય છે. જામનગર, રાજકોટ, ચોટીલા,મોરબી,અમદાવાદ, વડોદરા, મહેસાણા, કચ્છ અને ગુજરાત બહારના અનેક યાત્રાળુઓ હોશે હોશે દ્વારકા પહોંચે છે. યાત્રાળુઓ માટે રસ્તામાં અનેક સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ચા,જમવાનું અને બીમાર પડે તો આરોગ્યના ફ્રી ઓફ કેમ્પ રાખવામાં આવે છે.યાત્રાળુઓની આવી નિસ્વાર્થ સેવા કરતા અનેક લોકો દર વર્ષે અહીં આવે છે.
![દેવભૂમિ દ્વારકામાં હોળીની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2756047_181_ba938386-56c6-4fcc-9b0c-f38875cb9f82.png)