ETV Bharat / state

ડાંગ જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ પડતર માગણીઓને લઇ ઉચ્ચારી હડતાલની ચીમકી

author img

By

Published : Dec 7, 2019, 12:09 PM IST

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પડતર માગણીઓનું નિરાકરણ નહીં આવતા 9 ડિસેમ્બર 2019થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવા અંગે અને અન્ય વિભાગની કામગીરીનો બહિષ્કાર કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.

Apply to the collector
કલેક્ટરને આવેદન

ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં તેમણે રજૂઆત કરી કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેમના 17 મુદ્દાઓની માગણી પરત્વે માનનીય અધિક મુખ્ય સચિવ સાથે મુલાકાત દરમિયાન હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું અને નિરાકરણની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ અત્યારસુધી એક પણ મુદ્દાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી મહેસુલી કર્મચારીઓ દ્વારા 9 ડિસેમ્બર 2019થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહેસુલી કર્મચારીઓની કામગીરી સિવાયની અન્ય કોઇ પણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડળ દ્વારા 8 ડિસેમ્બર 2019ના રોજ આયોજીત GPSCની પરીક્ષાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં તેમણે રજૂઆત કરી કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેમના 17 મુદ્દાઓની માગણી પરત્વે માનનીય અધિક મુખ્ય સચિવ સાથે મુલાકાત દરમિયાન હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું અને નિરાકરણની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ અત્યારસુધી એક પણ મુદ્દાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી મહેસુલી કર્મચારીઓ દ્વારા 9 ડિસેમ્બર 2019થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહેસુલી કર્મચારીઓની કામગીરી સિવાયની અન્ય કોઇ પણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડળ દ્વારા 8 ડિસેમ્બર 2019ના રોજ આયોજીત GPSCની પરીક્ષાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા અધિક નીવાસી કલેક્ટરને પડતર માંગણીઓ નિકાલ ન થતાં તા.૦૯/૧૨/૨૦૧૯ થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાં બાબતે અને અન્ય વિભાગની કામગીરીનો બહિષ્કાર કરવા અંગે આવેદન પત્ર આપ્યું છે. Body:ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓના મુખ્ય પ્રશ્નોમાં રજુઆત કરી હતી કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેમનાં ૧૭ મુદ્દાઓની માંગણી પરત્વે માન.અધિક મુખ્ય સચિવ શ્રી સાથે મુલાકાત દર્મ્યાન તમામ મુદ્દાઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી ખાત્રી આપેલ હતી પંરતુ આજ દિન સુધી એક પણ મુદ્દાનો નિકાલ ન થયો હોવાથી મહેસુલી કર્મચારીઓ દ્વારા તા.૦૯/૧૨/૨૦૧૯ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. ઉંપરાત મહેસુલી કર્મચારીઓની કામગીરી સિવાયની અન્ય કોઇ પણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરેલ છે. અને તા.૦૮/૧૨/૨૦૧૯ ના રોજ લેવાનાર જી.પી.એસ.સી.ની પરીક્ષાનો પણ બહિષ્કાર મહામંડળ દ્વારા કરવામાં આવેલ છે. Conclusion:ઉલ્લેખનીય છે કે મહેસુલી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં મહેસુલી કર્મચારીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાંલ પર જવાનું નક્કી કર્યું છે. તેમની માંગ છે કે તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.