ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું - આદિવાસી વિસ્તાર

ડાંગઃ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની તપાસ બાદ કિશોરીઓ અને માતાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ ઓછુ જણાયું હતું. સાથે જ આદિવાસી વિસ્તારમાં એનીમીયાનું પ્રમાણ વધુ રહેતાં માતા અને બાળ મૃત્યુદર વધુ રહેતો હતો. એટલે આરોગ્ય તંત્ર દ્વારા  માતા-મરણ અને બાળમરણ અટકાવવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. જેના વિશે માહિતગાર કરવા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષ સ્થાને આહવાના સરકીટ હાઉસમાં પત્રકાર પરિષદ  યોજાઈ હતી. જેમાં ડાંગ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન આયર્ન ટેબલેટ ગળવાથી માતા અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા માટે આયર્ન ગોળી ખૂબ જ ફળદાયી હોવાની વિગતો જણાવી હતી.

ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું
author img

By

Published : Aug 28, 2019, 10:40 PM IST

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે," ડાંગ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા લાંબાગાળાનું આયોજન કરવાથી આપણે માતાઓને બચાવી શકીશું. આરોગ્ય વિભાગના તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા બાદ ડાંગ જિલ્લામાં કિશોરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 1904 બાળાઓમાં હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 61 દિકરીઓ નોર્મલ જણાઈ અને 40 એનીમીયાના લક્ષણો ધરાવતી હતી. 467 અને માઈલ્ડ એનીમીયા ધરાવતી 1336 દિકરીઓ જણાઈ હતી.

આ સર્વે ઉપરથી જિલ્લાના આરોગ્ય વિભાગે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લામાં આહવા, સાપુતારા, વધઈ અને સુબીર ખાતે મોટા કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં એકસાથે 18,654 દિકરીઓને આયર્નની ગોળી ગળાવીને ભારતભરમાં મોટી સંખ્યામાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું."

ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું
ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ ર્ડા.મેઘા મહેતાએ જણાવ્યું હતું કે," 28 માર્ચ 2018ના રોજ થયેલા રેકોર્ડ બાદ અમારી ટીમ કિશોરીઓને નિયમિત આયર્નની ગોળી ગળાવવાની કામગીરી કરે છે. જેના ફળદાયી પરિણામ મળી રહયા છે. સતત મોનીટરીંગ દ્વારા અમે કહી શકીએ છીએ કે, 210 દિકરીઓમાં પહેલા 1.4 ટકા એનીમીયાનું પ્રમાણ હતું ,જે એક વર્ષ બાદ ઘટીને 1 ટકા રહયું છે. સાધારણ એનીમીયાના લક્ષણ ધરાવતી 7347 દિકરીઓ 48.4 ટકા હતી. એક વર્ષ બાદ 8095 એટલે કે, 48.7 રહયું છે. આમ, આયર્ન ટેબલેટ ખૂબજ અસરકારક નીવડી રહી છે. "

આ પત્રકાર પરિષદમાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને લઈ યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને ગર્ભ રહે તે દરમિયાન કાળજી રાખવા વિશે પણ જાણકારી અપાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે," ડાંગ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા લાંબાગાળાનું આયોજન કરવાથી આપણે માતાઓને બચાવી શકીશું. આરોગ્ય વિભાગના તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા બાદ ડાંગ જિલ્લામાં કિશોરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 1904 બાળાઓમાં હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 61 દિકરીઓ નોર્મલ જણાઈ અને 40 એનીમીયાના લક્ષણો ધરાવતી હતી. 467 અને માઈલ્ડ એનીમીયા ધરાવતી 1336 દિકરીઓ જણાઈ હતી.

આ સર્વે ઉપરથી જિલ્લાના આરોગ્ય વિભાગે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લામાં આહવા, સાપુતારા, વધઈ અને સુબીર ખાતે મોટા કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં એકસાથે 18,654 દિકરીઓને આયર્નની ગોળી ગળાવીને ભારતભરમાં મોટી સંખ્યામાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું."

ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું
ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ ર્ડા.મેઘા મહેતાએ જણાવ્યું હતું કે," 28 માર્ચ 2018ના રોજ થયેલા રેકોર્ડ બાદ અમારી ટીમ કિશોરીઓને નિયમિત આયર્નની ગોળી ગળાવવાની કામગીરી કરે છે. જેના ફળદાયી પરિણામ મળી રહયા છે. સતત મોનીટરીંગ દ્વારા અમે કહી શકીએ છીએ કે, 210 દિકરીઓમાં પહેલા 1.4 ટકા એનીમીયાનું પ્રમાણ હતું ,જે એક વર્ષ બાદ ઘટીને 1 ટકા રહયું છે. સાધારણ એનીમીયાના લક્ષણ ધરાવતી 7347 દિકરીઓ 48.4 ટકા હતી. એક વર્ષ બાદ 8095 એટલે કે, 48.7 રહયું છે. આમ, આયર્ન ટેબલેટ ખૂબજ અસરકારક નીવડી રહી છે. "

આ પત્રકાર પરિષદમાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને લઈ યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને ગર્ભ રહે તે દરમિયાન કાળજી રાખવા વિશે પણ જાણકારી અપાઈ હતી.

Intro:ડાંગ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે માતા-મરણ અને બાળ-મરણ અટકાવવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં એનીમીયાનું પ્રમાણ વધુ હોવાથી પહેલા અહીં માતા અને બાળ મૃત્યુ દર વધુ રહેતો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના મનોમંથન બાદ અહીં કિશોરીઓ અને માતાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ ઓછુ જણાયું હતું.Body:આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન સરકીટ હાઉસ આહવા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લામાં છેલ્લા એકવર્ષ દરમિયાન આયર્ન ટેબલેટ ગળવાથી માતા અને બાળ મરણનું પ્રમાણ ધટાડવા માટે આયર્ન ગોળી ખૂબજ ફળદાયી હોવાની વિગતો જાણવા મળી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ધટાડવા લાંબા ગાળાનું આયોજન કરવાથી આપણે માતાઓને બચાવી શકીશું. આરોગ્ય વિભાગના તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા બાદ ડાંગ જિલ્લામાં કિશોરીઓનો સર્વે કરવામાં આવ્યો જેમાં કુલ ૧૯૦૪ બાળાઓમાં હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી જેમાં ૬૧ દિકરીઓ નોર્મલ જણાઇ.એનીમીયાના લક્ષણો ધરાવતી ૪૦ દિકરીઓ,મધ્યમ લક્ષણો ધરાવતી દિકરીઓ ૪૬૭ અને માઈલ્ડ એનીમીયા ધરાવતી ૧૩૩૬ દિકરીઓ જણાઈ. આ સર્વે ઉપરથી જિલ્લાના આરોગ્ય વિભાગે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લામાં આહવા,સાપુતારા,વધઈ અને સુબીર ખાતે મોટા કાર્યક્રમનું આયોજન કરાયું અને એકસાથે ૧૮,૬૫૪ દિકરીઓને આયર્નની ગોળી ગળાવવામાં આવી જેને સમગ્ર ભારતભરમાં આટલી મોટી સંખ્યામાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ ર્ડા.મેધા મહેતાએ જણાવ્યું હતું કે ૨૮ માર્ચ ૨૦૧૮ ના રોજ થયેલા રેકોર્ડ બાદ અમારી ટીમ કિશોરીઓને નિયમિત આયર્નની ગોળી ગળાવવાની કામગીરી કરે છે. જેના ફળદાયી પરિણામ મળી રહયા છે. સતત મોનીટરીંગ દ્વારા અમે કહી શકીએ છીએ કે ૨૧૦ દિકરીઓમાં પહેલા ૧.૪ ટકા એનીમીયાનું પ્રમાણ હતું જે એક વર્ષ બાદ ધટીને 1 ટકા રહયું છે. સાધારણ એનીમીયા ના લક્ષણ ધરાવતી ૭૩૪૭ દિકરીઓ ૪૮.૪ ટકા હતી જે એક વર્ષ બાદ ૮૦૯૫ એટલે કે ૪૮.૭ રહયું છે. આમ આયર્ન ટેબલેટ ખૂબજ અસરકારક નીવડી રહી છે. આપણે ડાંગ જિલ્લાની માતાઓને ભવિષ્યમાં બચાવવા માટે અત્યારથી જ પ્રયાસ કરીશું તો એના પરિણામ આવનારા દિવસોમાં મળી શકશે.Conclusion:આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગ દ્વારા આયર્ન ટેબલેટ ઉપર કરવામાં આવેલ કામગીરીની વિગતો ર્ડા.ડી.સી.ગામીતે આપી હતી. રમેશભાઈએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. દર્શકભાઈ કોઠીયાએ સ્લાઈડ નિદર્શન કરી ડાંગ જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. સમગ્ર આરોગ્યની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભારવિધિ ભરતભાઈએ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.